Gujaratમાં જામી ઠંડીની મોસમ! અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો, જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-12-07 13:15:04

શિયાળાની મોસમ ચાલી રહી છે પરંતુ રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિઝન હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે ઠંડીનો ચમકારો ઓછો લાગતો હતો પરંતુ ધીરે ધીરે ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. 11 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. નલિયાનું તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડિસાનું તાપમાન 14.6 નોંધાયું હતું.

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ક્યાં કેટલું તાપમાન નોંધાયું? 

ગુલાબી ઠંડીનો અહેસાસ ધીરે ધીરે ગુજરાતમાં થઈ રહ્યો છે. ગુજરાતીઓને કડકડતી ઠંડીનો અનુભવ આવનાર દિવસોમાં થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો 20 ડિગ્રી નીચે નોંધાયો હતો. અમદાવાદનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું, ભુજનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં  18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી, રાજકોટનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાતમાં સુસવાટા સાથે ઠંડીનું જોર વધ્યું, હજી 3 દિવસ કાતિલ ઠંડી પડશે –  Gujaratmitra Daily Newspaper

આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનો પારો  

મહત્વનું છે કે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર તેની અસર પડી રહી છે. ગુજરાતનું તાપમાન ગગડી રહ્યું છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણામાં ઠંડા પવનો સાથે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહે છે. આવનાર દિવસોમાં આ તાપમાન વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં હાડ થિજવતી ઠંડી થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.