સુરતઃ ડુંગરી ગામે શેરડી કાપતા 15 દિવસના દીપડીના ચાર બચ્ચા મળ્યા


  • Published By :
  • Published Date : 2022-11-16 17:17:18

સુરતના મહુવા તાલુકાના ડુંગરી ગામે શેરડીની કાપણી ચાલી રહી હતી. જેમાં ગજબની ઘટના ઘટી હતી. કાપણી દરમિયાન દીપડીના ચાર બચ્ચા મળી આવ્યા હતા. કાપણી કરતા ખેડૂતો પહેલા તો ડરી ગયા હતા કારણ કે બચ્ચા હોય તેનો સીધો મતલબ થાય કે દીપડી પણ નજીક હોય શકે. 

ખેતર માલિકે બચ્ચાને ખેતરમાં પાછા છોડ્યાં

 ડુંગરીના આંબાવાડી ફળિયા વિસ્તારમાં રહેતા મુકેશ ચૌધરીની વાડીમાં શેરડીની કાપણી ચાલી રહી હતી. ત્યારે દીપડીના ચાર બચ્ચા દેખાયા હતા. ખેત મજૂરોએ દીપડીના ચાર બચ્ચાને જોયા બાદ ખેતરની અંદર મૂકી દીધા હતા. ડુંગરી ગામના લોકોને ખબર પડતા તેઓ પણ બચ્ચાઓને જોવા માટે ભેગા થઈ ગયા હતા. દીપડીના બચ્ચા 10 કે 15 દિવસના લાગી રહ્યા હતા. દીપડો કે દીપડી ખેતરના વિસ્તારોમાં ના દેખાતા ગ્રામજનોનો જમાવડો થઈ ગયો હતો. 


દક્ષિણ ગુજરાતનો વિસ્તાર શેરડી માટે પ્રખ્યાત છે. ત્યાં ઘણી સુગર મીલ આવેલી છે જ્યાં મોટી માત્રામાં ખાડનું ઉત્પાદન થાય છે. આથી શેરડીના ખેતરો ત્યાં વધુ હોય છે. એવા જ ખેતરમાં ચાર બચ્ચાઓ મળી આવ્યા હતા. ચારમાંથી બે બાળકો રમતા રમતા ખેતરમાં ઘૂસી ગયા હતા જ્યારે બાકીના બે બચ્ચાને ખેતર માલિક અમિત ભાવસારે ખેતરની અંદર છોડી દીધા હતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.