Rahul Gandhiના ઘોડાવાળા નિવેદન પર Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કટાક્ષ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-07-15 17:21:55

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં છે.. તે તેમની બોલીની આગવી સ્ટાઈલને કારણે તેમની વાતો, તેમની ચર્ચા થતી રહે છે.. નીતિન પટેલની ચર્ચા હમણાં એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના બે ઘોડા વાળી વાત પર નીતિન પટેલે મહેસાણામાં આયોજીત એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તે વીડિયો સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓના આભાર માનવા માટે જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું તે વખતનો છે.  

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું કે.. 

નીતિન પટેલ અવારનવાર પોતાની બોલવાની આગવી શૈલીને લઈને સમાચારોમાં રહેતા હોય છે . હવે તેમણે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના આભાર વિધિ સમારોહમાં હાજરી આપી હતી , ત્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાતમાં બે ઘોડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે , ભાજપ પાસે માત્ર હરિભાઈ જેવા રેસમાં દોડનારા જ ઘોડા છે. કોંગ્રેસ પાસે માત્ર નાચવાના જ ઘોડા છે, જો કોઈને પોતાના લગ્નમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસનો સંપર્ક કરવો. આ પ્રકારનો કટાક્ષ કરી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નીતિન પટેલે રાહુલ ગાંધીના જે નિવેદન પર કટાક્ષ કર્યો છે તે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે આપ્યું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનના લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો અને બીજો લગનમાં નચાવવાનો ઘોડો. અને હવે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને જ માત્ર રેસમાં ઉતારશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં નવો જોમ, નવો ઉત્સાહ આવી ગયો હોય તેવું લાગે છે.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.