ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, ભારતના રેન્કિંગને ઝટકો, પાકિસ્તાન અને ચીન કયા ક્રમે?


  • Published By :
  • Published Date : 2024-02-19 15:59:36

જીઓપોલિટિક્સમાં કોઈ પણ દેશનો સોફ્ટ પાવર તેના પાસપોર્ટ પરથી જાણવા મળે છે. એક શક્તિશાળી પાસપોર્ટ નાગરિકોને વિઝા વગર જ દુનિયાભરના દેશોમાં યાત્રા કરવાની મંજુરી આપે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) 2024 દુનિયાભરના દેશોને તેના પાસપોર્ટની તાકાત પર રેંક આપે છે. વર્ષ 2024ની હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સની યાદી સામે આવી છે. વર્ષ 2024માં આ લિસ્ટમાં સૌથી ઉપર ફ્રાન્સ છે, ફ્રાન્સના પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર જ દુનિયાના 194 દેશોમાં જઈ શકો છો. 


ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતની સ્થિતી અંગે વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતનું ગત વર્ષની તુલનામાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પાસપોર્ટ એક ક્રમાંક નીચે આવી ગયો છે. હેનલેએ ભારતને 85મો રેંક આપ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 62 દેશોમાં વિઝા વગર જ જઈ શકશે.ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 106 નંબર પર, બાંગ્લાદેશ 102, માલદીવ 58માં સ્થાન પર છે. 


કયા દેશોનો પાસપોર્ટ છે શક્તિશાળી?

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ફ્રાન્સ જ નહીં પણ યુરોપના અન્ય દેશો જેવા કે જર્મની, ઈટલી, સ્પેન, જાપાન, અને સિંગાપુરના પાસપોર્ટ નંબર વન પર છે. તે જ પ્રકારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિડન બીજા ક્રમે છે, આ દેશોના લોકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. તે ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, લક્ઝમર્ગ અને બ્રિટનનો નંબર આવે છે. સુપર પાવર મનાતા અમેરિકા અને ચીન આ ક્રમાંકમાં અનુક્રમે 6 અને 64 પર છે. અમેરિકાના નાગરિકો વિશ્વના 189 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. 


આ 5 દેશોનું સૌથી ખરાબ રેન્કિંગ

સૌથી ખરાબ રેન્કિંગવાળા ટોપ 5 પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, પાકિસ્તાન અને યમનનો નંબર આવે છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .