Rajkot Loksabha Seat માટે Congress આ પાટીદાર ચહેરાને ઉતારી શકે છે Parshottam Rupala સામે? શું સંભવિત ઉમેદવાર Paresh Dhanani તો નથીને?


  • Published By :
  • Published Date : 2024-03-21 14:05:43

લોકસભાની ચુંટણી તો જાહેર થઈ ગઈ છે પણ ગુજરાતમાં અનેક બેઠકો હજી પણ એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ નથી થયું. કારણ કે ભાજપ અને કોંગ્રેસનું અમુક બેઠકો પર કોકડું ગુંચવાયેલુ છે. ભાજપે ચાર બેઠકો માટે ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યારે કોંગ્રેસે માત્ર 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે અંગેની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અમરેલીથી કોંગ્રેસ પરેશ ધાનાણીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

Elections over, but Patidars still a defining factor in Gujarat politics |  Mint

ગુજરાતની 7થી 8 બેઠકો માટે કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર 

ભારતીય જનતા પાર્ટી દ્વારા 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તો કોંગ્રેસે અત્યાર સુધીમાં ગુજરાત 7 ઉમેદવારોના નામની ઘોષણા કરી છે તેમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવારે તો ઉમેદવારી જ પરત ખેંચી છે. આ કફોડી સ્થિતી વચ્ચે કોંગ્રેસ હાઈકમાન્ડ ત્રીજી યાદી જાહેર કરી શકે છે જેમાં ગુજરાત કોંગ્રસેના વધુ સાત ઉમેદવારના નામોનું એલાન થઈ શકે છે તેવી શક્યતા છે. સંભવિત ઉમેદવારોને હાઈકમાન્ડે ફોન કરીને જાણ પણ કરી દીધી છે. જેમાં એક રાજકોટ બેઠક પણ છે જ્યાં જંગ જામશે કારણ કે ભાજપે રાજકોટ બેઠક પર કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલાને ટિકીટ આપી છે. 

Parshottam Rupala Official Website | Union Cabinet Minister of Fisheries,  Animal Husbandry and Dairying - Govt. of India

પરેશભાઈ બની શકે છે અમરેલીથી ઉમેદવાર 

ભાજપના ઉમેદવારને જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે પણ પાટીદાર યુવા ચહેરો અને પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપવાનું મન બનાવ્યુ છે. જમાવટની ટીમે જ્યારે પરેશભાઈને ફોન કરીને એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડયો નથી. એટલે આ સસ્પેન્સ હજી સુધી બરકરાર રહ્યું છે કે શું સાચે તેમના નામ પર મહોર લાગી છે? પરેશભાઈ માટે એવું માનવામાં આવતું હતું કે તેમને અમરેલી બેઠક પરથી ટિકીટ આપવામાં આવી શકે છે.  


22 વર્ષ બાદ આમને સામને આવી શકે છે બે પાટીદાર નેતાઓ! 

આ જંગ કેમ રસપ્રદ રેહવાની છે એની વાત કરીએ તો 22 વર્ષ બાદ રાજકોટમાં પરુષોત્તમ રુપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જંગ જામશે. આની પહેલા જ્યારે બંને વચ્ચે જંગ જામ્યો હતો તે ચૂંટણી વિધાનસભાની હતી ત્યારે હવે આ વખતે લોકસભાની ચૂંટણી છે. વર્ષ 2002માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. એટલે ફરી આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળવાની છે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અને અહિયાં હવે પાટીદારો કોને પસંદ કરે છે એ જોવાનું છે 


રાજકોટ બેઠક માટે કોના કોના નામોની થઈ રહી છે ચર્ચા? 

કોંગ્રેસની વાત કરી તો  પુરુષોત્તમ રૂપાલાની સામે 2-3 નામની ચર્ચાઓ થતી હતી  પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામ હતા જોકે બે દિવસ પહેલા ચિત્ર અલગ હતું બે દિવસ પહેલા રાજકોટ બેઠક પરથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસિયાએ ટિકિટની માંગણી કરી હતી એટલે એમનું નામ પણ આ રેસમાં હતું હવે કોંગ્રેસ યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય. તમને શું લાગે છે કોને મળશે ટિકીટ? એવી પણ માહિતી સામે આવી રહી છે કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને હાઈકમાન્ડ તેમને મનાવાની કોશિશ કરી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.