ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં થશે ધૂળેટીની ઉજવણી, ધારાસભ્યો રમશે ધૂળેટી


  • Published By :
  • Published Date : 2023-03-07 12:34:53

સમગ્ર દેશમાં હોળી પર્વની ગઈકાલે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અનેક સ્થળો પર હોળીકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ધૂળેટીની ઉજવણી બુધવારે કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. મંગળવારે 182 ધારાસભ્યો વિધાનસભા સત્ર પહેલા ધૂળેટીની ઉજવણી કરશે.


કેસુડાથી ધારાસભ્યો રમશે ધૂળેટી

હાલ વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ધૂળેટી પર્વની ઉજવણી આવતીકાલે થવાની છે. ત્યારે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવવાની છે. ધારાસભ્યો અને સ્ટાફ હોળીની ઉજવણી કરવાના છે. વિધાનસભા બહાર ધૂળેટી મનાવવામાં આવશે. લોકોમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરી ધૂળેટીની ઉજવણી કરે તેવો મેસેજ જાય તે માટે કેસુડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભા પરિસરમાં ધૂળેટીનું આયોજન કરવા અધ્યક્ષ પાસે મંજૂરી માગવામાં આવી હતી. જેને લઈ અધ્યક્ષે મંજૂરી આપી દીધી હતી. પરવાનગી મળતા ધૂળેટીને લઈ તૈયારીઓ કરવામાં આવી હતી. ધૂળેટીની ઉજવણી કરવા 100 કિલો જેટલા કેસુડાનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. તમામ ધારાસભ્યો એક સાથે હોળી રમવાના છે.           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.