Rahul Gandhiના ઘોડાવાળા નિવેદન પર Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કટાક્ષ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-07-15 17:21:55

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં છે.. તે તેમની બોલીની આગવી સ્ટાઈલને કારણે તેમની વાતો, તેમની ચર્ચા થતી રહે છે.. નીતિન પટેલની ચર્ચા હમણાં એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના બે ઘોડા વાળી વાત પર નીતિન પટેલે મહેસાણામાં આયોજીત એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તે વીડિયો સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓના આભાર માનવા માટે જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું તે વખતનો છે.  

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું કે.. 

નીતિન પટેલ અવારનવાર પોતાની બોલવાની આગવી શૈલીને લઈને સમાચારોમાં રહેતા હોય છે . હવે તેમણે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના આભાર વિધિ સમારોહમાં હાજરી આપી હતી , ત્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાતમાં બે ઘોડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે , ભાજપ પાસે માત્ર હરિભાઈ જેવા રેસમાં દોડનારા જ ઘોડા છે. કોંગ્રેસ પાસે માત્ર નાચવાના જ ઘોડા છે, જો કોઈને પોતાના લગ્નમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસનો સંપર્ક કરવો. આ પ્રકારનો કટાક્ષ કરી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નીતિન પટેલે રાહુલ ગાંધીના જે નિવેદન પર કટાક્ષ કર્યો છે તે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે આપ્યું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનના લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો અને બીજો લગનમાં નચાવવાનો ઘોડો. અને હવે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને જ માત્ર રેસમાં ઉતારશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં નવો જોમ, નવો ઉત્સાહ આવી ગયો હોય તેવું લાગે છે.  



ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.

વેનેઝુએલામાં માત્ર 39 સેકન્ડમાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા. ઓછામાં ઓછા 32નાં મોત, 700થી વધુ ઘાયલ અને કરાકાસમાં ભારે તબાહી. વાંચો સંપૂર્ણ માહિતી.

પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.