ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, ભારતના રેન્કિંગને ઝટકો, પાકિસ્તાન અને ચીન કયા ક્રમે?


  • Published By :
  • Published Date : 2024-02-19 15:59:36

જીઓપોલિટિક્સમાં કોઈ પણ દેશનો સોફ્ટ પાવર તેના પાસપોર્ટ પરથી જાણવા મળે છે. એક શક્તિશાળી પાસપોર્ટ નાગરિકોને વિઝા વગર જ દુનિયાભરના દેશોમાં યાત્રા કરવાની મંજુરી આપે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) 2024 દુનિયાભરના દેશોને તેના પાસપોર્ટની તાકાત પર રેંક આપે છે. વર્ષ 2024ની હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સની યાદી સામે આવી છે. વર્ષ 2024માં આ લિસ્ટમાં સૌથી ઉપર ફ્રાન્સ છે, ફ્રાન્સના પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર જ દુનિયાના 194 દેશોમાં જઈ શકો છો. 


ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતની સ્થિતી અંગે વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતનું ગત વર્ષની તુલનામાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પાસપોર્ટ એક ક્રમાંક નીચે આવી ગયો છે. હેનલેએ ભારતને 85મો રેંક આપ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 62 દેશોમાં વિઝા વગર જ જઈ શકશે.ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 106 નંબર પર, બાંગ્લાદેશ 102, માલદીવ 58માં સ્થાન પર છે. 


કયા દેશોનો પાસપોર્ટ છે શક્તિશાળી?

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ફ્રાન્સ જ નહીં પણ યુરોપના અન્ય દેશો જેવા કે જર્મની, ઈટલી, સ્પેન, જાપાન, અને સિંગાપુરના પાસપોર્ટ નંબર વન પર છે. તે જ પ્રકારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિડન બીજા ક્રમે છે, આ દેશોના લોકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. તે ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, લક્ઝમર્ગ અને બ્રિટનનો નંબર આવે છે. સુપર પાવર મનાતા અમેરિકા અને ચીન આ ક્રમાંકમાં અનુક્રમે 6 અને 64 પર છે. અમેરિકાના નાગરિકો વિશ્વના 189 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. 


આ 5 દેશોનું સૌથી ખરાબ રેન્કિંગ

સૌથી ખરાબ રેન્કિંગવાળા ટોપ 5 પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, પાકિસ્તાન અને યમનનો નંબર આવે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.