Gujaratના પૂર્વ CM Vijay Rupaniનો કાફલો જતો હતો, લીંબડી પાસે પોલીસની ગાડીથી અકસ્માત થયો અને...


  • Published By :
  • Published Date : 2023-11-06 12:47:29

અનેક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં મોટા બાપની ઓલાદ બેફામ રીતે ગાડી ચલાવતા હોય છે. કાયદાનો ડર જ ન હોય તેવી રીતે વાહનો રસ્તાઓ પર દોડાવતા હોય છે. બેફામ ગાડી ચલાવી લોકોના જીવનને જોખમમાં નબીરાઓ નાખતા હોય છે. અનેક વખત આવા સમાચારો સાંભળ્યા હશે ત્યારે વધુ એક સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો છે. 

મુખ્યમંત્રીના કાફલાએ દાદાને અડફેટે લીધા!

મંત્રીઓની સુરક્ષામાં પોલીસની અનેક ગાડીઓ ચાલતી હોય છે. મંત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સ્પીડમાં પણ ગાડીઓ હંકારવામાં આવે છે. ત્યારે લીંબડી હાઇવે ચોરણીયા ગામ પાસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે જે પેટ્રોલીંગ કરતી પોલીસની ગાડીઑ હોય એમાંની એક ગાડી પુરપાટ ઝડપે ચાલી રહી હતી અને રસ્તા પર એક દાદાને અડફેટે લીધા. દાદાના હાલચાલ જાણવા માટે વિજય રૂપાણી ગાડીમાંથી નીચે ઉતર્યા. 


સીએમની સુરક્ષામાં રાખેલી ગાડીએ સર્જ્યો અકસ્માત!

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દ્રશ્યો જોઈને એક વાત તો સાબિત થાય છે કે નેતાઓ સાથે ચાલતી ગાડીયો હોય કે MLA,MP લખેલી ગાડીઓ હોય તમારા બાપા પૈસાદાર હોય તો તમને બેફામ ગાડી ચલાવવાનું લાઇસન્સ નથી મળી જતું. અને આ બધાની વચ્ચે સામાન્ય નાગરિકોને મરવાનો વારો આવે છે. તમે નેતા છો કે પછી એમની સિક્યોરીટીમાં ગાડી ચલાવો છો તો એનો મતલબ એ નથી કે તમે બેફામ ગાડી ચલાવશો! અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ગાડી આગળ mp mlaની પ્લેટ લગાવેલી હોય અને એ અકસ્માત કરતાં હોય! 


ભાવનગરમાં સગીરે સર્જ્યો અકસ્માત!  

આ તો નેતાની વાત હતી, ગઈકાલે એક કિસ્સો ભાવનગરથી સામે આવ્યો હતો જેમાં 16 વર્ષના નબીરાએ પોતાના બર્થડે પર રોલો પાડવા અને કલર મારવા માટે સ્કોર્પિયો કાર ચલાવી અને લોકોને અડફેટે લીધા! એટલે રસ્તા પર રખડતાં ઢોર અને કૂતરા ન આવે તેેમજ નેતાઓ અને અમીર બાપની ઓલાદોથી સાવધાન રહો!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.