શૈક્ષણિક વર્ષ 2023-24માં સ્નાતક ડિગ્રી મેળવવા કરવો પડશે ચાર વર્ષોનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2023-01-08 16:22:30

ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક ચર્ચાઓ તેમજ અનેક મહત્વના નિર્ણયો લેવાય હતા. તેમાં સૌ મોટો નિર્ણય હતો કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ 3 વર્ષ નહીં પરંતુ ચાર વર્ષનો અભ્યાસ કરવો પડશે.  

Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે  યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ | TV9 Gujarati


સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય 

છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા-નવા નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્નાતક ડિગ્રી મેળવવા વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. એટલે જે ડિગ્રી 3 વર્ષમાં મળતી હતી તે હવે ચાર વર્ષ બાદ મળશે. 7 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. 


શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરાશે 

આ નવો નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24થી બીકોમ, બીએસસી, બીએ જેવા કોર્સમાં 4 વર્ષનો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સનો અમલ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામમાં નવો નિયમ લાગુ થશે.યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એક વર્ષનો થઈ જશે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના જે પાંચ વર્ષ હતા તે અત્યારે પણ એ જ પ્રમાણે રહેશે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.