ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા બે યુવકોની ધરપકડ, ભાજપના નેતા સામે કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-05-17 20:23:02

ગીરના જંગલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની પજવણી વધી રહી છે, આ પ્રકારની વધતી ઘટનાઓને લઈ વન્યજીવ પ્રેમીઓ પણ ચિંતિંત છે. ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે વનવિભાગે કાર્યવાહી કરી બે જણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.  


સમગ્ર મામલો શું હતો


ગીર પૂર્વ ડિવિઝન નીચે આવતી જસાધાર રેન્જમાં આવતા ગીર ગઢડા તાલુકાના ખઇલાવડ ગામ નજીક પીઠાગાળા રેવન્યુ વિસ્તારના નામે જાણીતા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચનો પ્રકાશ ફેંકી સિંહની પજવણી કરતા નજરે પડે છે. એક શખ્સ સિંહ પર પથ્થરો ફેંકતો પણ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણીનો આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે વનવિભાગના આર.એફ.ઓ.એલ.બી.ભરવાડની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચોક્કસ માહિતીના આધારે આરોપી હરેશભાઇ નાથાભાઇ બાંબા,મધુભાઈ ઘુડાભાઈ જોગદીયા નવાઉગલા ગામેથી દબોચી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરાતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.


ભાજપના નેતા પ્રદીપ ભાખડ સામે કાર્યવાહી ક્યારે?

 

વનવિભાગ દ્વારા ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ વિસ્તારમાં પજવણી કરનારા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જો કે અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ વીડિયોમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ દેખાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરાઈ તો રાજકીય નેતાઓ સામે હજુ સુધી કેમ થઈ નથી? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે