Gujaratના પૂર્વ CM Vijay Rupaniનો કાફલો જતો હતો, લીંબડી પાસે પોલીસની ગાડીથી અકસ્માત થયો અને...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:47:29

અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં મોટા બાપની ઓલાદ બેફામ રીતે ગાડી ચલાવતા હોય છે. કાયદાનો ડર જ ન હોય તેવી રીતે વાહનો રસ્તાઓ પર દોડાવતા હોય છે. બેફામ ગાડી ચલાવી લોકોના જીવનને જોખમમાં નબીરાઓ નાખતા હોય છે. અનેક વખત આવા સમાચારો સાંભળ્યા હશે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. 

મુખ્યમંત્રીના કાફલાએ દાદાને અડફેટે લીધા!

મંત્રીઓની સુરક્ષામાં પોલીસની અનેક ગાડીઓ ચાલતી હોય છે. મંત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્પીડમાં પણ ગાડીઓ હંકારવામાં આવે છે. ત્યારે લીંબડી હાઇવે ચોરણીયા ગામ પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે જે પેટ્રોલીંગ કરતી પોલીસની ગાડીઑ હોય એમાંની એક ગાડી પુરપાટ ઝડપે ચાલી રહી હતી અને રસ્તા પર એક દાદાને અડફેટે લીધા. દાદાના હાલચાલ જાણવા માટે વિજય રૂપાણી ગાડીમાંથી નીચે ઉતર્યા. 


સીએમની સુરક્ષામાં રાખેલી ગાડીએ સર્જ્યો અકસ્માત!

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યો જોઈને એક વાત તો સાબિત થાય છે કે નેતાઓ સાથે ચાલતી ગાડીયો હોય કે MLA,MP લખેલી ગાડીઓ હોય તમારા બાપા પૈસાદાર હોય તો તમને બેફામ ગાડી ચલાવવાનું લાઇસન્સ નથી મળી જતું. અને આ બધાની વચ્ચે સામાન્ય નાગરિકોને મરવાનો વારો આવે છે. તમે નેતા છો કે પછી એમની સિક્યોરીટીમાં ગાડી ચલાવો છો તો એનો મતલબ એ નથી કે તમે બેફામ ગાડી ચલાવશો! અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગાડી આગળ mp mlaની પ્લેટ લગાવેલી હોય અને એ અકસ્માત કરતાં હોય! 


ભાવનગરમાં સગીરે સર્જ્યો અકસ્માત!  

આ તો નેતાની વાત હતી, ગઈકાલે એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો હતો જેમાં 16 વર્ષના નબીરાએ પોતાના બર્થડે પર રોલો પાડવા અને કલર મારવા માટે સ્કોર્પિયો કાર ચલાવી અને લોકોને અડફેટે લીધા! એટલે રસ્તા પર રખડતાં ઢોર અને કૂતરા ન આવે તેેમજ નેતાઓ અને અમીર બાપની ઓલાદોથી સાવધાન રહો!



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે