સતત ત્રીજા દિવસે રખડતા ઢોર અને ટ્રેન વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:20

રખડતા ઢોરને કારણે અનેક ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે વંદે ભારત ટ્રેનના સળંગ બે દિવસ અકસ્માત સર્જાયા હતા. ત્યારે ફરી એક વખત રખડતા પશુને કારણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે. આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત થતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. 

22954 Gujarat Superfast Express - Indian Railways !! - YouTube

વંદે ભારત ટ્રેન બાદ થયો ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત 

થોડા સમય પહેલા જ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ જ વંદે ભારતનો એક્સિડન્ટ ભેંસ અને ગાય સાથે થયો છે. ઝડપ સાથે આવી રહેલી ટ્રેનનો અકસ્માત રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકસાન થયું છે. ત્યારે આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે.  આણંદથી નડિયાદ તરફ જતી વખતે ટ્રેનનો અકસ્માત થયો છે. બે દિવસ સળંગ અકસ્માત થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ત્રીજા દિવસે પણ રખડતા ઢોરને કારણે ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો.


ટ્રેન માટે પણ આફત બન્યા રખડતા પશુઓ

ત્યારે સળંગ ત્રીજા દિવસે ગાયનો ટ્રેન સાથે અકસ્માત થતા રેલવેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. આજે વંદે ભારત ટ્રેન નહીં પરંતુ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હજી સુધી રખડતા ઢોરને કારણે રસ્તા પર અનેક અકસ્માત સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે. વાહનચાલકો માટે તો રખડતા ઢોર મુશ્કેલી સમાન બની ગયા છે ત્યારે ટ્રેન માટે પણ રખડતા ઢોર આફત બની ગયા છે.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે