પોતાના પર્સનલ સેક્રેટરી માટે વજુભાઈ વાળાએ માગી ટિકિટ, રજૂઆત સાંભળી નેતાઓ ચોંકી ગયા


  • Published By :
  • Published Date : 2022-11-08 09:31:57

ભાજપે હજી સુધી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. પાર્ટીના વરિષ્ટ નેતાઓ પોતાના માણસોને ટિકિટ મળે તે માટે ભલામણ પણ કરતા હોય છે. ત્યારે પાર્ટીના વરિષ્ટ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પાર્ટી સમક્ષ એવી માગ રાખી જેને જોઈ તમામ નેતા સ્તબ્ધ થઈ ગયા. વજુભાઈએ પોતાના સેક્રેટરી માટે ટિકિટની માગ કરી છે.

નીતિન પટેલના હિંદુત્વ વાળા નિવેદન પર વજુભાઈ વાળા સમર્થન કરતાં ખચકાયા? વાંચો  શું કહ્યું | Hesitant to support Vajubhai on Nitin Patel's Hindutva  statement? Read what said

પોતાના સેક્રેટરી માટે માગી ટિકિટ

ચૂંટણી નજીક આવી રહી છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર છે. કોને ક્યાંથી ટિકિટ આપવી તે અંગે વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ત્યારે ભાજપના વરિષ્ટ નેતા વજુભાઈ વાળાએ પોતાના પર્સનલ સેક્રેટરીના નામની રજૂઆત કરી છે. રાજકોટની ટિકિટ માટે તેજસ ભટ્ટીના નામની ભલામણ કરવા તેઓ પહોંચ્યા હતા. તેમની રજૂઆતને જોઈ પાર્ટીના અનેક નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા. 

ટિકિટ ફાળવણી દરમિયાન નેતાઓ થઈ શકે છે નારાજ

વજુભાઈ વાળાએ પોતાની વાત કમલમમાં તો વ્યક્ત કરી પરંતુ તેઓ આ વાતની રજુઆત કરવા સી.આર.પાટીલના ઘરે પણ પહોંચ્યા હતા. નેતાઓ દ્વારા કરવામાં આવતી આવી માગને કારણે પાર્ટીની ચિંતામાં વધારો થઈ શકે છે. કારણ કે આ સમયે કોઈ પણ નેતાને નારાજ ન કરી શકાય ઉપરાંત દરેક લોકોને ટિકિટ પણ આપી ન શકાય. ત્યારે પાર્ટી કયા ઉમેદવારને ટિકિટ આપે છે તે ટૂંક સમયમાં જાહેર થઈ જશે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.