સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે પોલીસે નરાધમની કરી ધરપકડ, માસુમ ICUમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-22 20:22:00

ડાયમંડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તેમાં પણ માસુમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા- પિતા જાગી ગયા હતા. બાળકીને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.


નરાધમ ઝડપાયો


સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી CCTV કેમેરામાં કેદ થયો હતો. સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. RJD પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો મૂળ મધ્યપ્રદેશનો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો.નરાધમ અજય રાય રાત્રિના સમયે આરોપી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. બાળકી રડતી-રડતી મોડી રાત્રે ઘરે આવી હતી. પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. 


બાળકી ICUમાં દાખલ


માત્ર 4 વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી બાળકીની સર્જરી કરવામાં આવી હતી જે આશરે બે કલાક સુધી ચાલી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જ્યારે ચહેરા ઉપર પણ ઇજાઓ જોવા મળી છે. બાળકીને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.


પોલીસે શું કહ્યું?


સુરતની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી પરિવારનો પરિચિત હતો. વારંવાર બાળકીને રમવા માટે લઈ જતો હતો અને બાળકીને ચોકલેટ પણ આપતો હતો. બાળકી માતા પિતા સાથે હતી ત્યારે રાત્રે તેને તે ઊંચકી ગયો હતો અને દુષ્કર્મ આચાર્ય બાદ તે ઘરે જઈને સૂઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 21 વર્ષીય અજય રાયની ધરપકડ કરી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.