ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા બે યુવકોની ધરપકડ, ભાજપના નેતા સામે કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-05-17 20:23:02

ગીરના જંગલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની પજવણી વધી રહી છે, આ પ્રકારની વધતી ઘટનાઓને લઈ વન્યજીવ પ્રેમીઓ પણ ચિંતિંત છે. ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે વનવિભાગે કાર્યવાહી કરી બે જણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.  


સમગ્ર મામલો શું હતો


ગીર પૂર્વ ડિવિઝન નીચે આવતી જસાધાર રેન્જમાં આવતા ગીર ગઢડા તાલુકાના ખઇલાવડ ગામ નજીક પીઠાગાળા રેવન્યુ વિસ્તારના નામે જાણીતા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચનો પ્રકાશ ફેંકી સિંહની પજવણી કરતા નજરે પડે છે. એક શખ્સ સિંહ પર પથ્થરો ફેંકતો પણ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણીનો આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે વનવિભાગના આર.એફ.ઓ.એલ.બી.ભરવાડની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચોક્કસ માહિતીના આધારે આરોપી હરેશભાઇ નાથાભાઇ બાંબા,મધુભાઈ ઘુડાભાઈ જોગદીયા નવાઉગલા ગામેથી દબોચી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરાતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.


ભાજપના નેતા પ્રદીપ ભાખડ સામે કાર્યવાહી ક્યારે?

 

વનવિભાગ દ્વારા ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ વિસ્તારમાં પજવણી કરનારા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જો કે અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ વીડિયોમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ દેખાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરાઈ તો રાજકીય નેતાઓ સામે હજુ સુધી કેમ થઈ નથી? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.