આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર જોડાયા ભાજપમાં, સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-30 20:40:41

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે માત્ર 17 સીટો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.

 


જગદીશ ઠાકોરને લખ્યો પત્ર 

ગયા મહિને ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું છે. 17 સીટો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસને એકબાદ એક ઝટકા લાગી રહ્યા છે. 18થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે રાજીનામું આપી દીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. જગદીશ ઠાકોરને પત્ર લખી રાજીનામાની વાત કરી હતી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.