જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉમિયાધામ સીદસર


  • Published By :
  • Published Date : 2023-02-04 17:43:33

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને યાદ કરી મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. આ ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તે બધા વચ્ચે જયસુખ પટેલના સમર્થનમાં અનેક લોકો તેમજ ધાર્મિક સંસ્થાઓ આવી છે. ઉમિયાધામ સીદસર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓ જયસુખ પટેલનું સમર્થન કરી રહ્યા છે. તે સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયા તેમના સમર્થનમાં આવ્યા છે.


ભાજપના પૂર્વ ધારાસભ્ય આવ્યા સમર્થનમાં 

મોરબીમાં દિવાળીના સમયે હોનારત સર્જાઈ હતી જેમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો હજી સૂધી આઘાતમાં છે. આ મામલે હાઈકોર્ટમાં સૂનાવણી કરવામાં આવી રહી છે. 10 જેટલા લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ વિરૂદ્ધ લોકોમાં રોષ છે તો બીજી તરફ તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જણાવ્યું છે કે હું પણ જયસુખ પટેલને સમર્થન આપું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે.      

 

સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર             

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ઉમિયાધામ સિદસર તેમજ અનેક એનજીઓ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું છે. ગઈકાલથી ઉમિયાધામ સંસ્થાનું લેટરપેડ ફરતું થયું છે. આ પત્રમાં જયસુખ પટેલના સમર્થનમાં હોવાની વાત કરવામાં આવી છે.પત્રમાં લખવામાં આવ્યું હતું કે આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ. ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રુપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. 10-15 રુપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. તે સિવાય અનેક સમાજ પણ તેમના સર્મથનમાં આવ્યા છે.         




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે