ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને આ રાજકીય નેતાઓ સાથે હતો સંબંધ! જાણો તપાસ દરમિયાન કેટલી મિલકત હોવાનું સામે આવ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-13 13:23:12

નિવૃત IAS અધિકારી એસ.કે. લાંગાની સરકારી જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના કેસમાં અંતે તેમની ધરપકડ થોડા સમય પહેલા કરવામાં આવી હતી. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા IAS અધિકારી એસ.કે લાંગાની ગાંધીનગર પોલીસે માઉન્ટ આબુથી ધરપકડ કરી હતી. આ કેસમાં નવો વળાંક આવ્યો છે જે મુજબ લાંગાના રાજકીય સંપર્કો હોવાનું સામે આવ્યું છે. પાંચ દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે.    



પોલીસે કરી હતી 14 દિવસના રિમાન્ડની માગ 

અનેક સરકારી અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા હોય છે. પોતાના કાર્યકાળ દરમિયાન ગેરરીતિ અપનાવી પોતાને ફાયદો કરી લેતા હોય છે. ત્યારે ભ્રષ્ટાચારના આરોપ સાથે ગાંધીનગરના પૂર્વ કલેક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. માઉન્ટ આબુમાં આવેલા કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા બી.કે. ગઢવીના ફાર્મ હાઉસમાં છૂપાયા હતા. પરંતુ થોડા દિવસ પહેલા તેમની ધરપકડ કરી લીધી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે અને નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસે 14 દિવસની રિમાન્ડની માગણી કરી હતી પરંતુ પાંચ દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે. 


એસ.કે.લાંગા વિરૂદ્ધ એકત્રિત કરાઈ રહ્યા છે પુરાવા 

આ મામલે તપાસ કરવા એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. આ મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ મીડિયા સમક્ષ જાણકારી આપી છે. જે મુજબ ફરિયાદ નોંધાયા બાદ અનેક ફાઈલોની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે અનેક ફાઈલોમાં ઘાલમેલ થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે નિવૃત્ત થયા બાદ પણ તેમણે અનેક દસ્તાવેજો પર સાઈન કરી છે. બિન ખેડૂતને પણ ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે. સરકારને આર્થિક નુકસાન પહોંચે તેવી રીતે ગેરરીતિ અપવાની છે. ઉલ્લેખનિય છે કે એસ.કે.લાંગાની ધરપકડ કરવા પોલીસ વીજ કંપનીના કર્મીઓ બન્યા હતા. 


એસ.કે.લાંગા પાસે છે આટલી મિલકત 

એસ.કે.લાંગા પાસેથી મળેલી મિલકતની વાત કરીએ તો જૂનાગઢમાં ચાર બંગલો, માતરમાં જમીન, અમદાવાદમાં ફ્લેટ, બંગલો તેમજ જમીન છે. તે ઉપરાંત અમીરાત બિલ્ડડોન કંપનીમાં પાર્ટનરશીપ છે. મહત્વું છે કે લાંગાના પરિવારના સભ્યોનું તેમજ પાર્ટનરોનું નિવેદન લેવામાં આવ્યું હતું. લાંગા વિરૂદ્ધ પુરાવા મળતા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે .    



એસ.કે. લાંગા સામે આરોપ શું છે?

લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના ગાંધીનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુલસાણા ગામની અંદર આવેલી પાંજરાપોળની 60 લાખ ચોરસ વાર જમીન પાંજરાપોળ માટે હતી તેમ છતાં આ જમીન ગણોતિયાઓને આપવામાં આવી હતી અને બાદમાં આ જમીન શ્રી સરકાર કરવાની થતી હોવા છતાં નિયમો વિરુદ્ધ જઈ એસ.કે લાંગા તેમજ તેની સાથેના ગાંધીનગરના આરએસી અને ચીટનીશ અધિકારીએ આ જમીન કેટલાક બિલ્ડર્સ અને ખાનગી ક્લબને પધરાવી દીધી હતી. તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર આચર્યો હતો. 



ભ્રષ્ટાચારનો કાળો ઈતિહાસ

IAS અધિકારી એસ.કે. લાંગા તેમની લાંબી કારકિર્દી દરમિયાન 6 જિલ્લામાં RAC,DDO અને કલેક્ટરનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને તેમણે ગાંધીનગર અને અગાઉ જ્યાં જ્યાં પણ તેઓના પોસ્ટિંગ રહ્યા ત્યાં તેઓએ અનેક ભ્રષ્ટાચાર આચર્યા હતા. ગોધરાના કલેક્ટર હતા ત્યારે પણ તેઓએ ખાનગી વ્યક્તિઓને જમીનનો લાભ અપાવતાં પંચમહાલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. લાંગાની સાથે તેમની નીચેના અધિકારીઓ પણ વિવાદમાં રહ્યાં છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.