India vs Australia: ભારતને ચોથો ઝટકો, વિરાટ કોહલી 54 પર આઉટ, રાહુલ-જાડેજા પર ટીમ ઈન્ડિયાનો સંપૂર્ણ મદાર


  • Published By :
  • Published Date : 2023-11-19 16:40:38

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારત પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓસ્ટ્રેલિયાએ પણ સેમિફાઇનલ ટીમ સાથે પ્રવેશ કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 વર્ષ બાદ વર્લ્ડ કપ ફાઇનલમાં આમને-સામને છે. આ પહેલા આ બંને ટીમો 2003 વર્લ્ડ કપની ફાઇનલમાં આમને-સામને હતી.  ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઈનલ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ મહત્વની અપડેટ તમે અહીં વાંચી શકો છો.


ભારતની ચોથી વિકેટ પડી


ભારતની ચોથી વિકેટ પડી છે. ઓસ્ટ્રેલિયાને વિરાટ કોહલીની મોટી વિકેટ મળી છે. કોહલીએ 54 રન બનાવ્યા હતા. કોહલીએ 63 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીને પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો. 28.3 ઓવરમાં ભારતનો સ્કોર ચાર વિકેટે 148 રન છે. રવિન્દ્ર જાડેજા 0 રને અને કેએલ રાહુલ 37 રને રમી રહ્યા છે. શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં નિરાશ કર્યો છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. શ્રેયસને પેટ કમિન્સ દ્વારા વિકેટ પાછળ જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.  રોહિત શર્મા 47 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો છે. રોહિત ટ્રેવિસ હેડના હાથે ગ્લેન મેક્સવેલના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતે 31 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાને શુભમન ગિલની પહેલી મોટી વિકેટ મળી હતી. સ્ટાર્કે ગિલને પવેલિયન ભેગો કર્યો હતો. ગિલ એડમ ઝમ્પાના હાથે કેચ થયો હતો. ગિલે સાત બોલનો સામનો કર્યો હતો અને માત્ર ચાર રન બનાવીને આઉટ થયો હતો. ભારતનો સ્કોર 32 ઓવરમાં 4 વિકેટ પર 162 રન છે.


પેટ કમિન્સે શા માટે બોલિંગનો નિર્ણય કર્યો


પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય અંગે પેટ કમિન્સે કહ્યું, 'અમને પહેલા બોલિંગ કરવામાં આવી રહી છે. વિકેટ ડ્રાય વિકેટ લાગે છે. ઝાકળ એક પરિબળ છે. આના પર પાછળથી બેટિંગ કરવી વધુ સારું રહેશે. ટૂર્નામેન્ટની શરૂઆત કઠિન થઈ હતી, પરંતુ તે પછી ખરેખર કોઈ ભૂલ થઈ નથી. તે બધું સંપૂર્ણપણે વ્યવસ્થિત છે. અમે ભારતીય ખેલાડીઓ સાથે ઘણું રમ્યા છીએ. અમે સેમીફાઈનલ ટીમ સાથે જઈ રહ્યા છીએ.


હું બેટીંગ કરવા ઇચ્છતો હતો


રોહિત શર્મા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ હાર્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. રોહિતે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિતે કહ્યું, 'જો તેણે ટોસ જીત્યો હોત, તો પણ તેણે પહેલા બેટિંગ જ કરી હોત, પિચ સારી લાગે છે, આ એક મોટી રમત છે અને બોર્ડ પર રન બનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ મેચ ખૂબ જ શાનદાર બનવાની છે, જ્યારે પણ અમે અહીં રમીએ છીએ ત્યારે ચાહકો મોટી સંખ્યામાં આવેશે. અમારે શ્રેષ્ઠ રમવું પડશે અને શાંત રહેવું પડશે. ફાઇનલમાં ટીમની કપ્તાની કરવી એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. મને ખબર છે કે આપણી સામે કોણ છે. અમારે સારું રમીને પરિણામ મેળવવાની જરૂર છે. મેદાનમાં યોગ્ય નિર્ણયો લેવા પડશે. આ એવું છે જે અમે છેલ્લી 10 મેચોમાં સતત કર્યું છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી."


ટીમ ઈન્ડિયા


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ


ટીમ ઓસ્ટ્રેલિયા


ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લેબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ



આપણી બંધારણીય સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલેકે , GPSCને ગુજરાતની વડી અદાલત દ્વારા વેધક ટિપ્પણીઓ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે GPSCને આપખુદ ગણાવી છે. આ ઉપરાંત, GPSCના પેપર સેંટરને લઇને ફરી સવાલ ઉભા થયા છે. હવે હાઇકોર્ટે GPSCને પેપર સેંટરના નામ પણ ડિસ્કલોઝ કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.