Rajkot Loksabha Seat માટે Congress આ પાટીદાર ચહેરાને ઉતારી શકે છે Parshottam Rupala સામે? શું સંભવિત ઉમેદવાર Paresh Dhanani તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:05:43

લોકસભાની ચુંટણી તો જાહેર થઈ ગઈ છે પણ ગુજરાતમાં અનેક બેઠકો હજી પણ એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થયું. કારણ કે ભાજપ અને કોંગ્રેસનું અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલુ છે. ભાજપે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અમરેલીથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

Elections over, but Patidars still a defining factor in Gujarat politics |  Mint

ગુજરાતની 7થી 8 બેઠકો માટે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત 7 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આ કફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ત્રીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાત ઉમેદવારના નામોનું એલાન થઈ શકે છે તેવી શક્યતા છે. સંભવિત ઉમેદવારોને હાઈકમાન્ડે ફોન કરીને જાણ પણ કરી દીધી છે. જેમાં એક રાજકોટ બેઠક પણ છે જ્યાં જંગ જામશે કારણ કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાને ટિકીટ આપી છે. 

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India

પરેશભાઈ બની શકે છે અમરેલીથી ઉમેદવાર 

ભાજપના ઉમેદવારને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે. જમાવટની ટીમે જ્યારે પરેશભાઈને ફોન કરીને એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડયો નથી. એટલે આ સસ્પેન્સ હજી સુધી બરકરાર રહ્યું છે કે શું સાચે તેમના નામ પર મહોર લાગી છે? પરેશભાઈ માટે એવું માનવામાં આવતું હતું કે તેમને અમરેલી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી શકે છે.  


22 વર્ષ બાદ આમને સામને આવી શકે છે બે પાટીદાર નેતાઓ! 

આ જંગ કેમ રસપ્રદ રેહવાની છે એની વાત કરીએ તો 22 વર્ષ બાદ રાજકોટમાં પરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. આની પહેલા જ્યારે બંને વચ્ચે જંગ જામ્યો હતો તે ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે હવે આ વખતે લોકસભાની ચૂંટણી છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. એટલે ફરી આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અને અહિયાં હવે પાટીદારો કોને પસંદ કરે છે એ જોવાનું છે 


રાજકોટ બેઠક માટે કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસની વાત કરી તો  પુરુષોત્તમ રૂપાલાની સામે 2-3 નામની ચર્ચાઓ થતી હતી  પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ હતા જોકે બે દિવસ પહેલા ચિત્ર અલગ હતું બે દિવસ પહેલા રાજકોટ બેઠક પરથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગણી કરી હતી એટલે એમનું નામ પણ આ રેસમાં હતું હવે કોંગ્રેસ યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય. તમને શું લાગે છે કોને મળશે ટિકીટ? એવી પણ માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હાઈકમાન્ડ તેમને મનાવાની કોશિશ કરી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.