સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે પોલીસે નરાધમની કરી ધરપકડ, માસુમ ICUમાં દાખલ


  • Published By :
  • Published Date : 2023-06-22 20:22:00

ડાયમંડ સીટી તરીકે જગવિખ્યાત સુરતમાં ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તેમાં પણ માસુમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ચાર વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાળકીનો રડવાનો અવાજ સાંભળી માતા- પિતા જાગી ગયા હતા. બાળકીને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.


નરાધમ ઝડપાયો


સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની અટકાયત કરી હતી. આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી CCTV કેમેરામાં કેદ થયો હતો. સુરતના ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. RJD પાર્કમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહેતો મૂળ મધ્યપ્રદેશનો પરિવાર રાત્રે બે વાગ્યાની આસપાસ બાળકીના રડવાનો અવાજ સાંભળતા જાગી ગયો હતો.નરાધમ અજય રાય રાત્રિના સમયે આરોપી બાળકીને ઉંચકીને લઈ ગયો હતો. બાળકી રડતી-રડતી મોડી રાત્રે ઘરે આવી હતી. પરિવારે જોયું કે બાળકી લોહીલુહાણ હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક 108ની મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે. 


બાળકી ICUમાં દાખલ


માત્ર 4 વર્ષની બાળકીને લોહી લુહાણ હાલતમાં જોઈ પિતા અને માતા ધ્રુજી ઉઠ્યા હતા. બાળકીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં બે કલાક સુધી બાળકીની સર્જરી કરવામાં આવી હતી જે આશરે બે કલાક સુધી ચાલી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ જ્યારે ચહેરા ઉપર પણ ઇજાઓ જોવા મળી છે. બાળકીને હાલ આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.


પોલીસે શું કહ્યું?


સુરતની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપી પરિવારનો પરિચિત હતો. વારંવાર બાળકીને રમવા માટે લઈ જતો હતો અને બાળકીને ચોકલેટ પણ આપતો હતો. બાળકી માતા પિતા સાથે હતી ત્યારે રાત્રે તેને તે ઊંચકી ગયો હતો અને દુષ્કર્મ આચાર્ય બાદ તે ઘરે જઈને સૂઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 21 વર્ષીય અજય રાયની ધરપકડ કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.