Rajkotમાં ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત, પરિવારે બાળકીના ચક્ષુદાન કરી બીજાની આંખોને આપી રોશની


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-25 17:21:43

રાજ્યમાં રોગચાળો સતત વધતો જઈ રહ્યો છે. વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.અનેક લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. ત્યારે વધુ એક બાળકીનું મોત રોગચાળાને કારણે થયું છે. રાજકોટમાં રોગચાળાને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. ડેન્ગ્યુને કારણે તેનું મોત થયું છે. બે દિવસની અંદર તેનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના પરિવારે તેના ચક્ષુનુ દાન કર્યું છે.



ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત 

ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વખતે વકરેલા રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. ચાંદીના કારખાનામાં કામ કરતા પરિવારમાં રહેતા નાના બાળકનું મોત ડેન્ગ્યુને કારણે થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનું નામ રિયા છે. પોતાના પરિવારને રડતા મૂકી રિયા અનંતની યાત્રાએ નીકળી ગઈ છે. 

પરિવારની મહિલાઓમાં ગમગીની.

પરિવારે બાળકીની આંખોનું કર્યું દાન 

બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી તો પ્રવર્તી ઉઠી હતી. રિયાનું મોત થતાં પરિવારે બાળકીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની બાળકીની આંખનું દાન થતાં બીજા બાળકની આંખને રોશની મળી છે. બીજાના જીવનમાં રોશની ફેલાય તે માટે પરિવારે રિયાની આંખોનું દાન કર્યું છે. પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર અમુક કલાકોની અંદર જ તમામ વ્યવસ્થા કરવામાં આવી.      



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે