ચૂંટણી પ્રચાર માટે નેતાઓ ઝડપથી પહોંચી શકે તે માટે પસંદ કરાયો હવાઈ માર્ગ, હેલિકોપ્ટરોને મંગાવાયા ભાડે


  • Published By :
  • Published Date : 2022-11-12 11:29:23

ગુજરાતમાં રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 40 પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પોતાના પ્રચારકોને ગુજરાતમાં મોકલશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને ગુજરાતના પ્રવાસે મોકલશે. ઓછા સમયમાં વધુ જગ્યાઓ પર પ્રચાર કરી શકે તે માટે આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. 


રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના પ્રચારકોની ફોજ બહાર પાડી છે. અનેક વખત ભાજપ ચૂંટણી પ્રચારમાં પ્રચાર કરતા વધારે ખર્ચ કરે છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી મતદારોને રિઝવવા પાર્ટીના જાણીતા ચહેરાઓને સામે લાવી રહી છે. જે અંતર્ગત ભાજપના 40 જેટલા સ્યાર પ્રચારક ગુજરાત આવવાના છે અનેક પ્રચાર કરશે. જેમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાનિ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.કોંગ્રેસના પણ પ્રચારકો ગુજરાત આવશે.  આ વખતે સ્ટાર પ્રચારકો માટે જે ચાર્ટર્ડ પ્લેન મંગાવ્યું છે કે જેનું ભાડું લાખોમાં છે. ભાજપે પોતાના પ્રચારકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેને ધ્યાનમાં રાખી કમલમ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ, 6 ટ્વિન એન્જિન સહિતના અનેક એરક્રાફ્ટ મંગાવવામાં આવ્યા છે. જેનું એક કલાકનું ભાડૂં લાખોમાં હોય છે. 

Politics 2020 BJP s strategy over Congress lost big leaders - राजनीति 2020:  कांग्रेस पर भारी पड़ी भाजपा की रणनीति, खो दिए बड़े नेता


પ્રચાર પાછળ પાર્ટીઓ કરશે અંદાજીત રૂ.100 કરોડથી વધારેનો ખર્ચ  

રાજકીય પાર્ટી એક મહિનામાં અંદાજીત 100 કરોડ રૂપિયા ખર્ચવાની છે. અનેક વખત ચૂંટણી પ્રચારમાં ચૂંટણી કરતા વધારે ખર્ચ થતો હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. જેટ વિમાનનું એક કલાકનું ભાડું 2 લાખ છે. જ્યારે ટ્વિન એન્જિન ધરાવતા હેલિકોપ્ટર ના ભાડું 3થી 3.75 લાખ પ્રતિ કલાકે ચૂકવવામાં આવશે. ભાજપે પહેલેથી જ પ્રચારકો માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.