ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા બે યુવકોની ધરપકડ, ભાજપના નેતા સામે કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-05-17 20:23:02

ગીરના જંગલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની પજવણી વધી રહી છે, આ પ્રકારની વધતી ઘટનાઓને લઈ વન્યજીવ પ્રેમીઓ પણ ચિંતિંત છે. ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે વનવિભાગે કાર્યવાહી કરી બે જણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.  


સમગ્ર મામલો શું હતો


ગીર પૂર્વ ડિવિઝન નીચે આવતી જસાધાર રેન્જમાં આવતા ગીર ગઢડા તાલુકાના ખઇલાવડ ગામ નજીક પીઠાગાળા રેવન્યુ વિસ્તારના નામે જાણીતા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચનો પ્રકાશ ફેંકી સિંહની પજવણી કરતા નજરે પડે છે. એક શખ્સ સિંહ પર પથ્થરો ફેંકતો પણ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણીનો આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે વનવિભાગના આર.એફ.ઓ.એલ.બી.ભરવાડની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચોક્કસ માહિતીના આધારે આરોપી હરેશભાઇ નાથાભાઇ બાંબા,મધુભાઈ ઘુડાભાઈ જોગદીયા નવાઉગલા ગામેથી દબોચી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરાતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.


ભાજપના નેતા પ્રદીપ ભાખડ સામે કાર્યવાહી ક્યારે?

 

વનવિભાગ દ્વારા ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ વિસ્તારમાં પજવણી કરનારા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જો કે અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ વીડિયોમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ દેખાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરાઈ તો રાજકીય નેતાઓ સામે હજુ સુધી કેમ થઈ નથી? 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.