93 બેઠકો પર યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટે સાંજના પાંચ વાગ્યાથી શાંત થશે પ્રચાર પડઘમ


  • Published By :
  • Published Date : 2022-12-03 11:31:51

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે દરેક પાર્ટી દ્વારા જોરશોરથી તેમજ મોટા પાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજા તબક્કામાં બાકી રહેલી 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરશે. 

Gujarat Elections 2022: Congress deputes Zonal, Lok Sabha and other  observers with immediate effect - The Times of India

14 જિલ્લાની બેઠકો માટે યોજાશે મતદાન 

ગુજરાતમાં આ વખેત ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. નિયમો અનુસાર ચૂંટણીના 48 કલાકો પૂર્વે ચૂંટણી પ્રચાર બંધ થઈ કરી દેવો પડે છે. જે અંતર્ગત જાહેર સભા, રોડ શો તેમજ રેલી કાઢી શકાતી નથી. ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા દરેક પાર્ટી પોતાની રીતે તમામ પ્રયાસ કરી રહી છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. જેમાં 833 ઉમેદવારોના ભાવી નક્કી થવાના છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.