વિદેશ મંત્રી એસ. જયશંકરનો આ મિસ્ત્ર પ્રવાસે કંઈક ખાસ રહેશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 15:12:45

ભારતની વિદેશ નીતિ મજબૂતાઈથી અન્ય દેશોમાં ભારતનો પ્રભાવ છોડી રહી છે ત્યારે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જઈ રહ્યા છે. 


15-16 ઓક્ટોબરે મિસ્ત્ર પ્રવાસે જશે વિદેશમંત્રી 

કેન્દ્રીય વિદેશ મંત્રી અને પૂર્વ રાજદ્વારી એસ જયશંકર મિસ્ત્રના પ્રવાસે જશે. વર્ષ 2019માં કેન્દ્રીય મંત્રીમંડળમાં એસ જયશંકર વિદેશ મંત્રી બન્યા ત્યારથી તેમનો આ મિસ્ત્રનો પહેલો પ્રવાસ હશે. મિસ્ત્રની આ તેમની પહેલી દ્વિપક્ષીય બેઠક હશે. આ વિદેશ પ્રવાસમાં તેઓ મિસ્ત્રના સમકક્ષ સાથે અનેક દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


મિસ્ત્રના ભારતીય વિદ્યાર્થીઓ સાથે કરશે વાત 

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકર તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત તરફથી પોતાનો મજબૂતાઈથી પક્ષ રાખતા જોવા મળ્યા છે. તેઓ પોતાની મિસ્ત્ર યાત્રામાં વિદ્યાર્થીઓ સાથે ભારતીય મૂળના લોકો સાથે પણ મુલાકાત કરશે. મિસ્ત્રના ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને ભારતમાં આર્થિક રોકાણો કરવા માટે આમંત્રણ આપશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.