Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી Nitin Patel ફરી એક વખત કાર્યકર્તાઓ પર બગડ્યા! જાહેર મંચ પરથી ટોણો મારતા શું કહ્યું? સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-03-27 12:26:28

ભાજપમાં ચાલતો આંતરિક ડખો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. જાહેર મંચ પરથી નેતાઓ પોતાનો બળાપો કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શાબ્દિક પ્રહારો ભાજપના નેતાઓ ભાજપ પાર્ટી માટે કરી રહ્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત શાબ્દિક પ્રહારો કર્યા છે અને શીખામણ આપનાર નેતાઓને ટોન્ટ માર્યો હોય તેવું લાગે છે...! ગઈકાલે નીતિન પટેલે કહ્યું “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...”  


જાહેર મંચ પરથી નીતિન પટેલે કાર્યકર્તાઓને માર્યો ટોણો!

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ચૂંટણી પહેલા રાજકીય માહોલ પણ ગરમાતો હોય છે. અનેક નેતાઓ એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ કાંતો વિવાદ છેડાતો હોય છે કાંતો તેની ચર્ચા થતી હોય છે. જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓ પોતાની પાર્ટીના નેતાઓને ટોન્ટ મારતા પણ દેખાય છે. શાબ્દિક પ્રહારો કરી નેતાઓ પોતાની વેદના ઠાલવતા હોય છે. ત્યારે ગઈકાલે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની વેદના ઠાલવી હોય તેવું નિવેદન આપ્યું છે. જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું છે કે જેનાથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ફરી એક વખત દેખાઈ આવે..! 


"જેના ઘરમાં બૈરૂ પાણી નથી..." - નીતિન પટેલ 

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર લોકો, આગેવાનો હાજર રહ્યા હતા. નીતિન પટેલ પણ ત્યાં હાજર હતા. સંબોધન વખતે નીતિન પટેલે કહ્યું કે   “જ્યારે હું ધારાસભ્ય હતો ત્યારે તમે તે મને સલાહ આપતા.. જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તે અમને સલાહ આપે છે...” મહત્વનું છે કે અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે.. હાલ ભાજપની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે... ભાજપમાં ચાલતા આંતરિક ડખા એકબાદ એક ખુલ્લીને સામે આવી રહ્યા છે.  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.