પૂર્વ આરોગ્ય મંત્રી જય નારાયણ વ્યાસ આવ્યા મેદાને, સિદ્ધપુર મેડિકલ કોલેજની બિસ્માર હાલત મામલે હાઈકોર્ટમાં કરી અરજી


  • Published By :
  • Published Date : 2023-06-02 17:02:30

ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના પૂર્વ નેતા જય નારાયણ વ્યાસે રાજ્યની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. તેમણે સિદ્ધપુર મેડિકલ કોલેજની દયનિય સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જાહેર હિતના સ્વરૂપમાં કરાયેલી આ અરજીમાં ફરિયાદ કરવામાં આવી છે કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય સારસંભાળ લેવામાં આવતી નથી. દર્દીઓની હાલાકી દુર થાય તે માટે ગુજરાત હાઈકોર્ટ હસ્તક્ષેપ કરી જરૂરી નિર્દેશ આપે તેવી પણ અરજીમાં માગ કરવામાં આવી છે. જય નારાયણ વ્યાસની આ અરજીના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.


હોસ્પિટલ બિસ્માર હાલતમાં 


 જય નારાયણ વ્યાસે તેમની અરજીમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કફોળી સ્થિતી અંગે ફરીયાદ કરી છે. તેમણે અરજીના માધ્યમથી જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજના મશીનો અમદાવાદ ખસેડીને લાવવામાં આવ્યા છે. સિદ્ધપુર મેડિકલ કોલેજના કરોડોના ખર્ચે બનેલા મકાનો હાલ ખંડેર હાલતમાં છે. સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાછળ કરોડોનો ખર્ચ પણ દર્દીઓની હાલાકી વધી છે. દર્દીઓએ સારવાર માટે છેક અમદાવાદ સુધી ધક્કા ખાવા પડે છે. તે જ પ્રકારે સિદ્ધપુર આયર્વેદિક હોસ્પિટલ પણ બિસ્માર હાલતમાં છે.


સિદ્ધપુર પ્રત્યે ઓરમાયું વર્તન


પૂર્વ આરોગ્યમંત્રી જય નારાયણ વ્યાસે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આ સ્થિતી માટે રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રીઓને જવાબદાર ઠરાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે સિદ્ધપુરમાં મેડિકલ કોલેજનો વિકાસ ન થાય તે માટે રાખ્યો પૂર્વ આરોગ્યમંત્રીઓએ પૂર્વગ્રહ રાખ્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદી બેન પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી નિતીનભાઈ પટેલ પર સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવાના પણ  આરોપો લગાવ્યા હતા. જય નારાયણ વ્યાસે દાવો કર્યો કે 10 વર્ષ સુધી રજુઆતો કર્યા પછી પણ સિદ્ધપુરમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલની સ્થિતી ન સુધરી એટલે પરાણે જાહેર હિતની અરજી કરવી પડી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિકાસમાં માટે ખર્ચાયેલા પ્રજાના કરવેરાના કરોડો રૂપિયા પણ વેડફાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.