આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર જોડાયા ભાજપમાં, સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-30 20:40:41

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે માત્ર 17 સીટો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.

 


જગદીશ ઠાકોરને લખ્યો પત્ર 

ગયા મહિને ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું છે. 17 સીટો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસને એકબાદ એક ઝટકા લાગી રહ્યા છે. 18થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે રાજીનામું આપી દીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. જગદીશ ઠાકોરને પત્ર લખી રાજીનામાની વાત કરી હતી.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.