મોરબીના જુના નાગડાવાસ ગામ નજીક મહિલા ફોરેસ્ટ અધિકારી પર હિચકારો હુમલો, બે સામે ફરિયાદ નોંધાઈ, સમગ્ર મામલો શું હતો, જાણો


  • Published By :
  • Published Date : 2023-09-17 13:28:00

સરકારની કર્મચારીઓ જ્યારે ઈમાનદારીથી તેમની ફરજ નિભાવે છે ત્યારે તેમની જાનનું જોખમ વધી જાય છે. કાંઈક આવી જ ઘટના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામમાં જોવા મળી હતી. મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ નજીક ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારી  સોનલબેન નાનુભાઈ શીલુ સાથે બની છે. જુના નાગડાવાસ ગામ નજીક વૃક્ષો કપાતા હોવાની ફરિયાદના પગલે મહિલા ફોરેસ્ટ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનોએ બોલાચાલી કરી મહિલા અધિકારી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી. જેના કારણે મહિલાકર્મીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે થયેલ મારામારી મામલે મોરબી તાલુકા પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


આ સમગ્ર ઘટના ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી આરોપી વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ફરિયાદ કરતા મોરબી વન વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતા સોનલબેન નાનુભાઇ શીલુ બનાવ સ્થળે ગયા હતા. જો કે, બનાવ સ્થળે કોઈ વૃક્ષ કાપવામાં ન આવ્યા હોવા છતાં આરોપીઓએ ગુજરાત ગેસના માણસોએ વૃક્ષ કાપ્યા છે તેવું લેખિતમાં આપવા દબાણ કરી ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા સોનલબેને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.  સોનલબેન મોબાઈલમાં વિડીયો ઉતારતા આરોપી જયેશ મિયાત્રા એ મોબાઈલ પડાવવા જતા મોબાઈલ નહિ આપતા ફરિયાદી સોનલબેનને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી આરોપી વસંતએ ફરિયાદી સોનલબેન ને છુટો પથ્થરનો ઘા મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં ફરજમાં સરકારી અધિકારીના કામમાં રુકાવટ સહિતની કલમો હેઠળ આઇપીસી કલમ 323,332,504 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.