ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં થશે ધૂળેટીની ઉજવણી, ધારાસભ્યો રમશે ધૂળેટી


  • Published By :
  • Published Date : 2023-03-07 12:34:53

સમગ્ર દેશમાં હોળી પર્વની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે 182 ધારાસભ્યો વિધાનસભા સત્ર પહેલા ધૂળેટીની ઉજવણી કરશે.


કેસુડાથી ધારાસભ્યો રમશે ધૂળેટી

હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ધૂળેટી પર્વની ઉજવણી આવતીકાલે થવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ધારાસભ્યો અને સ્ટાફ હોળીની ઉજવણી કરવાના છે. વિધાનસભા બહાર ધૂળેટી મનાવવામાં આવશે. લોકોમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી ધૂળેટીની ઉજવણી કરે તેવો મેસેજ જાય તે માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા પરિસરમાં ધૂળેટીનું આયોજન કરવા અધ્યક્ષ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈ અધ્યક્ષે મંજૂરી આપી દીધી હતી. પરવાનગી મળતા ધૂળેટીને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા 100 કિલો જેટલા કેસુડાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો એક સાથે હોળી રમવાના છે.           



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.