બાયડના કોંગ્રેસના પૂર્વ MLA જશુભાઈ પટેલે રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-11-09 19:51:22

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે. દેશના અન્ય પ્રાંતોના કોંગ્રેસના નેતાઓ પણ રાજસ્થાનમાં કોંગ્રેસનો પ્રચાર કરવા પહોંચ્યા છે. આ દરમિયાન બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. 


જશુભાઈ પટેલે શું કહ્યું?


બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે મીડીયા સાથેની ચર્ચામાં વિવિદાસ્પદ નિવેદન કરતા કહ્યું કે ‘ગુજરાતમાં રઘુ શર્માએ કોંગ્રેસને વેચી નાખી છે. કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને મહેન્દ્રસિંહ વાઘેલા સાથે સોદો કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ રૂપિયા લઈને ગુજરાત કોંગ્રેસનો સોદો કરી નાખ્યો હોવાનું તેમણે ચોંકાવનારું નિવેદન આપતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે વધુમાં કહ્યું વિધાનભાની ચૂંટણી લડી રહેલા રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ  રાજસ્થાન જશે તેવો આક્ષેપ પણ તેમણે લગાવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનાર રઘુ શર્માને રાજસ્થાનમાં હરાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. તેમને હરાવવા માટે જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ રાજસ્થાનનો પ્રવાસ કરશે. ઉલ્લેખનિય છે કે ગત જુન માસમાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સાબરડેરીના ડિરેક્ટર અને બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ ધારણા પર બેઠા ત્યારે ચર્ચામાં આવ્યા હતા.


કોણ છે રઘુ શર્મા?


ઉલ્લેખનિય છે કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કેકરી બેઠકના ધારાસભ્ય ડો. રઘુ શર્મા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે, જેઓ હાલમાં ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીમાં પાર્ટી બાબતોના AICC પ્રભારી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી