Rajkot Loksabha Seat માટે Congress આ પાટીદાર ચહેરાને ઉતારી શકે છે Parshottam Rupala સામે? શું સંભવિત ઉમેદવાર Paresh Dhanani તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:05:43

લોકસભાની ચુંટણી તો જાહેર થઈ ગઈ છે પણ ગુજરાતમાં અનેક બેઠકો હજી પણ એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થયું. કારણ કે ભાજપ અને કોંગ્રેસનું અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલુ છે. ભાજપે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અમરેલીથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

Elections over, but Patidars still a defining factor in Gujarat politics |  Mint

ગુજરાતની 7થી 8 બેઠકો માટે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત 7 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આ કફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ત્રીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાત ઉમેદવારના નામોનું એલાન થઈ શકે છે તેવી શક્યતા છે. સંભવિત ઉમેદવારોને હાઈકમાન્ડે ફોન કરીને જાણ પણ કરી દીધી છે. જેમાં એક રાજકોટ બેઠક પણ છે જ્યાં જંગ જામશે કારણ કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાને ટિકીટ આપી છે. 

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India

પરેશભાઈ બની શકે છે અમરેલીથી ઉમેદવાર 

ભાજપના ઉમેદવારને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે. જમાવટની ટીમે જ્યારે પરેશભાઈને ફોન કરીને એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડયો નથી. એટલે આ સસ્પેન્સ હજી સુધી બરકરાર રહ્યું છે કે શું સાચે તેમના નામ પર મહોર લાગી છે? પરેશભાઈ માટે એવું માનવામાં આવતું હતું કે તેમને અમરેલી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી શકે છે.  


22 વર્ષ બાદ આમને સામને આવી શકે છે બે પાટીદાર નેતાઓ! 

આ જંગ કેમ રસપ્રદ રેહવાની છે એની વાત કરીએ તો 22 વર્ષ બાદ રાજકોટમાં પરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. આની પહેલા જ્યારે બંને વચ્ચે જંગ જામ્યો હતો તે ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે હવે આ વખતે લોકસભાની ચૂંટણી છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. એટલે ફરી આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અને અહિયાં હવે પાટીદારો કોને પસંદ કરે છે એ જોવાનું છે 


રાજકોટ બેઠક માટે કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસની વાત કરી તો  પુરુષોત્તમ રૂપાલાની સામે 2-3 નામની ચર્ચાઓ થતી હતી  પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ હતા જોકે બે દિવસ પહેલા ચિત્ર અલગ હતું બે દિવસ પહેલા રાજકોટ બેઠક પરથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગણી કરી હતી એટલે એમનું નામ પણ આ રેસમાં હતું હવે કોંગ્રેસ યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય. તમને શું લાગે છે કોને મળશે ટિકીટ? એવી પણ માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હાઈકમાન્ડ તેમને મનાવાની કોશિશ કરી રહી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.