Congressમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ! Maharastraના પૂર્વ મુખ્યમંત્રી Ashok chavan આજે જોડાઈ શકે છે BJPમાં...


  • Published By :
  • Published Date : 2024-02-13 10:53:11

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ કામ કરતી હોય છે પરંતુ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પહેલા ભંગાણ પડતું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક બાદ એેક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ગુજરાતમાં પણ કોંગ્રેસની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. ગઈકાલે તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને આજે તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ છોડ્યો કોંગ્રસનો હાથ! 

કોંગ્રેસમાં એક સાંધો ત્યારે તેર તૂટે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં અનેક વખત ભંગાણ જોવા મળતું હોય છે. ગઈકાલે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે.ચાવડા ભાજપમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા ધારાસભ્ય પદ પરથી તેમણે રાજીનામું આપ્યું હતું અને ગઈકાલે તેમણે સી.આર.પાટીલની તેમજ ઋષિકેશ પટેલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. એક તરફ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મહારાષ્ટ્રનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસને છોડવાની જાહેરાત કરી.


અશોક ચવ્હાણ આજે જોડાઈ શકે છે ભાજપમાં!  

કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરાતા જ એવી અટકળો ચાલી રહી હતી કે ગમે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપમાં ક્યારે જોડાય છે તેની જ રાહ જોવાતી હોય તેવું લાગતું હતું,. ત્યારે એવી માહિતી સામે આવી છે કે આજે અશોક ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે. મહારાષ્ટ્રના ડે.સીએમ દેવેન્દ્ર ફડનવીસ તેમનું ભાજપમાં સ્વાગત કરી શકે છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કહી દીધું હતું. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.