ભારતમાં એક મહિનામાં બીજી વખત પાકિસ્તાન સરકારના ટ્વીટર એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવાયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 13:15:37

ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ 25 દિવસમાં બીજી વખત બ્લોક કરવામાં આવ્યું છે. આ પહેલા 7 સપ્ટેમ્બરે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Official Twitter handle of the Govt of Pakistan withheld in India

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં ફરી એકવાર બ્લોક કરવામાં આવ્યું છે. મતલબ કે હવે પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ ભારતમાં નહીં ખુલે. મળતી માહિતી મુજબ, ભારત સરકારની કાયદાકીય માંગ બાદ ટ્વિટર ઈન્ડિયાએ આ પગલું ભર્યું છે. આ પહેલા 7 સપ્ટેમ્બરે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલનું નામ @GovtofPakistan છે. હાલમાં ભારતમાં તેના પર પ્રતિબંધ છે. મતલબ કે તેના પર જે વસ્તુઓ લખાઈ રહી છે તે અત્યારે ભારતમાં જોઈ શકાતી નથી.


કાયદાકીય માંગણી બાદ કાર્યવાહી કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે ભારત, અમેરિકા સહિત ઘણા દેશોમાં એવા કાયદા છે જે ટ્વિટ અથવા ટ્વિટર એકાઉન્ટની સામગ્રી પર લાગુ થઈ શકે છે. જો Twitter ને કોઈપણ દેશ અથવા સંસ્થા તરફથી કાનૂની વિનંતી પ્રાપ્ત થાય છે, તો તે ચોક્કસ દેશમાં સમય સમય પર અમુક સામગ્રીની ઍક્સેસ અવરોધિત કરવામાં આવે છે. આ પહેલા પણ પાકિસ્તાનના કેટલાક ટ્વિટર હેન્ડલ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા છે. જે બાદ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી. પાકિસ્તાન સરકારે પણ આનો વિરોધ કર્યો હતો.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.