પૂર્વ ધારાસભ્ય Madhu Srivastavaએ જણાવ્યું શક્તિસિંહ ગોહિલને મળવાનું સાચું કારણ! મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-06 17:48:49

ગઈકાલથી એક ચર્ચા થઈ રહી હતી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને લઈ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અચાનક કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી. કંઈ નવા જૂનીના એંધાણ થઈ શકે છે તેવી વાતો રાજકીય વર્તુળમાં થવા લાગી. આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતને લઈ મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શક્તિસિંહ અને તે જૂના મિત્રો છે અને તેને કારણે તેમણે શક્તિસિંહ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતને લઈ વધી નેતાઓની ચિંતા 

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં કાંઈક નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ વચ્ચે આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે જ મુલાકાત થતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે મધુ શ્રી વાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં  જોડાય તેવી શક્યતાઓ - Hum-Dekhenge

અટકળો પર મૂકાયો પૂર્ણ વિરામ! 

મહત્વનું છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના પૂર્વ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચાનો દોર શરૂ થયો હતો કે, આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. પરંતુ આવી અટકળો પર અંત મધુ શ્રીવાસ્તવએ મૂકી દીધો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે