પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-05 09:06:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ ચાલતી નકારાત્મક વાતોને લઈ તેમણે રાજીનામું આપી દીધું  હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધપુર બેઠક માટે તેઓ સેન્સ આપવા ગયા હતા. તેમની અને અશોક ગેહલોતની મુલાકાત બાદ અનેક અટકળોએ વહેતી થઈ હતી. નકારાત્મક વાતો શરૂ થતા તેમણે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના  CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક | TV9 Gujarati

થોડા સમય પહેલા અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત   

કોંગ્રેસનો પ્રચાર કરવા જ્યારે અશોક ગેહલોક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તેમણે ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો ઉભી થઈ કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ આ વાતનો વ્યાસે ઈન્કાર કર્યો. મુલાકાત અંગે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે નર્મદા પાણીના વ્યવસ્થાપનને લઈ તેમણે ગેહલોત સાથે મુલાકાત કરી હતી. 

In run up to assembly polls, AAP moves to reorganise J&K unit - Hindustan  Times


આપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું

જયનારાયણ વ્યાસે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જયનારાયણ વ્યાસને લઈ ચાલતા અટકળો પ્રમાણે તેઓ ટૂંક સમયમાં આપનો ખેસ ધારણ કરી શકે છે. હાલ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં આપમાં તેઓ જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ પાર્ટીમાં જાય છે કે નહિં તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.