Rahul Gandhiના ઘોડાવાળા નિવેદન પર Gujaratના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કટાક્ષ, કહ્યું...


  • Published By :
  • Published Date : 2024-07-15 17:21:55

ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરી એક વખત ચર્ચામાં છે.. તે તેમની બોલીની આગવી સ્ટાઈલને કારણે તેમની વાતો, તેમની ચર્ચા થતી રહે છે.. નીતિન પટેલની ચર્ચા હમણાં એટલા માટે થઈ રહી છે કારણ કે તેમણે કોગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીના બે ઘોડા વાળી વાત પર નીતિન પટેલે મહેસાણામાં આયોજીત એક કાર્યક્રમમાં કટાક્ષ કર્યો છે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર તે વીડિયો સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓના આભાર માનવા માટે જે સમારંભનું આયોજન કરવામાં આવ્યું તે વખતનો છે.  

નીતિન પટેલે કટાક્ષ કરતા કહ્યું કે.. 

નીતિન પટેલ અવારનવાર પોતાની બોલવાની આગવી શૈલીને લઈને સમાચારોમાં રહેતા હોય છે . હવે તેમણે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના આભાર વિધિ સમારોહમાં હાજરી આપી હતી , ત્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાતમાં બે ઘોડાવાળા નિવેદન પર કટાક્ષ કર્યો છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું કે , ભાજપ પાસે માત્ર હરિભાઈ જેવા રેસમાં દોડનારા જ ઘોડા છે. કોંગ્રેસ પાસે માત્ર નાચવાના જ ઘોડા છે, જો કોઈને પોતાના લગ્નમાં નાચવાવાળા ઘોડા જોઈતા હોય તો કોંગ્રેસનો સંપર્ક કરવો. આ પ્રકારનો કટાક્ષ કરી નીતિન પટેલે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. 



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે... 

નીતિન પટેલે રાહુલ ગાંધીના જે નિવેદન પર કટાક્ષ કર્યો છે તે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા ત્યારે આપ્યું હતું. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં સંગઠનના લોકો પર કટાક્ષ કરતા કહ્યું હતું કે આપણી કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે એક રેસનો ઘોડો અને બીજો લગનમાં નચાવવાનો ઘોડો. અને હવે કોંગ્રેસ પાર્ટી રેસના ઘોડાને જ માત્ર રેસમાં ઉતારશે. મહત્વનું છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસમાં નવો જોમ, નવો ઉત્સાહ આવી ગયો હોય તેવું લાગે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.