93 બેઠકો પર યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે સાંજના પાંચ વાગ્યાથી શાંત થશે પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2022-12-03 11:31:51

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે દરેક પાર્ટી દ્વારા જોરશોરથી તેમજ મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરશે. 

Gujarat Elections 2022: Congress deputes Zonal, Lok Sabha and other  observers with immediate effect - The Times of India

14 જિલ્લાની બેઠકો માટે યોજાશે મતદાન 

ગુજરાતમાં આ વખેત ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાકો પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ થઈ કરી દેવો પડે છે. જે અંતર્ગત જાહેર સભા, રોડ શો તેમજ રેલી કાઢી શકાતી નથી. ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પોતાની રીતે તમામ પ્રયાસ કરી રહી છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમાં 833 ઉમેદવારોના ભાવી નક્કી થવાના છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.