સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં કર્યો હતો રોડ-શો, કોંગ્રેસે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:05:58

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ પાર્ટી રોડ-શો, જનસભા કરી રહ્યા છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને પ્રચાર માટે ઉતારી છે. વડાપ્રધાન મોદી ખુદ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવાસના બંને દિવસો દરમિયાન રોડ-શો યોજ્યો હતો. આ રોડ શો પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ

બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. એક પહેલા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા યોજી હતી. ઉપરાંત બંને દિવસો દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીના રોડ શોને કારણે અનેક લોકોને હેરાનગતિ થઈ હતી. ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેના પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આજે કેમ આપણા વડાપ્રધાન દેશના મુશ્કિલ સમયમાં અહીં રોડ-શો કરી રહ્યા છે? કેમ?


રસ્તા બંધ થવાથી લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી ડિસેમ્બર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન રોડ શો યોજ્યો હતો જેમાં અનેક બેઠકોને આવરી લીધી હતી. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન તેમણે કોટ વિસ્તારમાં રોડ-શો યોજ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રોડ-શો અચાનક નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન પહેલા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.          



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.