સુરતઃ ડુંગરી ગામે શેરડી કાપતા 15 દિવસના દીપડીના ચાર બચ્ચા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 17:17:18

સુરતના મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડીની કાપણી ચાલી રહી હતી. જેમાં ગજબની ઘટના ઘટી હતી. કાપણી દરમિયાન દીપડીના ચાર બચ્ચા મળી આવ્યા હતા. કાપણી કરતા ખેડૂતો પહેલા તો ડરી ગયા હતા કારણ કે બચ્ચા હોય તેનો સીધો મતલબ થાય કે દીપડી પણ નજીક હોય શકે. 

ખેતર માલિકે બચ્ચાને ખેતરમાં પાછા છોડ્યાં

 ડુંગરીના આંબાવાડી ફળિયા વિસ્તારમાં રહેતા મુકેશ ચૌધરીની વાડીમાં શેરડીની કાપણી ચાલી રહી હતી. ત્યારે દીપડીના ચાર બચ્ચા દેખાયા હતા. ખેત મજૂરોએ દીપડીના ચાર બચ્ચાને જોયા બાદ ખેતરની અંદર મૂકી દીધા હતા. ડુંગરી ગામના લોકોને ખબર પડતા તેઓ પણ બચ્ચાઓને જોવા માટે ભેગા થઈ ગયા હતા. દીપડીના બચ્ચા 10 કે 15 દિવસના લાગી રહ્યા હતા. દીપડો કે દીપડી ખેતરના વિસ્તારોમાં ના દેખાતા ગ્રામજનોનો જમાવડો થઈ ગયો હતો. 


દક્ષિણ ગુજરાતનો વિસ્તાર શેરડી માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણી સુગર મીલ આવેલી છે જ્યાં મોટી માત્રામાં ખાડનું ઉત્પાદન થાય છે. આથી શેરડીના ખેતરો ત્યાં વધુ હોય છે. એવા જ ખેતરમાં ચાર બચ્ચાઓ મળી આવ્યા હતા. ચારમાંથી બે બાળકો રમતા રમતા ખેતરમાં ઘૂસી ગયા હતા જ્યારે બાકીના બે બચ્ચાને ખેતર માલિક અમિત ભાવસારે ખેતરની અંદર છોડી દીધા હતા.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.