Jamnagarમાં જોવા મળી પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી! ફાઈલ પાસ કરાવવા મહાનગરપાલિકાના સિટી ઈજનેરને આપી ધમકી, માગી ખંડણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 18:31:01

સત્તા પર બેઠેલા લોકો અનેક વખત એવું માનતા હોય છે કે તે સત્તાના જોરે, ધાક ધમકી આપી અધિકારીઓ પાસેથી કોઈ પણ ખોટા કામ કરાવી શકે છે...! ન માત્ર સત્તા પર રહેલા અધિકારીઓ પરંતુ પૂર્વ અધિકારીઓ પણ કંઈક આવું જ માને છે..! અધિકારીઓને ડરાવી ધમકાવી કામ કરાવી લેવાના કિસ્સા આપણી સામે છે ત્યારે આવો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં જામનગર સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનરને ધાક ધમકી આપવામાં આવી અને એ પણ જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા દ્વારા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે... 

ફાઈલ પાસ કરાવવા માટે પૂર્વ કોર્પોરેટરે આપી ધાક ધમકી! 

જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે ઘટના બની છે તે કદાચ અનેક જગ્યાઓ પર પણ બનતી હશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! અનેક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કામ કરવા માટે અધિકારીઓને દબાણ કરવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે... ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે.. જામનગરમાં બનેલી ઘટનામાં પણ આવું જ થયું છે... બે દિવસ પૂર્વે જામનગર મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધમકી આપી છે....  



શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધાક ધમકી આપી છે. ચેમ્બરમાં ઘૂસી કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7ની ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયર કરી આપવા ધાક-ધમકી આપી. ધમકી તો આપી ઉપરાંત હપ્તાની માગ પણ કરી હતી. ખંડણીની માગ કરતા તેમણે કહ્યું કે હું પુર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. તમારે મહાનગરપાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે.


ભાવેશ જાનીએ જણાવ્યું કે....  

હપ્તાની માગ તો કરી ઉપરાંત જો આ કામ નહીં થાય તો કેસમાં ફસાવવાની ધમકી પણ તેમણે અધિકારીને આપી હતી. સીટી ઈજનેર ભાવેશ જાનીને ધમકી આપતા કહ્યું કે હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તેમનું ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઉપરાંત ગાળો પણ બોલી.  આ બધાને લઈ જામનગર મનપાના સીટી ઈજનેર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મનપાના અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યું કે, કોર્પોરેટરના પતિએ મારી ચેમ્બરમાં આવી સતત 15થી 20 મિનિટ સુધી બેફામ શબ્દો બોલી અને ધમકીઓ આપી હતી. 100 ટકા ખોટું બાંધકામ હતું જેની ફાઈલ મંજૂર કરાવવા કહ્યું હતું. તેમજ કોડવર્ડમાં પૈસાની માંગણી કરી હતી.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


પૂર્વ કોર્પોરેટર હોવા છતાં જો આટલો પાવર બતાવતા હોય તો પ્રશ્ન થાય કે.... 

મહત્વનું છે કે અનેક એવા તત્વો સિસ્ટમમાં છે જે એવું માનીને બેઠા છે કે અધિકારીને ડરાવી ધમકાવી ખોટા કામ કરાવાઈ શકાય છે... નોકરીના બહાને લાખો રૂપિયાની ખંડણી માગી શકાય છે તેવી વાતો અનેક નેતાઓના, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરના દિમાગમાં ધૂસી ગઈ છે...!  આ ઘટના પરથી એક સવાલ થાય કે જો પૂર્વ કોર્પોરેટર હોવા છતાં આટલી ધાક ધમકી આપી શકતા હોય, અધિકારીને ડરાવી ધમકાવી શકતા હોય તો જ્યારે તે કોર્પોરેટર હશે ત્યારે શું કરતા હશે? આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવે જેથી એક દાખલો બેસે કે ધાક ધમકી આપી ખોટા કામ ના કરાવાય...!    



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.