સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં કર્યો હતો રોડ-શો, કોંગ્રેસે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ


  • Published By :
  • Published Date : 2022-12-03 12:05:58

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કાની ચૂંટણીને લઈ તમામ પાર્ટી રોડ-શો, જનસભા કરી રહ્યા છે. ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની ફોજને પ્રચાર માટે ઉતારી છે. વડાપ્રધાન મોદી ખુદ પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના પ્રવાસના બંને દિવસો દરમિયાન રોડ-શો યોજ્યો હતો. આ રોડ શો પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે.

શક્તિસિંહ ગોહિલે પીએમના રોડ-શો પર કર્યો કટાક્ષ

બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાની છે. એક પહેલા દરેક પાર્ટી પ્રચાર કરી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા યોજી હતી. ઉપરાંત બંને દિવસો દરમિયાન તેમણે રોડ શો યોજ્યો હતો. પ્રધાનમંત્રીના રોડ શોને કારણે અનેક લોકોને હેરાનગતિ થઈ હતી. ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જેના પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ટ્વિટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે આજે કેમ આપણા વડાપ્રધાન દેશના મુશ્કિલ સમયમાં અહીં રોડ-શો કરી રહ્યા છે? કેમ?


રસ્તા બંધ થવાથી લોકોને કરવો પડ્યો મુશ્કેલીનો સામનો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી ડિસેમ્બર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન રોડ શો યોજ્યો હતો જેમાં અનેક બેઠકોને આવરી લીધી હતી. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન તેમણે કોટ વિસ્તારમાં રોડ-શો યોજ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ રોડ-શો અચાનક નક્કી કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના આગમન પહેલા અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.          



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.