શૈક્ષણિક વર્ષ 2023-24માં સ્નાતક ડિગ્રી મેળવવા કરવો પડશે ચાર વર્ષોનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2023-01-08 16:22:30

ગઈકાલે એટલે કે શનિવારે ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં અનેક ચર્ચાઓ તેમજ અનેક મહત્વના નિર્ણયો લેવાય હતા. તેમાં સૌ મોટો નિર્ણય હતો કે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓએ 3 વર્ષ નહીં પરંતુ ચાર વર્ષનો અભ્યાસ કરવો પડશે.  

Gujarat University : SEM-1 ની ઓફલાઈન પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે  યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતાઓ | TV9 Gujarati


સિન્ડિકેટ સભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય 

છેલ્લા ઘણા સમયથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવા-નવા નિર્ણય લેવાઈ રહ્યા છે ત્યારે વધુ એક મોટો નિર્ણય ગુજરાત યુનિવર્સીટી દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્નાતક ડિગ્રી મેળવવા વધુ એક વર્ષ અભ્યાસ કરવો પડશે. એટલે જે ડિગ્રી 3 વર્ષમાં મળતી હતી તે હવે ચાર વર્ષ બાદ મળશે. 7 જાન્યુઆરીએ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો છે. 


શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ કરાશે 

આ નવો નિર્ણય શૈક્ષણિક વર્ષ 2023-24 લાગુ કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023-24થી બીકોમ, બીએસસી, બીએ જેવા કોર્સમાં 4 વર્ષનો અભ્યાસ કરાવવામાં આવશે. આ કોર્સનો અમલ ઓનલાઈન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામમાં નવો નિયમ લાગુ થશે.યુનિવર્સિટીના આ નિર્ણયને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ એક વર્ષનો થઈ જશે જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટના જે પાંચ વર્ષ હતા તે અત્યારે પણ એ જ પ્રમાણે રહેશે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.