સુરતઃ ડુંગરી ગામે શેરડી કાપતા 15 દિવસના દીપડીના ચાર બચ્ચા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 17:17:18

સુરતના મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડીની કાપણી ચાલી રહી હતી. જેમાં ગજબની ઘટના ઘટી હતી. કાપણી દરમિયાન દીપડીના ચાર બચ્ચા મળી આવ્યા હતા. કાપણી કરતા ખેડૂતો પહેલા તો ડરી ગયા હતા કારણ કે બચ્ચા હોય તેનો સીધો મતલબ થાય કે દીપડી પણ નજીક હોય શકે. 

ખેતર માલિકે બચ્ચાને ખેતરમાં પાછા છોડ્યાં

 ડુંગરીના આંબાવાડી ફળિયા વિસ્તારમાં રહેતા મુકેશ ચૌધરીની વાડીમાં શેરડીની કાપણી ચાલી રહી હતી. ત્યારે દીપડીના ચાર બચ્ચા દેખાયા હતા. ખેત મજૂરોએ દીપડીના ચાર બચ્ચાને જોયા બાદ ખેતરની અંદર મૂકી દીધા હતા. ડુંગરી ગામના લોકોને ખબર પડતા તેઓ પણ બચ્ચાઓને જોવા માટે ભેગા થઈ ગયા હતા. દીપડીના બચ્ચા 10 કે 15 દિવસના લાગી રહ્યા હતા. દીપડો કે દીપડી ખેતરના વિસ્તારોમાં ના દેખાતા ગ્રામજનોનો જમાવડો થઈ ગયો હતો. 


દક્ષિણ ગુજરાતનો વિસ્તાર શેરડી માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણી સુગર મીલ આવેલી છે જ્યાં મોટી માત્રામાં ખાડનું ઉત્પાદન થાય છે. આથી શેરડીના ખેતરો ત્યાં વધુ હોય છે. એવા જ ખેતરમાં ચાર બચ્ચાઓ મળી આવ્યા હતા. ચારમાંથી બે બાળકો રમતા રમતા ખેતરમાં ઘૂસી ગયા હતા જ્યારે બાકીના બે બચ્ચાને ખેતર માલિક અમિત ભાવસારે ખેતરની અંદર છોડી દીધા હતા.  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"