ચૂંટણી પ્રચાર માટે નેતાઓ ઝડપથી પહોંચી શકે તે માટે પસંદ કરાયો હવાઈ માર્ગ, હેલિકોપ્ટરોને મંગાવાયા ભાડે


  • Published By :
  • Published Date : 2022-11-12 11:29:23

ગુજરાતમાં રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 40 પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પોતાના પ્રચારકોને ગુજરાતમાં મોકલશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને ગુજરાતના પ્રવાસે મોકલશે. ઓછા સમયમાં વધુ જગ્યાઓ પર પ્રચાર કરી શકે તે માટે આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. 


રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના પ્રચારકોની ફોજ બહાર પાડી છે. અનેક વખત ભાજપ ચૂંટણી પ્રચારમાં પ્રચાર કરતા વધારે ખર્ચ કરે છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી મતદારોને રિઝવવા પાર્ટીના જાણીતા ચહેરાઓને સામે લાવી રહી છે. જે અંતર્ગત ભાજપના 40 જેટલા સ્યાર પ્રચારક ગુજરાત આવવાના છે અનેક પ્રચાર કરશે. જેમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાનિ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.કોંગ્રેસના પણ પ્રચારકો ગુજરાત આવશે.  આ વખતે સ્ટાર પ્રચારકો માટે જે ચાર્ટર્ડ પ્લેન મંગાવ્યું છે કે જેનું ભાડું લાખોમાં છે. ભાજપે પોતાના પ્રચારકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેને ધ્યાનમાં રાખી કમલમ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ, 6 ટ્વિન એન્જિન સહિતના અનેક એરક્રાફ્ટ મંગાવવામાં આવ્યા છે. જેનું એક કલાકનું ભાડૂં લાખોમાં હોય છે. 

Politics 2020 BJP s strategy over Congress lost big leaders - राजनीति 2020:  कांग्रेस पर भारी पड़ी भाजपा की रणनीति, खो दिए बड़े नेता


પ્રચાર પાછળ પાર્ટીઓ કરશે અંદાજીત રૂ.100 કરોડથી વધારેનો ખર્ચ  

રાજકીય પાર્ટી એક મહિનામાં અંદાજીત 100 કરોડ રૂપિયા ખર્ચવાની છે. અનેક વખત ચૂંટણી પ્રચારમાં ચૂંટણી કરતા વધારે ખર્ચ થતો હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. જેટ વિમાનનું એક કલાકનું ભાડું 2 લાખ છે. જ્યારે ટ્વિન એન્જિન ધરાવતા હેલિકોપ્ટર ના ભાડું 3થી 3.75 લાખ પ્રતિ કલાકે ચૂકવવામાં આવશે. ભાજપે પહેલેથી જ પ્રચારકો માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.