બાયડના કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-11-09 19:51:22

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે. દેશના અન્ય પ્રાંતોના કોંગ્રેસના નેતાઓ પણ રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. 


જશુભાઈ પટેલે શું કહ્યું?


બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે મીડીયા સાથેની ચર્ચામાં વિવિદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે ‘ગુજરાતમાં રઘુ શર્માએ કોંગ્રેસને વેચી નાખી છે. કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સોદો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રૂપિયા લઈને ગુજરાત કોંગ્રેસનો સોદો કરી નાખ્યો હોવાનું તેમણે ચોંકાવનારું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું વિધાનભાની ચૂંટણી લડી રહેલા રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ  રાજસ્થાન જશે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનાર રઘુ શર્માને રાજસ્થાનમાં હરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમને હરાવવા માટે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ રાજસ્થાનનો પ્રવાસ કરશે. ઉલ્લેખનિય છે કે ગત જુન માસમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.


કોણ છે રઘુ શર્મા?


ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકરી બેઠકના ધારાસભ્ય ડો. રઘુ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે, જેઓ હાલમાં ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં પાર્ટી બાબતોના AICC પ્રભારી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.