પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ આવ્યા મેદાને, સિદ્ધપુર મેડિકલ કોલેજની બિસ્માર હાલત મામલે હાઈકોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2023-06-02 17:02:30

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે રાજ્યની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે સિદ્ધપુર મેડિકલ કોલેજની દયનિય સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જાહેર હિતના સ્વરૂપમાં કરાયેલી આ અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નથી. દર્દીઓની હાલાકી દુર થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી પણ અરજીમાં માગ કરવામાં આવી છે. જય નારાયણ વ્યાસની આ અરજીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.


હોસ્પિટલ બિસ્માર હાલતમાં 


 જય નારાયણ વ્યાસે તેમની અરજીમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કફોળી સ્થિતી અંગે ફરીયાદ કરી છે. તેમણે અરજીના માધ્યમથી જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજના મશીનો અમદાવાદ ખસેડીને લાવવામાં આવ્યા છે. સિદ્ધપુર મેડિકલ કોલેજના કરોડોના ખર્ચે બનેલા મકાનો હાલ ખંડેર હાલતમાં છે. સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ પણ દર્દીઓની હાલાકી વધી છે. દર્દીઓએ સારવાર માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તે જ પ્રકારે સિદ્ધપુર આયર્વેદિક હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે.


સિદ્ધપુર પ્રત્યે ઓરમાયું વર્તન


પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ સ્થિતી માટે રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રીઓને જવાબદાર ઠરાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધપુરમાં મેડિકલ કોલેજનો વિકાસ ન થાય તે માટે રાખ્યો પૂર્વ આરોગ્યમંત્રીઓએ પૂર્વગ્રહ રાખ્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલ પર સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના પણ  આરોપો લગાવ્યા હતા. જય નારાયણ વ્યાસે દાવો કર્યો કે 10 વર્ષ સુધી રજુઆતો કર્યા પછી પણ સિદ્ધપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થિતી ન સુધરી એટલે પરાણે જાહેર હિતની અરજી કરવી પડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં માટે ખર્ચાયેલા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પણ વેડફાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.