વિદેશ મંત્રી એસ. જયશંકરનો આ મિસ્ત્ર પ્રવાસે કંઈક ખાસ રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:12:45

ભારતની વિદેશ નીતિ મજબૂતાઈથી અન્ય દેશોમાં ભારતનો પ્રભાવ છોડી રહી છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જઈ રહ્યા છે. 


15-16 ઓક્ટોબરે મિસ્ત્ર પ્રવાસે જશે વિદેશમંત્રી 

કેન્દ્રીય વિદેશ મંત્રી અને પૂર્વ રાજદ્વારી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જશે. વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રીમંડળમાં એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા ત્યારથી તેમનો આ મિસ્ત્રનો પહેલો પ્રવાસ હશે. મિસ્ત્રની આ તેમની પહેલી દ્વિપક્ષીય બેઠક હશે. આ વિદેશ પ્રવાસમાં તેઓ મિસ્ત્રના સમકક્ષ સાથે અનેક દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


મિસ્ત્રના ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે વાત 

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત તરફથી પોતાનો મજબૂતાઈથી પક્ષ રાખતા જોવા મળ્યા છે. તેઓ પોતાની મિસ્ત્ર યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે. મિસ્ત્રના ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ભારતમાં આર્થિક રોકાણો કરવા માટે આમંત્રણ આપશે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે