શૈક્ષણિક વર્ષ 2023-24માં સ્નાતક ડિગ્રી મેળવવા કરવો પડશે ચાર વર્ષોનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2023-01-08 16:22:30

ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક ચર્ચાઓ તેમજ અનેક મહત્વના નિર્ણયો લેવાય હતા. તેમાં સૌ મોટો નિર્ણય હતો કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ 3 વર્ષ નહીં પરંતુ ચાર વર્ષનો અભ્યાસ કરવો પડશે.  

Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે  યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ | TV9 Gujarati


સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય 

છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા-નવા નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્નાતક ડિગ્રી મેળવવા વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. એટલે જે ડિગ્રી 3 વર્ષમાં મળતી હતી તે હવે ચાર વર્ષ બાદ મળશે. 7 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. 


શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરાશે 

આ નવો નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24થી બીકોમ, બીએસસી, બીએ જેવા કોર્સમાં 4 વર્ષનો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સનો અમલ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામમાં નવો નિયમ લાગુ થશે.યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એક વર્ષનો થઈ જશે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના જે પાંચ વર્ષ હતા તે અત્યારે પણ એ જ પ્રમાણે રહેશે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.