મહેસાણા ભાજપમાં બબાલો, આરોગ્ય મંત્રી સામે ચૂંટણી લડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:46:08

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપે વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કેટલાય કદાવર નેતાઓની ટિકિટો કપાઈ છે અંદરખાને આ નેતાઓ નારાજ પણ છે. આ વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજકારણનો માહોલ જામ્યો છે અહી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ રીતે ઊભા રહીને ચુંટણી લડવાના છે. અને વિપુલ ચૌધરી પણ વિસનગથી આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડશે તેવી રાજકીય અટકળો સામે આવી છે.

આમ તો વિસનગર પાટીદારોનો ગઢ કહેવાય છે મોટાભાગે અહીથી પાટીદાર ઉમેદવારની જીત થતી આવી છે. જો પૂર્વ જિલ્લા પ્રમુખ અપક્ષમાંથી ચુંટણી લડશે તો ભાજપ માટે અને ઋષિકેશ પટેલ માટે માથાનો દુખાવો બની શકે છે. આ વખતે વિસનગર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે

 

કોણ છે જશું પટેલ ?

જશું પટેલ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે તેઓ 1979થી રાજકારણમાં આવેલા છે તેઓ વિસનગર તાલુકા ભાજપના અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે ઘણી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે

 

ઉલ્લેખનીય છે કે જશું પટેલે આ વખતે વિસનગરથી દાવેદારી નોંધાવી હતી પણ ચાલુ ધારાસભ્ય અને સરકારના મંત્રીને ફરી ઉમેદવાર તરીકે રિપીટ કરાતા જશું ભાઈની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો જશું પટેલની ઈચ્છા હતી કે ઋષિકેશ પટેલ ઊંઝાથી ચુંટણી લડે અને ઋષિકેશ પટેલ પણ ઊંઝાથી જ ચુંટણી લડવા માંગતા હતા અને ઊંઝાથી દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાંડે ઋષિકેશ પટેલને વિસનગરથી ટિકિટ આપી છે..

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.