વિદેશ મંત્રી એસ. જયશંકરનો આ મિસ્ત્ર પ્રવાસે કંઈક ખાસ રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:12:45

ભારતની વિદેશ નીતિ મજબૂતાઈથી અન્ય દેશોમાં ભારતનો પ્રભાવ છોડી રહી છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જઈ રહ્યા છે. 


15-16 ઓક્ટોબરે મિસ્ત્ર પ્રવાસે જશે વિદેશમંત્રી 

કેન્દ્રીય વિદેશ મંત્રી અને પૂર્વ રાજદ્વારી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જશે. વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રીમંડળમાં એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા ત્યારથી તેમનો આ મિસ્ત્રનો પહેલો પ્રવાસ હશે. મિસ્ત્રની આ તેમની પહેલી દ્વિપક્ષીય બેઠક હશે. આ વિદેશ પ્રવાસમાં તેઓ મિસ્ત્રના સમકક્ષ સાથે અનેક દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


મિસ્ત્રના ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે વાત 

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત તરફથી પોતાનો મજબૂતાઈથી પક્ષ રાખતા જોવા મળ્યા છે. તેઓ પોતાની મિસ્ત્ર યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે. મિસ્ત્રના ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ભારતમાં આર્થિક રોકાણો કરવા માટે આમંત્રણ આપશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .