મહેસાણા ભાજપમાં બબાલો, આરોગ્ય મંત્રી સામે ચૂંટણી લડશે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:46:08

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપે વિવિધ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કેટલાય કદાવર નેતાઓની ટિકિટો કપાઈ છે અંદરખાને આ નેતાઓ નારાજ પણ છે. આ વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજકારણનો માહોલ જામ્યો છે અહી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સામે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અપક્ષ રીતે ઊભા રહીને ચુંટણી લડવાના છે. અને વિપુલ ચૌધરી પણ વિસનગથી આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડશે તેવી રાજકીય અટકળો સામે આવી છે.

આમ તો વિસનગર પાટીદારોનો ગઢ કહેવાય છે મોટાભાગે અહીથી પાટીદાર ઉમેદવારની જીત થતી આવી છે. જો પૂર્વ જિલ્લા પ્રમુખ અપક્ષમાંથી ચુંટણી લડશે તો ભાજપ માટે અને ઋષિકેશ પટેલ માટે માથાનો દુખાવો બની શકે છે. આ વખતે વિસનગર બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે

 

કોણ છે જશું પટેલ ?

જશું પટેલ 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે તેઓ 1979થી રાજકારણમાં આવેલા છે તેઓ વિસનગર તાલુકા ભાજપના અને મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે સાથે ઘણી શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે

 

ઉલ્લેખનીય છે કે જશું પટેલે આ વખતે વિસનગરથી દાવેદારી નોંધાવી હતી પણ ચાલુ ધારાસભ્ય અને સરકારના મંત્રીને ફરી ઉમેદવાર તરીકે રિપીટ કરાતા જશું ભાઈની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જો સૂત્રોનું માનીએ તો જશું પટેલની ઈચ્છા હતી કે ઋષિકેશ પટેલ ઊંઝાથી ચુંટણી લડે અને ઋષિકેશ પટેલ પણ ઊંઝાથી જ ચુંટણી લડવા માંગતા હતા અને ઊંઝાથી દાવેદારી નોંધાવી હતી પણ હાઇકમાંડે ઋષિકેશ પટેલને વિસનગરથી ટિકિટ આપી છે..

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.