Jamnagarમાં જોવા મળી પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી! ફાઈલ પાસ કરાવવા મહાનગરપાલિકાના સિટી ઈજનેરને આપી ધમકી, માગી ખંડણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 18:31:01

સત્તા પર બેઠેલા લોકો અનેક વખત એવું માનતા હોય છે કે તે સત્તાના જોરે, ધાક ધમકી આપી અધિકારીઓ પાસેથી કોઈ પણ ખોટા કામ કરાવી શકે છે...! ન માત્ર સત્તા પર રહેલા અધિકારીઓ પરંતુ પૂર્વ અધિકારીઓ પણ કંઈક આવું જ માને છે..! અધિકારીઓને ડરાવી ધમકાવી કામ કરાવી લેવાના કિસ્સા આપણી સામે છે ત્યારે આવો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં જામનગર સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનરને ધાક ધમકી આપવામાં આવી અને એ પણ જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા દ્વારા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે... 

ફાઈલ પાસ કરાવવા માટે પૂર્વ કોર્પોરેટરે આપી ધાક ધમકી! 

જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે ઘટના બની છે તે કદાચ અનેક જગ્યાઓ પર પણ બનતી હશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! અનેક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કામ કરવા માટે અધિકારીઓને દબાણ કરવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે... ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે.. જામનગરમાં બનેલી ઘટનામાં પણ આવું જ થયું છે... બે દિવસ પૂર્વે જામનગર મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધમકી આપી છે....  



શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધાક ધમકી આપી છે. ચેમ્બરમાં ઘૂસી કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7ની ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયર કરી આપવા ધાક-ધમકી આપી. ધમકી તો આપી ઉપરાંત હપ્તાની માગ પણ કરી હતી. ખંડણીની માગ કરતા તેમણે કહ્યું કે હું પુર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. તમારે મહાનગરપાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે.


ભાવેશ જાનીએ જણાવ્યું કે....  

હપ્તાની માગ તો કરી ઉપરાંત જો આ કામ નહીં થાય તો કેસમાં ફસાવવાની ધમકી પણ તેમણે અધિકારીને આપી હતી. સીટી ઈજનેર ભાવેશ જાનીને ધમકી આપતા કહ્યું કે હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તેમનું ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઉપરાંત ગાળો પણ બોલી.  આ બધાને લઈ જામનગર મનપાના સીટી ઈજનેર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મનપાના અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યું કે, કોર્પોરેટરના પતિએ મારી ચેમ્બરમાં આવી સતત 15થી 20 મિનિટ સુધી બેફામ શબ્દો બોલી અને ધમકીઓ આપી હતી. 100 ટકા ખોટું બાંધકામ હતું જેની ફાઈલ મંજૂર કરાવવા કહ્યું હતું. તેમજ કોડવર્ડમાં પૈસાની માંગણી કરી હતી.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


પૂર્વ કોર્પોરેટર હોવા છતાં જો આટલો પાવર બતાવતા હોય તો પ્રશ્ન થાય કે.... 

મહત્વનું છે કે અનેક એવા તત્વો સિસ્ટમમાં છે જે એવું માનીને બેઠા છે કે અધિકારીને ડરાવી ધમકાવી ખોટા કામ કરાવાઈ શકાય છે... નોકરીના બહાને લાખો રૂપિયાની ખંડણી માગી શકાય છે તેવી વાતો અનેક નેતાઓના, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરના દિમાગમાં ધૂસી ગઈ છે...!  આ ઘટના પરથી એક સવાલ થાય કે જો પૂર્વ કોર્પોરેટર હોવા છતાં આટલી ધાક ધમકી આપી શકતા હોય, અધિકારીને ડરાવી ધમકાવી શકતા હોય તો જ્યારે તે કોર્પોરેટર હશે ત્યારે શું કરતા હશે? આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવે જેથી એક દાખલો બેસે કે ધાક ધમકી આપી ખોટા કામ ના કરાવાય...!    



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.