Rajkotમાં ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત, પરિવારે બાળકીના ચક્ષુદાન કરી બીજાની આંખોને આપી રોશની


  • Published By :
  • Published Date : 2023-08-25 17:21:43

રાજ્યમાં રોગચાળો સતત વધતો જઈ રહ્યો છે. વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.અનેક લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. ત્યારે વધુ એક બાળકીનું મોત રોગચાળાને કારણે થયું છે. રાજકોટમાં રોગચાળાને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. ડેન્ગ્યુને કારણે તેનું મોત થયું છે. બે દિવસની અંદર તેનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના પરિવારે તેના ચક્ષુનુ દાન કર્યું છે.



ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત 

ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વખતે વકરેલા રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. ચાંદીના કારખાનામાં કામ કરતા પરિવારમાં રહેતા નાના બાળકનું મોત ડેન્ગ્યુને કારણે થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનું નામ રિયા છે. પોતાના પરિવારને રડતા મૂકી રિયા અનંતની યાત્રાએ નીકળી ગઈ છે. 

પરિવારની મહિલાઓમાં ગમગીની.

પરિવારે બાળકીની આંખોનું કર્યું દાન 

બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી તો પ્રવર્તી ઉઠી હતી. રિયાનું મોત થતાં પરિવારે બાળકીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની બાળકીની આંખનું દાન થતાં બીજા બાળકની આંખને રોશની મળી છે. બીજાના જીવનમાં રોશની ફેલાય તે માટે પરિવારે રિયાની આંખોનું દાન કર્યું છે. પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર અમુક કલાકોની અંદર જ તમામ વ્યવસ્થા કરવામાં આવી.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.