Rajkotમાં ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત, પરિવારે બાળકીના ચક્ષુદાન કરી બીજાની આંખોને આપી રોશની


  • Published By :
  • Published Date : 2023-08-25 17:21:43

રાજ્યમાં રોગચાળો સતત વધતો જઈ રહ્યો છે. વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.અનેક લોકોના મોત રોગચાળાને કારણે થયા છે. ત્યારે વધુ એક બાળકીનું મોત રોગચાળાને કારણે થયું છે. રાજકોટમાં રોગચાળાને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. ડેન્ગ્યુને કારણે તેનું મોત થયું છે. બે દિવસની અંદર તેનું મોત થઈ ગયું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીના મૃત્યુ બાદ બાળકીના પરિવારે તેના ચક્ષુનુ દાન કર્યું છે.



ચાર વર્ષની બાળકીનું થયું ડેન્ગ્યુને કારણે મોત 

ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વખતે વકરેલા રોગચાળાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક લોકોએ પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. નાના બાળકો પણ રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે રાજકોટમાં રહેતા શ્રમિક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. ચાંદીના કારખાનામાં કામ કરતા પરિવારમાં રહેતા નાના બાળકનું મોત ડેન્ગ્યુને કારણે થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનું નામ રિયા છે. પોતાના પરિવારને રડતા મૂકી રિયા અનંતની યાત્રાએ નીકળી ગઈ છે. 

પરિવારની મહિલાઓમાં ગમગીની.

પરિવારે બાળકીની આંખોનું કર્યું દાન 

બાળકીનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી તો પ્રવર્તી ઉઠી હતી. રિયાનું મોત થતાં પરિવારે બાળકીનું ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની બાળકીની આંખનું દાન થતાં બીજા બાળકની આંખને રોશની મળી છે. બીજાના જીવનમાં રોશની ફેલાય તે માટે પરિવારે રિયાની આંખોનું દાન કર્યું છે. પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો અને માત્ર અમુક કલાકોની અંદર જ તમામ વ્યવસ્થા કરવામાં આવી.      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.