સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં કર્યો હતો રોડ-શો, કોંગ્રેસે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:05:58

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ પાર્ટી રોડ-શો, જનસભા કરી રહ્યા છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને પ્રચાર માટે ઉતારી છે. વડાપ્રધાન મોદી ખુદ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવાસના બંને દિવસો દરમિયાન રોડ-શો યોજ્યો હતો. આ રોડ શો પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ

બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. એક પહેલા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા યોજી હતી. ઉપરાંત બંને દિવસો દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીના રોડ શોને કારણે અનેક લોકોને હેરાનગતિ થઈ હતી. ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેના પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આજે કેમ આપણા વડાપ્રધાન દેશના મુશ્કિલ સમયમાં અહીં રોડ-શો કરી રહ્યા છે? કેમ?


રસ્તા બંધ થવાથી લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી ડિસેમ્બર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન રોડ શો યોજ્યો હતો જેમાં અનેક બેઠકોને આવરી લીધી હતી. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન તેમણે કોટ વિસ્તારમાં રોડ-શો યોજ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રોડ-શો અચાનક નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન પહેલા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.          



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.