બાયડના કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-11-09 19:51:22

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે. દેશના અન્ય પ્રાંતોના કોંગ્રેસના નેતાઓ પણ રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. 


જશુભાઈ પટેલે શું કહ્યું?


બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે મીડીયા સાથેની ચર્ચામાં વિવિદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે ‘ગુજરાતમાં રઘુ શર્માએ કોંગ્રેસને વેચી નાખી છે. કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સોદો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રૂપિયા લઈને ગુજરાત કોંગ્રેસનો સોદો કરી નાખ્યો હોવાનું તેમણે ચોંકાવનારું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું વિધાનભાની ચૂંટણી લડી રહેલા રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ  રાજસ્થાન જશે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનાર રઘુ શર્માને રાજસ્થાનમાં હરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમને હરાવવા માટે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ રાજસ્થાનનો પ્રવાસ કરશે. ઉલ્લેખનિય છે કે ગત જુન માસમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.


કોણ છે રઘુ શર્મા?


ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકરી બેઠકના ધારાસભ્ય ડો. રઘુ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે, જેઓ હાલમાં ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં પાર્ટી બાબતોના AICC પ્રભારી છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.