પોતાના પર્સનલ સેક્રેટરી માટે વજુભાઈ વાળાએ માગી ટિકિટ, રજૂઆત સાંભળી નેતાઓ ચોંકી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-08 09:31:57

ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાના માણસોને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરતા હોય છે. ત્યારે પાર્ટીના વરિષ્ટ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પાર્ટી સમક્ષ એવી માગ રાખી જેને જોઈ તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા. વજુભાઈએ પોતાના સેક્રેટરી માટે ટિકિટની માગ કરી છે.

નીતિન પટેલના હિંદુત્વ વાળા નિવેદન પર વજુભાઈ વાળા સમર્થન કરતાં ખચકાયા? વાંચો  શું કહ્યું | Hesitant to support Vajubhai on Nitin Patel's Hindutva  statement? Read what said

પોતાના સેક્રેટરી માટે માગી ટિકિટ

ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર છે. કોને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે ભાજપના વરિષ્ટ નેતા વજુભાઈ વાળાએ પોતાના પર્સનલ સેક્રેટરીના નામની રજૂઆત કરી છે. રાજકોટની ટિકિટ માટે તેજસ ભટ્ટીના નામની ભલામણ કરવા તેઓ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને જોઈ પાર્ટીના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 

ટિકિટ ફાળવણી દરમિયાન નેતાઓ થઈ શકે છે નારાજ

વજુભાઈ વાળાએ પોતાની વાત કમલમમાં તો વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાતની રજુઆત કરવા સી.આર.પાટીલના ઘરે પણ પહોંચ્યા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી માગને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ સમયે કોઈ પણ નેતાને નારાજ ન કરી શકાય ઉપરાંત દરેક લોકોને ટિકિટ પણ આપી ન શકાય. ત્યારે પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.