પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ આવ્યા મેદાને, સિદ્ધપુર મેડિકલ કોલેજની બિસ્માર હાલત મામલે હાઈકોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2023-06-02 17:02:30

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે રાજ્યની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે સિદ્ધપુર મેડિકલ કોલેજની દયનિય સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જાહેર હિતના સ્વરૂપમાં કરાયેલી આ અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નથી. દર્દીઓની હાલાકી દુર થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી પણ અરજીમાં માગ કરવામાં આવી છે. જય નારાયણ વ્યાસની આ અરજીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.


હોસ્પિટલ બિસ્માર હાલતમાં 


 જય નારાયણ વ્યાસે તેમની અરજીમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કફોળી સ્થિતી અંગે ફરીયાદ કરી છે. તેમણે અરજીના માધ્યમથી જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજના મશીનો અમદાવાદ ખસેડીને લાવવામાં આવ્યા છે. સિદ્ધપુર મેડિકલ કોલેજના કરોડોના ખર્ચે બનેલા મકાનો હાલ ખંડેર હાલતમાં છે. સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ પણ દર્દીઓની હાલાકી વધી છે. દર્દીઓએ સારવાર માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તે જ પ્રકારે સિદ્ધપુર આયર્વેદિક હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે.


સિદ્ધપુર પ્રત્યે ઓરમાયું વર્તન


પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ સ્થિતી માટે રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રીઓને જવાબદાર ઠરાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધપુરમાં મેડિકલ કોલેજનો વિકાસ ન થાય તે માટે રાખ્યો પૂર્વ આરોગ્યમંત્રીઓએ પૂર્વગ્રહ રાખ્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલ પર સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના પણ  આરોપો લગાવ્યા હતા. જય નારાયણ વ્યાસે દાવો કર્યો કે 10 વર્ષ સુધી રજુઆતો કર્યા પછી પણ સિદ્ધપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થિતી ન સુધરી એટલે પરાણે જાહેર હિતની અરજી કરવી પડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં માટે ખર્ચાયેલા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પણ વેડફાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.