પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-05 09:06:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ ચાલતી નકારાત્મક વાતોને લઈ તેમણે રાજીનામું આપી દીધું  હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધપુર બેઠક માટે તેઓ સેન્સ આપવા ગયા હતા. તેમની અને અશોક ગેહલોતની મુલાકાત બાદ અનેક અટકળોએ વહેતી થઈ હતી. નકારાત્મક વાતો શરૂ થતા તેમણે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના  CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક | TV9 Gujarati

થોડા સમય પહેલા અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત   

કોંગ્રેસનો પ્રચાર કરવા જ્યારે અશોક ગેહલોક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તેમણે ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો ઉભી થઈ કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ આ વાતનો વ્યાસે ઈન્કાર કર્યો. મુલાકાત અંગે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે નર્મદા પાણીના વ્યવસ્થાપનને લઈ તેમણે ગેહલોત સાથે મુલાકાત કરી હતી. 

In run up to assembly polls, AAP moves to reorganise J&K unit - Hindustan  Times


આપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું

જયનારાયણ વ્યાસે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જયનારાયણ વ્યાસને લઈ ચાલતા અટકળો પ્રમાણે તેઓ ટૂંક સમયમાં આપનો ખેસ ધારણ કરી શકે છે. હાલ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં આપમાં તેઓ જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ પાર્ટીમાં જાય છે કે નહિં તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.