આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર જોડાયા ભાજપમાં, સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયો કર્યો ધારણ


  • Published By :
  • Published Date : 2023-01-30 20:40:41

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી ભાજપે 156 સીટો પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન એકદમ ખરાબ રહ્યું હતું. કોંગ્રેસે માત્ર 17 સીટો પર વિજય મેળવ્યો હતો. ચૂંટણી બાદ પણ કોંગ્રેસમાં નારાજગી યથાવત જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસને એક ફટકો પડ્યો છે. આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે.

 


જગદીશ ઠાકોરને લખ્યો પત્ર 

ગયા મહિને ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું છે. 17 સીટો પર કોંગ્રેસે વિજય મેળવ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસને એકબાદ એક ઝટકા લાગી રહ્યા છે. 18થી વધુ ધારાસભ્યોએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે રાજીનામું આપી દીધું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે. જગદીશ ઠાકોરને પત્ર લખી રાજીનામાની વાત કરી હતી.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.