પૂર્વ ધારાસભ્ય Madhu Srivastavaએ જણાવ્યું શક્તિસિંહ ગોહિલને મળવાનું સાચું કારણ! મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2024-01-06 17:48:49

ગઈકાલથી એક ચર્ચા થઈ રહી હતી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવને લઈ. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અચાનક કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી. કંઈ નવા જૂનીના એંધાણ થઈ શકે છે તેવી વાતો રાજકીય વર્તુળમાં થવા લાગી. આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાતને લઈ મધુ શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શક્તિસિંહ અને તે જૂના મિત્રો છે અને તેને કારણે તેમણે શક્તિસિંહ સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતને લઈ વધી નેતાઓની ચિંતા 

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી રાજકારણમાં સક્રિય થાય તેવું જણાઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા ગુજરાતના રાજકારણમાં કાંઈક નવાજૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલ વચ્ચે આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે જ મુલાકાત થતા ભાજપના નેતાઓની ચિંતા વધી છે. ઉલ્લેખનિય છે કે મધુ શ્રી વાસ્તવને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જો કે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 

શક્તિસિંહ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં  જોડાય તેવી શક્યતાઓ - Hum-Dekhenge

અટકળો પર મૂકાયો પૂર્ણ વિરામ! 

મહત્વનું છે કે આગામી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના પૂર્વ  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. આ મુલાકાત બાદ એવી ચર્ચાનો દોર શરૂ થયો હતો કે, આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાઇ શકે છે. પરંતુ આવી અટકળો પર અંત મધુ શ્રીવાસ્તવએ મૂકી દીધો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.