બંગલામાં લાગી આગ ને પછી દિલ્હી હાઇકોર્ટના જજના ઘરેથી મળ્યો રૂપિયાનો ઢગલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 22:30:19

કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેમ જાય છે તો તે ન્યાય માંગવા જાય છે , આ ન્યાય કરે છે કોણ તો તે જજ કરે છે . સામાન્ય નાગરિકોને તેમની પાસેથી ન્યાયની આશા હોય છે . પણ જયારે ખબર પડે કે જજ પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે તો કેહવું જ શું. આવું જ દિલ્હી હાઈકોર્ટેના જજ યશવંત શર્મા સાથે થયું છે . જયારે તેમના ઘરમાં આગ લાગી ત્યારે તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવી  . તો આવો જાણીએ આખો મામલો છે શું? ૧૪મી માર્ચ હોળીની એ રાતે, લગભગ ૧૧:૩૦ વાગ્યે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે આગ લાગી . તે સમયે જસ્ટિસ વર્મા શહેરમાં હાજર નહોતા . ઘરે ખાલી તેમના માતા અને દીકરી જ હતા . પરિવારે ફાયર બ્રિગેડ અને પોલીસમાં ફોન કર્યો . પણ જયારે ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે માત્રામાં  કેશ મળી . આ ખબર સાંભળી સુપ્રીમકોર્ટનું કોલેજિયમ હરકતમાં આવી ગયું અને તેમની મૂળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરી દીધું . આ ટ્રાન્સફર કરવા માટેની કોલેજિયમે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી દીધી છે. જોકે કોલેજીયમના કેટલાક સદસ્યોનું માનવું છે કે , આવી ગંભીર ઘટના માટે માત્ર ટ્રાન્સફર યોગ્ય નથી . તેમની પર મહાભિયોગ ચાલવો જોઈએ . જોકે આ બાબતે , સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ સમગ્ર મામલે રિપોર્ટ આપવાનો  આદેશ આપી દીધો છે. 

Delhi HC judge with cash stash at home heaped praise on UPI

હવે તમને દિલ્હી હાઇકોર્ટના આ જસ્ટિસ યશવંત વર્માનો પરિચય આપી દઈએ. તેમનો જન્મ ૧૯૬૯માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો . તેમણે પોતાનું બીકોમ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી પૂરું કર્યું છે . આ પછી ૧૯૯૨માં તેઓ એડવોકેટ બન્યા . આ બાદ ૨૦૧૪ની સાલમાં પ્રથમ વખત અલ્હાબાદ હાઈકૉર્ટમાં એડિશનલ જજ બન્યા . આખરે જસ્ટિસ યશવંત વર્માની ૨૦૨૧માં દિલ્હી હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. હાલમાં તેઓ આ દિલ્હી હાઈકૉર્ટમાં સિનિયોરિટીના ક્રમમાં બીજા નંબરે છે. ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા જયારે તેમણે ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોંગ્રેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તેમણે નેટફ્લિક્સની સિરીઝ "ટ્રાયલ બાય ફાયર" ની રિલીઝનો આદેશ આપ્યો હતો .



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.