Gujaratમાં જામી ઠંડીની મોસમ! અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-07 13:15:04

શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝન હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો ઓછો લાગતો હતો પરંતુ ધીરે ધીરે ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડિસાનું તાપમાન 14.6 નોંધાયું હતું.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીનો અનુભવ આવનાર દિવસોમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું, ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં  18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી 3 દિવસ કાતિલ ઠંડી પડશે –  Gujaratmitra Daily Newspaper

આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનો પારો  

મહત્વનું છે કે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર પડી રહી છે. ગુજરાતનું તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહે છે. આવનાર દિવસોમાં આ તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં હાડ થિજવતી ઠંડી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.