જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉમિયાધામ સીદસર


  • Published By :
  • Published Date : 2023-02-04 17:43:33

દિવાળીના સમયે મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાને યાદ કરી મૃતકોના પરિવારજનોના આંસુ હજુ સુકાયા નથી. આ ઘટના બાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તે બધા વચ્ચે જયસુખ પટેલના સમર્થનમાં અનેક લોકો તેમજ ધાર્મિક સંસ્થાઓ આવી છે. ઉમિયાધામ સીદસર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેઓ જયસુખ પટેલનું સમર્થન કરી રહ્યા છે. તે સિવાય ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયા તેમના સમર્થનમાં આવ્યા છે.


ભાજપના પૂર્વ ધારાસભ્ય આવ્યા સમર્થનમાં 

મોરબીમાં દિવાળીના સમયે હોનારત સર્જાઈ હતી જેમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો હજી સૂધી આઘાતમાં છે. આ મામલે હાઈકોર્ટમાં સૂનાવણી કરવામાં આવી રહી છે. 10 જેટલા લોકો વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ વિરૂદ્ધ લોકોમાં રોષ છે તો બીજી તરફ તેમના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ જણાવ્યું છે કે હું પણ જયસુખ પટેલને સમર્થન આપું છું. સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે.      

 

સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર             

ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉપરાંત ઉમિયાધામ સિદસર તેમજ અનેક એનજીઓ જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું છે. ગઈકાલથી ઉમિયાધામ સંસ્થાનું લેટરપેડ ફરતું થયું છે. આ પત્રમાં જયસુખ પટેલના સમર્થનમાં હોવાની વાત કરવામાં આવી છે.પત્રમાં લખવામાં આવ્યું હતું કે આપણે સૌ જયસુખભાઈનું સમર્થન કરીએ. ઝૂલતા પુલની ટિકિટથી જયસુખભાઈ કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રુપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. 10-15 રુપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. તે સિવાય અનેક સમાજ પણ તેમના સર્મથનમાં આવ્યા છે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.