ગીર પૂર્વની જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા બે યુવકોની ધરપકડ, ભાજપના નેતા સામે કાર્યવાહી ન થતાં ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-05-17 20:23:02

ગીરના જંગલમાં અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની પજવણી વધી રહી છે, આ પ્રકારની વધતી ઘટનાઓને લઈ વન્યજીવ પ્રેમીઓ પણ ચિંતિંત છે. ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ખીલાવડ ગામના પીઠાગાળા રેવન્યુ વિસ્તારમાં સિંહની પજવણીનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો. સિંહને 2 શખ્સ દ્વારા લોખંડના પાઇપ અને પથ્થરો ફેંકી પજવણી કર્યાનો વીડિયો વાયરલ થતા સિંહ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. જો કે આ મામલે વનવિભાગે કાર્યવાહી કરી બે જણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.  


સમગ્ર મામલો શું હતો


ગીર પૂર્વ ડિવિઝન નીચે આવતી જસાધાર રેન્જમાં આવતા ગીર ગઢડા તાલુકાના ખઇલાવડ ગામ નજીક પીઠાગાળા રેવન્યુ વિસ્તારના નામે જાણીતા વિસ્તારનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં રાત્રિના સમયે બે શખ્સો ટોર્ચનો પ્રકાશ ફેંકી સિંહની પજવણી કરતા નજરે પડે છે. એક શખ્સ સિંહ પર પથ્થરો ફેંકતો પણ જોવા મળી રહ્યો છે. સિંહની પજવણીનો આ વીડિયો વાઈરલ થયા બાદ વનવિભાગ દ્વારા વાઈરલ વીડિયોના આધારે વનવિભાગના આર.એફ.ઓ.એલ.બી.ભરવાડની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં ચોક્કસ માહિતીના આધારે આરોપી હરેશભાઇ નાથાભાઇ બાંબા,મધુભાઈ ઘુડાભાઈ જોગદીયા નવાઉગલા ગામેથી દબોચી લીધા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરાતા જૂનાગઢ જેલ હવાલે કરાયા હતા.


ભાજપના નેતા પ્રદીપ ભાખડ સામે કાર્યવાહી ક્યારે?

 

વનવિભાગ દ્વારા ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ વિસ્તારમાં પજવણી કરનારા સામે મોટી કાર્યવાહી કરાઈ છે. જો કે અત્રે નોંધવા જેવી બાબત એ છે કે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ સામે કેમ કોઈ કાર્યવાહી થઈ નથી. વાયરલ વીડિયોમાં બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખડ દેખાય છે. પર્યાવરણ પ્રેમીઓમાં સવાલ થઈ રહ્યો છે સામાન્ય યુવકો સામે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરાઈ તો રાજકીય નેતાઓ સામે હજુ સુધી કેમ થઈ નથી? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.