ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી, ભારતના રેન્કિંગને ઝટકો, પાકિસ્તાન અને ચીન કયા ક્રમે?


  • Published By :
  • Published Date : 2024-02-19 15:59:36

જીઓપોલિટિક્સમાં કોઈ પણ દેશનો સોફ્ટ પાવર તેના પાસપોર્ટ પરથી જાણવા મળે છે. એક શક્તિશાળી પાસપોર્ટ નાગરિકોને વિઝા વગર જ દુનિયાભરના દેશોમાં યાત્રા કરવાની મંજુરી આપે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ (Henley Passport Index) 2024 દુનિયાભરના દેશોને તેના પાસપોર્ટની તાકાત પર રેંક આપે છે. વર્ષ 2024ની હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સની યાદી સામે આવી છે. વર્ષ 2024માં આ લિસ્ટમાં સૌથી ઉપર ફ્રાન્સ છે, ફ્રાન્સના પાસપોર્ટ દ્વારા તમે વિઝા વગર જ દુનિયાના 194 દેશોમાં જઈ શકો છો. 


ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતની સ્થિતી અંગે વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતનું ગત વર્ષની તુલનામાં ખરાબ પ્રદર્શન રહ્યું છે. ભારતીય પાસપોર્ટ એક ક્રમાંક નીચે આવી ગયો છે. હેનલેએ ભારતને 85મો રેંક આપ્યો છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના 62 દેશોમાં વિઝા વગર જ જઈ શકશે.ભારતના પાડોશી દેશોની વાત કરીએ તો પાકિસ્તાન 106 નંબર પર, બાંગ્લાદેશ 102, માલદીવ 58માં સ્થાન પર છે. 


કયા દેશોનો પાસપોર્ટ છે શક્તિશાળી?

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 મુજબ ફ્રાન્સ જ નહીં પણ યુરોપના અન્ય દેશો જેવા કે જર્મની, ઈટલી, સ્પેન, જાપાન, અને સિંગાપુરના પાસપોર્ટ નંબર વન પર છે. તે જ પ્રકારે ફિનલેન્ડ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિડન બીજા ક્રમે છે, આ દેશોના લોકો 193 દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. તે ઉપરાંત ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, આયરલેન્ડ, લક્ઝમર્ગ અને બ્રિટનનો નંબર આવે છે. સુપર પાવર મનાતા અમેરિકા અને ચીન આ ક્રમાંકમાં અનુક્રમે 6 અને 64 પર છે. અમેરિકાના નાગરિકો વિશ્વના 189 દેશોમાં વિઝા ફ્રી પ્રવાસ કરી શકે છે. 


આ 5 દેશોનું સૌથી ખરાબ રેન્કિંગ

સૌથી ખરાબ રેન્કિંગવાળા ટોપ 5 પાસપોર્ટમાં અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાક, પાકિસ્તાન અને યમનનો નંબર આવે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.