ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં થશે ધૂળેટીની ઉજવણી, ધારાસભ્યો રમશે ધૂળેટી


  • Published By :
  • Published Date : 2023-03-07 12:34:53

સમગ્ર દેશમાં હોળી પર્વની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે 182 ધારાસભ્યો વિધાનસભા સત્ર પહેલા ધૂળેટીની ઉજવણી કરશે.


કેસુડાથી ધારાસભ્યો રમશે ધૂળેટી

હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ધૂળેટી પર્વની ઉજવણી આવતીકાલે થવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ધારાસભ્યો અને સ્ટાફ હોળીની ઉજવણી કરવાના છે. વિધાનસભા બહાર ધૂળેટી મનાવવામાં આવશે. લોકોમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી ધૂળેટીની ઉજવણી કરે તેવો મેસેજ જાય તે માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા પરિસરમાં ધૂળેટીનું આયોજન કરવા અધ્યક્ષ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈ અધ્યક્ષે મંજૂરી આપી દીધી હતી. પરવાનગી મળતા ધૂળેટીને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા 100 કિલો જેટલા કેસુડાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો એક સાથે હોળી રમવાના છે.           



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.