93 બેઠકો પર યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે સાંજના પાંચ વાગ્યાથી શાંત થશે પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2022-12-03 11:31:51

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે દરેક પાર્ટી દ્વારા જોરશોરથી તેમજ મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરશે. 

Gujarat Elections 2022: Congress deputes Zonal, Lok Sabha and other  observers with immediate effect - The Times of India

14 જિલ્લાની બેઠકો માટે યોજાશે મતદાન 

ગુજરાતમાં આ વખેત ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાકો પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ થઈ કરી દેવો પડે છે. જે અંતર્ગત જાહેર સભા, રોડ શો તેમજ રેલી કાઢી શકાતી નથી. ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પોતાની રીતે તમામ પ્રયાસ કરી રહી છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમાં 833 ઉમેદવારોના ભાવી નક્કી થવાના છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.