સતત ત્રીજા દિવસે રખડતા ઢોર અને ટ્રેન વચ્ચે સર્જાયો અકસ્માત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 17:29:20

રખડતા ઢોરને કારણે અનેક ટ્રેનોના અકસ્માત સર્જાઈ રહ્યા છે. રખડતા ઢોરને કારણે વંદે ભારત ટ્રેનના સળંગ બે દિવસ અકસ્માત સર્જાયા હતા. ત્યારે ફરી એક વખત રખડતા પશુને કારણે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનને અકસ્માત નડ્યો છે. આણંદથી નડિયાદ તરફ જતી ટ્રેનનો અકસ્માત થતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. 

22954 Gujarat Superfast Express - Indian Railways !! - YouTube

વંદે ભારત ટ્રેન બાદ થયો ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત 

થોડા સમય પહેલા જ વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેન શરૂ થયાના થોડા દિવસો બાદ જ વંદે ભારતનો એક્સિડન્ટ ભેંસ અને ગાય સાથે થયો છે. ઝડપ સાથે આવી રહેલી ટ્રેનનો અકસ્માત રખડતા ઢોરને કારણે ટ્રેનને નુકસાન થયું છે. ત્યારે આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે.  આણંદથી નડિયાદ તરફ જતી વખતે ટ્રેનનો અકસ્માત થયો છે. બે દિવસ સળંગ અકસ્માત થતા લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે ત્રીજા દિવસે પણ રખડતા ઢોરને કારણે ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો.


ટ્રેન માટે પણ આફત બન્યા રખડતા પશુઓ

ત્યારે સળંગ ત્રીજા દિવસે ગાયનો ટ્રેન સાથે અકસ્માત થતા રેલવેની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠ્યા છે. આજે વંદે ભારત ટ્રેન નહીં પરંતુ ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ પેસેન્જરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હજી સુધી રખડતા ઢોરને કારણે રસ્તા પર અનેક અકસ્માત સર્જાતા રહે છે અને લોકોના જીવ જતા રહે છે. વાહનચાલકો માટે તો રખડતા ઢોર મુશ્કેલી સમાન બની ગયા છે ત્યારે ટ્રેન માટે પણ રખડતા ઢોર આફત બની ગયા છે.      




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .