ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં થશે ધૂળેટીની ઉજવણી, ધારાસભ્યો રમશે ધૂળેટી


  • Published By :
  • Published Date : 2023-03-07 12:34:53

સમગ્ર દેશમાં હોળી પર્વની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે 182 ધારાસભ્યો વિધાનસભા સત્ર પહેલા ધૂળેટીની ઉજવણી કરશે.


કેસુડાથી ધારાસભ્યો રમશે ધૂળેટી

હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ધૂળેટી પર્વની ઉજવણી આવતીકાલે થવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ધારાસભ્યો અને સ્ટાફ હોળીની ઉજવણી કરવાના છે. વિધાનસભા બહાર ધૂળેટી મનાવવામાં આવશે. લોકોમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી ધૂળેટીની ઉજવણી કરે તેવો મેસેજ જાય તે માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા પરિસરમાં ધૂળેટીનું આયોજન કરવા અધ્યક્ષ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈ અધ્યક્ષે મંજૂરી આપી દીધી હતી. પરવાનગી મળતા ધૂળેટીને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા 100 કિલો જેટલા કેસુડાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો એક સાથે હોળી રમવાના છે.           



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.