Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel ફરી એક વખત કાર્યકર્તાઓ પર બગડ્યા! જાહેર મંચ પરથી ટોણો મારતા શું કહ્યું? સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-27 12:26:28

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જાહેર મંચ પરથી નેતાઓ પોતાનો બળાપો કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શાબ્દિક પ્રહારો ભાજપના નેતાઓ ભાજપ પાર્ટી માટે કરી રહ્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત શાબ્દિક પ્રહારો કર્યા છે અને શીખામણ આપનાર નેતાઓને ટોન્ટ માર્યો હોય તેવું લાગે છે...! ગઈકાલે નીતિન પટેલે કહ્યું “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...”  


જાહેર મંચ પરથી નીતિન પટેલે કાર્યકર્તાઓને માર્યો ટોણો!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણી પહેલા રાજકીય માહોલ પણ ગરમાતો હોય છે. અનેક નેતાઓ એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ કાંતો વિવાદ છેડાતો હોય છે કાંતો તેની ચર્ચા થતી હોય છે. જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ પોતાની પાર્ટીના નેતાઓને ટોન્ટ મારતા પણ દેખાય છે. શાબ્દિક પ્રહારો કરી નેતાઓ પોતાની વેદના ઠાલવતા હોય છે. ત્યારે ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની વેદના ઠાલવી હોય તેવું નિવેદન આપ્યું છે. જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ફરી એક વખત દેખાઈ આવે..! 


"જેના ઘરમાં બૈરૂ પાણી નથી..." - નીતિન પટેલ 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો, આગેવાનો હાજર રહ્યા હતા. નીતિન પટેલ પણ ત્યાં હાજર હતા. સંબોધન વખતે નીતિન પટેલે કહ્યું કે   “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” મહત્વનું છે કે અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે.. હાલ ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે... ભાજપમાં ચાલતા આંતરિક ડખા એકબાદ એક ખુલ્લીને સામે આવી રહ્યા છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.