India vs Australia: ભારતને ચોથો ઝટકો, વિરાટ કોહલી 54 પર આઉટ, રાહુલ-જાડેજા પર ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ મદાર


  • Published By :
  • Published Date : 2023-11-19 16:40:38

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓસ્ટ્રેલિયાએ પણ સેમિફાઇનલ ટીમ સાથે પ્રવેશ કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ વર્લ્ડ કપ ફાઇનલમાં આમને-સામને છે. આ પહેલા આ બંને ટીમો 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી.  ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઈનલ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ મહત્વની અપડેટ તમે અહીં વાંચી શકો છો.


ભારતની ચોથી વિકેટ પડી


ભારતની ચોથી વિકેટ પડી છે. ઓસ્ટ્રેલિયાને વિરાટ કોહલીની મોટી વિકેટ મળી છે. કોહલીએ 54 રન બનાવ્યા હતા. કોહલીએ 63 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. 28.3 ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 148 રન છે. રવિન્દ્ર જાડેજા 0 રને અને કેએલ રાહુલ 37 રને રમી રહ્યા છે. શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં નિરાશ કર્યો છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. શ્રેયસને પેટ કમિન્સ દ્વારા વિકેટ પાછળ જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.  રોહિત શર્મા 47 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો છે. રોહિત ટ્રેવિસ હેડના હાથે ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 31 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાને શુભમન ગિલની પહેલી મોટી વિકેટ મળી હતી. સ્ટાર્કે ગિલને પવેલિયન ભેગો કર્યો હતો. ગિલ એડમ ઝમ્પાના હાથે કેચ થયો હતો. ગિલે સાત બોલનો સામનો કર્યો હતો અને માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. ભારતનો સ્કોર 32 ઓવરમાં 4 વિકેટ પર 162 રન છે.


પેટ કમિન્સે શા માટે બોલિંગનો નિર્ણય કર્યો


પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય અંગે પેટ કમિન્સે કહ્યું, 'અમને પહેલા બોલિંગ કરવામાં આવી રહી છે. વિકેટ ડ્રાય વિકેટ લાગે છે. ઝાકળ એક પરિબળ છે. આના પર પાછળથી બેટિંગ કરવી વધુ સારું રહેશે. ટૂર્નામેન્ટની શરૂઆત કઠિન થઈ હતી, પરંતુ તે પછી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. તે બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે ભારતીય ખેલાડીઓ સાથે ઘણું રમ્યા છીએ. અમે સેમીફાઈનલ ટીમ સાથે જઈ રહ્યા છીએ.


હું બેટીંગ કરવા ઇચ્છતો હતો


રોહિત શર્મા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ હાર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. રોહિતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિતે કહ્યું, 'જો તેણે ટોસ જીત્યો હોત, તો પણ તેણે પહેલા બેટિંગ જ કરી હોત, પિચ સારી લાગે છે, આ એક મોટી રમત છે અને બોર્ડ પર રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ ખૂબ જ શાનદાર બનવાની છે, જ્યારે પણ અમે અહીં રમીએ છીએ ત્યારે ચાહકો મોટી સંખ્યામાં આવેશે. અમારે શ્રેષ્ઠ રમવું પડશે અને શાંત રહેવું પડશે. ફાઇનલમાં ટીમની કપ્તાની કરવી એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. મને ખબર છે કે આપણી સામે કોણ છે. અમારે સારું રમીને પરિણામ મેળવવાની જરૂર છે. મેદાનમાં યોગ્ય નિર્ણયો લેવા પડશે. આ એવું છે જે અમે છેલ્લી 10 મેચોમાં સતત કર્યું છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી."


ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ


ટીમ ઓસ્ટ્રેલિયા


ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ



સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.