Rajkotમાં ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત, પરિવારે બાળકીના ચક્ષુદાન કરી બીજાની આંખોને આપી રોશની


  • Published By :
  • Published Date : 2023-08-25 17:21:43

રાજ્યમાં રોગચાળો સતત વધતો જઈ રહ્યો છે. વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.અનેક લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. ત્યારે વધુ એક બાળકીનું મોત રોગચાળાને કારણે થયું છે. રાજકોટમાં રોગચાળાને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. ડેન્ગ્યુને કારણે તેનું મોત થયું છે. બે દિવસની અંદર તેનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના પરિવારે તેના ચક્ષુનુ દાન કર્યું છે.



ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત 

ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વખતે વકરેલા રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. ચાંદીના કારખાનામાં કામ કરતા પરિવારમાં રહેતા નાના બાળકનું મોત ડેન્ગ્યુને કારણે થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનું નામ રિયા છે. પોતાના પરિવારને રડતા મૂકી રિયા અનંતની યાત્રાએ નીકળી ગઈ છે. 

પરિવારની મહિલાઓમાં ગમગીની.

પરિવારે બાળકીની આંખોનું કર્યું દાન 

બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી તો પ્રવર્તી ઉઠી હતી. રિયાનું મોત થતાં પરિવારે બાળકીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની બાળકીની આંખનું દાન થતાં બીજા બાળકની આંખને રોશની મળી છે. બીજાના જીવનમાં રોશની ફેલાય તે માટે પરિવારે રિયાની આંખોનું દાન કર્યું છે. પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર અમુક કલાકોની અંદર જ તમામ વ્યવસ્થા કરવામાં આવી.      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી