Jamnagarમાં જોવા મળી પૂર્વ કોર્પોરેટરની દાદાગીરી! ફાઈલ પાસ કરાવવા મહાનગરપાલિકાના સિટી ઈજનેરને આપી ધમકી, માગી ખંડણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-28 18:31:01

સત્તા પર બેઠેલા લોકો અનેક વખત એવું માનતા હોય છે કે તે સત્તાના જોરે, ધાક ધમકી આપી અધિકારીઓ પાસેથી કોઈ પણ ખોટા કામ કરાવી શકે છે...! ન માત્ર સત્તા પર રહેલા અધિકારીઓ પરંતુ પૂર્વ અધિકારીઓ પણ કંઈક આવું જ માને છે..! અધિકારીઓને ડરાવી ધમકાવી કામ કરાવી લેવાના કિસ્સા આપણી સામે છે ત્યારે આવો એક કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં જામનગર સિટી ઈજનેર-ઈન્ચાર્જ આસી.કમિશનરને ધાક ધમકી આપવામાં આવી અને એ પણ જામનગર મનપાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દીપુ પારિયા દ્વારા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે... 

ફાઈલ પાસ કરાવવા માટે પૂર્વ કોર્પોરેટરે આપી ધાક ધમકી! 

જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જે ઘટના બની છે તે કદાચ અનેક જગ્યાઓ પર પણ બનતી હશે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી..! અનેક કિસ્સાઓમાં જોવામાં આવ્યું છે કે ગેરકાયદેસર કામ કરવા માટે અધિકારીઓને દબાણ કરવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે... ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવે છે.. જામનગરમાં બનેલી ઘટનામાં પણ આવું જ થયું છે... બે દિવસ પૂર્વે જામનગર મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધમકી આપી છે....  



શું છે સમગ્ર ઘટના?

ઘટનાની વિગતવાર વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ તેજસી ઉર્ફે દીપુ પારિયા જે પોતે પણ પૂર્વ કોર્પોરેટર છે તેમણે જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેર ભાવેશ જાનીની ચેમ્બરમાં ઘુસી તેમને ધાક ધમકી આપી છે. ચેમ્બરમાં ઘૂસી કોર્પોરેટરના પતિ તેજશી ઉર્ફે દિપુ પારીયાએ વોર્ડ નં-7ની ઇમ્પેકટ ફીની ફાઇલ કલીયર કરી આપવા ધાક-ધમકી આપી. ધમકી તો આપી ઉપરાંત હપ્તાની માગ પણ કરી હતી. ખંડણીની માગ કરતા તેમણે કહ્યું કે હું પુર્વ કોર્પોરેટર છું અને હાલમાં મારી પત્ની કોર્પોરેટર છે. તમારે મહાનગરપાલીકામાં નોકરી કરવી હોય તો દર મહિને એક લાખનો હપ્તો આપવો પડશે.


ભાવેશ જાનીએ જણાવ્યું કે....  

હપ્તાની માગ તો કરી ઉપરાંત જો આ કામ નહીં થાય તો કેસમાં ફસાવવાની ધમકી પણ તેમણે અધિકારીને આપી હતી. સીટી ઈજનેર ભાવેશ જાનીને ધમકી આપતા કહ્યું કે હારૂન પલેજાનું ખુન થયેલ છે તેમ તેમનું ખુન કરાવી નાખવાની અને ખોટા એટ્રોશીટીના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી ઉપરાંત ગાળો પણ બોલી.  આ બધાને લઈ જામનગર મનપાના સીટી ઈજનેર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મનપાના અધિકારી ભાવેશ જાનીએ જણાવ્યું કે, કોર્પોરેટરના પતિએ મારી ચેમ્બરમાં આવી સતત 15થી 20 મિનિટ સુધી બેફામ શબ્દો બોલી અને ધમકીઓ આપી હતી. 100 ટકા ખોટું બાંધકામ હતું જેની ફાઈલ મંજૂર કરાવવા કહ્યું હતું. તેમજ કોડવર્ડમાં પૈસાની માંગણી કરી હતી.પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


પૂર્વ કોર્પોરેટર હોવા છતાં જો આટલો પાવર બતાવતા હોય તો પ્રશ્ન થાય કે.... 

મહત્વનું છે કે અનેક એવા તત્વો સિસ્ટમમાં છે જે એવું માનીને બેઠા છે કે અધિકારીને ડરાવી ધમકાવી ખોટા કામ કરાવાઈ શકાય છે... નોકરીના બહાને લાખો રૂપિયાની ખંડણી માગી શકાય છે તેવી વાતો અનેક નેતાઓના, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટરના દિમાગમાં ધૂસી ગઈ છે...!  આ ઘટના પરથી એક સવાલ થાય કે જો પૂર્વ કોર્પોરેટર હોવા છતાં આટલી ધાક ધમકી આપી શકતા હોય, અધિકારીને ડરાવી ધમકાવી શકતા હોય તો જ્યારે તે કોર્પોરેટર હશે ત્યારે શું કરતા હશે? આવા તત્વો સામે કડક પગલા લેવામાં આવે જેથી એક દાખલો બેસે કે ધાક ધમકી આપી ખોટા કામ ના કરાવાય...!    



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."