સુરતઃ ડુંગરી ગામે શેરડી કાપતા 15 દિવસના દીપડીના ચાર બચ્ચા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 17:17:18

સુરતના મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડીની કાપણી ચાલી રહી હતી. જેમાં ગજબની ઘટના ઘટી હતી. કાપણી દરમિયાન દીપડીના ચાર બચ્ચા મળી આવ્યા હતા. કાપણી કરતા ખેડૂતો પહેલા તો ડરી ગયા હતા કારણ કે બચ્ચા હોય તેનો સીધો મતલબ થાય કે દીપડી પણ નજીક હોય શકે. 

ખેતર માલિકે બચ્ચાને ખેતરમાં પાછા છોડ્યાં

 ડુંગરીના આંબાવાડી ફળિયા વિસ્તારમાં રહેતા મુકેશ ચૌધરીની વાડીમાં શેરડીની કાપણી ચાલી રહી હતી. ત્યારે દીપડીના ચાર બચ્ચા દેખાયા હતા. ખેત મજૂરોએ દીપડીના ચાર બચ્ચાને જોયા બાદ ખેતરની અંદર મૂકી દીધા હતા. ડુંગરી ગામના લોકોને ખબર પડતા તેઓ પણ બચ્ચાઓને જોવા માટે ભેગા થઈ ગયા હતા. દીપડીના બચ્ચા 10 કે 15 દિવસના લાગી રહ્યા હતા. દીપડો કે દીપડી ખેતરના વિસ્તારોમાં ના દેખાતા ગ્રામજનોનો જમાવડો થઈ ગયો હતો. 


દક્ષિણ ગુજરાતનો વિસ્તાર શેરડી માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણી સુગર મીલ આવેલી છે જ્યાં મોટી માત્રામાં ખાડનું ઉત્પાદન થાય છે. આથી શેરડીના ખેતરો ત્યાં વધુ હોય છે. એવા જ ખેતરમાં ચાર બચ્ચાઓ મળી આવ્યા હતા. ચારમાંથી બે બાળકો રમતા રમતા ખેતરમાં ઘૂસી ગયા હતા જ્યારે બાકીના બે બચ્ચાને ખેતર માલિક અમિત ભાવસારે ખેતરની અંદર છોડી દીધા હતા.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.