સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં કર્યો હતો રોડ-શો, કોંગ્રેસે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:05:58

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ પાર્ટી રોડ-શો, જનસભા કરી રહ્યા છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને પ્રચાર માટે ઉતારી છે. વડાપ્રધાન મોદી ખુદ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવાસના બંને દિવસો દરમિયાન રોડ-શો યોજ્યો હતો. આ રોડ શો પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ

બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. એક પહેલા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા યોજી હતી. ઉપરાંત બંને દિવસો દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીના રોડ શોને કારણે અનેક લોકોને હેરાનગતિ થઈ હતી. ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેના પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આજે કેમ આપણા વડાપ્રધાન દેશના મુશ્કિલ સમયમાં અહીં રોડ-શો કરી રહ્યા છે? કેમ?


રસ્તા બંધ થવાથી લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી ડિસેમ્બર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન રોડ શો યોજ્યો હતો જેમાં અનેક બેઠકોને આવરી લીધી હતી. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન તેમણે કોટ વિસ્તારમાં રોડ-શો યોજ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રોડ-શો અચાનક નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન પહેલા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.          



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.