મોરબીના જુના નાગડાવાસ ગામ નજીક મહિલા ફોરેસ્ટ અધિકારી પર હિચકારો હુમલો, બે સામે ફરિયાદ નોંધાઈ, સમગ્ર મામલો શું હતો, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-17 13:28:00

સરકારની કર્મચારીઓ જ્યારે ઈમાનદારીથી તેમની ફરજ નિભાવે છે ત્યારે તેમની જાનનું જોખમ વધી જાય છે. કાંઈક આવી જ ઘટના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામમાં જોવા મળી હતી. મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ નજીક ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારી  સોનલબેન નાનુભાઈ શીલુ સાથે બની છે. જુના નાગડાવાસ ગામ નજીક વૃક્ષો કપાતા હોવાની ફરિયાદના પગલે મહિલા ફોરેસ્ટ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનોએ બોલાચાલી કરી મહિલા અધિકારી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી. જેના કારણે મહિલાકર્મીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે થયેલ મારામારી મામલે મોરબી તાલુકા પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર ઘટના ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી આરોપી વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ફરિયાદ કરતા મોરબી વન વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતા સોનલબેન નાનુભાઇ શીલુ બનાવ સ્થળે ગયા હતા. જો કે, બનાવ સ્થળે કોઈ વૃક્ષ કાપવામાં ન આવ્યા હોવા છતાં આરોપીઓએ ગુજરાત ગેસના માણસોએ વૃક્ષ કાપ્યા છે તેવું લેખિતમાં આપવા દબાણ કરી ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા સોનલબેને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.  સોનલબેન મોબાઈલમાં વિડીયો ઉતારતા આરોપી જયેશ મિયાત્રા એ મોબાઈલ પડાવવા જતા મોબાઈલ નહિ આપતા ફરિયાદી સોનલબેનને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી આરોપી વસંતએ ફરિયાદી સોનલબેન ને છુટો પથ્થરનો ઘા મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં ફરજમાં સરકારી અધિકારીના કામમાં રુકાવટ સહિતની કલમો હેઠળ આઇપીસી કલમ 323,332,504 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.