ચૂંટણી પ્રચાર માટે નેતાઓ ઝડપથી પહોંચી શકે તે માટે પસંદ કરાયો હવાઈ માર્ગ, હેલિકોપ્ટરોને મંગાવાયા ભાડે


  • Published By :
  • Published Date : 2022-11-12 11:29:23

ગુજરાતમાં રાજકીય પાર્ટી પોતાના પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાની છે. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં 40 પ્રચારકોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પોતાના પ્રચારકોને ગુજરાતમાં મોકલશે અને કોંગ્રેસનો પ્રચાર કરશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાના પ્રચારકોને ગુજરાતના પ્રવાસે મોકલશે. ઓછા સમયમાં વધુ જગ્યાઓ પર પ્રચાર કરી શકે તે માટે આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. 


રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો આવશે ગુજરાત  

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના પ્રચારકોની ફોજ બહાર પાડી છે. અનેક વખત ભાજપ ચૂંટણી પ્રચારમાં પ્રચાર કરતા વધારે ખર્ચ કરે છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી મતદારોને રિઝવવા પાર્ટીના જાણીતા ચહેરાઓને સામે લાવી રહી છે. જે અંતર્ગત ભાજપના 40 જેટલા સ્યાર પ્રચારક ગુજરાત આવવાના છે અનેક પ્રચાર કરશે. જેમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાનિ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.કોંગ્રેસના પણ પ્રચારકો ગુજરાત આવશે.  આ વખતે સ્ટાર પ્રચારકો માટે જે ચાર્ટર્ડ પ્લેન મંગાવ્યું છે કે જેનું ભાડું લાખોમાં છે. ભાજપે પોતાના પ્રચારકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેને ધ્યાનમાં રાખી કમલમ ખાતે હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા જેટ, ટર્બોક્રોપ, 6 ટ્વિન એન્જિન સહિતના અનેક એરક્રાફ્ટ મંગાવવામાં આવ્યા છે. જેનું એક કલાકનું ભાડૂં લાખોમાં હોય છે. 

Politics 2020 BJP s strategy over Congress lost big leaders - राजनीति 2020:  कांग्रेस पर भारी पड़ी भाजपा की रणनीति, खो दिए बड़े नेता


પ્રચાર પાછળ પાર્ટીઓ કરશે અંદાજીત રૂ.100 કરોડથી વધારેનો ખર્ચ  

રાજકીય પાર્ટી એક મહિનામાં અંદાજીત 100 કરોડ રૂપિયા ખર્ચવાની છે. અનેક વખત ચૂંટણી પ્રચારમાં ચૂંટણી કરતા વધારે ખર્ચ થતો હોય છે. આ વખતની ચૂંટણીમાં પણ સ્ટાર પ્રચારકો માટે ચાર્ટર્ડ પ્લેન તેમજ લક્સુરિયસ પ્લેન મંગાવવામાં આવ્યા છે જેનું એક કલાકનું ભાડું 1.50 લાખ રૂપિયા છે. જેટ વિમાનનું એક કલાકનું ભાડું 2 લાખ છે. જ્યારે ટ્વિન એન્જિન ધરાવતા હેલિકોપ્ટર ના ભાડું 3થી 3.75 લાખ પ્રતિ કલાકે ચૂકવવામાં આવશે. ભાજપે પહેલેથી જ પ્રચારકો માટે 4 હેલિકોપ્ટર અને 3 ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યા છે.    




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.