પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપમાંથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-05 09:06:05

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ભાજપને અલવિદા કહી દીધું છે. ટિકિટ ફાળવણીને લઈ ચાલતી નકારાત્મક વાતોને લઈ તેમણે રાજીનામું આપી દીધું  હોય તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધપુર બેઠક માટે તેઓ સેન્સ આપવા ગયા હતા. તેમની અને અશોક ગેહલોતની મુલાકાત બાદ અનેક અટકળોએ વહેતી થઈ હતી. નકારાત્મક વાતો શરૂ થતા તેમણે પાર્ટીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસ અને રાજસ્થાનના  CM અશોક ગેહલોતની બંધ બારણે બેઠક | TV9 Gujarati

થોડા સમય પહેલા અશોક ગેહલોત સાથે કરી હતી મુલાકાત   

કોંગ્રેસનો પ્રચાર કરવા જ્યારે અશોક ગેહલોક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ ખાતે આવેલા સર્કિટ હાઉસમાં તેમણે ગેહલોત સાથે બંધબારણે બેઠક કરી હતી. જે બાદ એવી અટકળો ઉભી થઈ કે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ આ વાતનો વ્યાસે ઈન્કાર કર્યો. મુલાકાત અંગે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે નર્મદા પાણીના વ્યવસ્થાપનને લઈ તેમણે ગેહલોત સાથે મુલાકાત કરી હતી. 

In run up to assembly polls, AAP moves to reorganise J&K unit - Hindustan  Times


આપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું

જયનારાયણ વ્યાસે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે. જયનારાયણ વ્યાસને લઈ ચાલતા અટકળો પ્રમાણે તેઓ ટૂંક સમયમાં આપનો ખેસ ધારણ કરી શકે છે. હાલ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં આપમાં તેઓ જોડાઈ શકે છે તેવી વાતો વહેતી થઈ છે. ત્યારે રાજીનામું આપ્યા બાદ તેઓ કોઈ પાર્ટીમાં જાય છે કે નહિં તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.