Gujaratમાં જામી ઠંડીની મોસમ! અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-07 13:15:04

શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝન હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો ઓછો લાગતો હતો પરંતુ ધીરે ધીરે ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડિસાનું તાપમાન 14.6 નોંધાયું હતું.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીનો અનુભવ આવનાર દિવસોમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું, ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં  18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી 3 દિવસ કાતિલ ઠંડી પડશે –  Gujaratmitra Daily Newspaper

આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનો પારો  

મહત્વનું છે કે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર પડી રહી છે. ગુજરાતનું તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહે છે. આવનાર દિવસોમાં આ તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં હાડ થિજવતી ઠંડી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.