Madhya Pradeshના પૂર્વ મુખ્યમંત્રી Kamalnath જોડાઈ શકે છે ભાજપમાં, અટકળો તેજ બની કારણ કે...


  • Published By :
  • Published Date : 2024-02-17 16:32:16

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી જઈ રહ્યા છે. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસને છોડી જતા રહ્યા તો હવે મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. એવી અટકળો ચાલી રહી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે કમલનાથના પુત્ર નકુલનાથે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કોંગ્રેસનો લોગો હટાવ્યો..

 

MP Politics:શું કલમનાથના સાંસદ પુત્ર પણ કોંગ્રેસ છોડશે? નકુલનાથે X પરથી પાર્ટીનો  હટાવ્યો લોગો

કમલનાથના પુત્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવ્યો કોંગ્રેસનો લોગો

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. એક તરફ ભાજપ પાર્ટી સંગઠિત થઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં દરાર પડી રહી છે! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એક કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. બે પછી મહારાષ્ટ્ર હોય કે પછી કોઈ બીજુ રાજ્ય.. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં પણ આગામી દિવસોમાં નવા જુની થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળમાં ચાલી રહી છે. નકુલનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરથી કોંગ્રેસનો લોગો હટાવી દીધો છે. એવી પણ માહિતી સામે આવી છે કે કમલનાથે પોતાનો કાર્યક્રમ કેન્સલ કરી દીધો છે.


મધ્યપ્રદેશનું ગરમાયું રાજકારણ 

ગમે ત્યારે લોકસભા ચૂંટણીના તારીખોની જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપે રણનીતિ બનાવવા માટે આજથી દિલ્હીમાં બેઠકનું આયોજન કર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પહેલા પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે કારણ કે એવી અટકળો તેજ બની છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ તેમના પુત્ર સાથે ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. 



અટકળો તેજ બની કે ગમે ત્યારે કમલનાથ જોડાઈ શકે છે ભાજપમાં!

કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. એવી પણ માહિતી સામે આવી છે કે તેઓ દિલ્હી માટે પણ રવાના થઇ ગયા છે. મહત્વનું છે કે કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકા પડી રહ્યા છે. અટકળો વચ્ચે દિગ્વિજયસિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.  ત્યારે જોવું રહ્યું કે રાજકીય બજારમાં ચાલતી આ અટકળો સાચી પડે છે કે માત્ર અટકળો બનીને રહી જાય છે....     



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .