બંગલામાં લાગી આગ ને પછી દિલ્હી હાઇકોર્ટના જજના ઘરેથી મળ્યો રૂપિયાનો ઢગલો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-21 22:30:19

કોર્ટમાં કોઈ પણ વ્યક્તિ કેમ જાય છે તો તે ન્યાય માંગવા જાય છે , આ ન્યાય કરે છે કોણ તો તે જજ કરે છે . સામાન્ય નાગરિકોને તેમની પાસેથી ન્યાયની આશા હોય છે . પણ જયારે ખબર પડે કે જજ પર જ ભ્રષ્ટાચારના આરોપ લાગે તો કેહવું જ શું. આવું જ દિલ્હી હાઈકોર્ટેના જજ યશવંત શર્મા સાથે થયું છે . જયારે તેમના ઘરમાં આગ લાગી ત્યારે તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવી  . તો આવો જાણીએ આખો મામલો છે શું? ૧૪મી માર્ચ હોળીની એ રાતે, લગભગ ૧૧:૩૦ વાગ્યે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના સરકારી બંગલે આગ લાગી . તે સમયે જસ્ટિસ વર્મા શહેરમાં હાજર નહોતા . ઘરે ખાલી તેમના માતા અને દીકરી જ હતા . પરિવારે ફાયર બ્રિગેડ અને પોલીસમાં ફોન કર્યો . પણ જયારે ફાયરબ્રિગેડ આગ બુઝાવવા ઘરમાં પહોંચ્યા ત્યારે તેમને ભારે માત્રામાં  કેશ મળી . આ ખબર સાંભળી સુપ્રીમકોર્ટનું કોલેજિયમ હરકતમાં આવી ગયું અને તેમની મૂળ હાઇકોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કરી દીધું . આ ટ્રાન્સફર કરવા માટેની કોલેજિયમે કેન્દ્ર સરકારને ભલામણ પણ કરી દીધી છે. જોકે કોલેજીયમના કેટલાક સદસ્યોનું માનવું છે કે , આવી ગંભીર ઘટના માટે માત્ર ટ્રાન્સફર યોગ્ય નથી . તેમની પર મહાભિયોગ ચાલવો જોઈએ . જોકે આ બાબતે , સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને આ સમગ્ર મામલે રિપોર્ટ આપવાનો  આદેશ આપી દીધો છે. 

Delhi HC judge with cash stash at home heaped praise on UPI

હવે તમને દિલ્હી હાઇકોર્ટના આ જસ્ટિસ યશવંત વર્માનો પરિચય આપી દઈએ. તેમનો જન્મ ૧૯૬૯માં ઉત્તરપ્રદેશના અલ્હાબાદમાં થયો હતો . તેમણે પોતાનું બીકોમ દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજમાંથી પૂરું કર્યું છે . આ પછી ૧૯૯૨માં તેઓ એડવોકેટ બન્યા . આ બાદ ૨૦૧૪ની સાલમાં પ્રથમ વખત અલ્હાબાદ હાઈકૉર્ટમાં એડિશનલ જજ બન્યા . આખરે જસ્ટિસ યશવંત વર્માની ૨૦૨૧માં દિલ્હી હાઈકૉર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. હાલમાં તેઓ આ દિલ્હી હાઈકૉર્ટમાં સિનિયોરિટીના ક્રમમાં બીજા નંબરે છે. ભૂતકાળમાં દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા જયારે તેમણે ઈન્ક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટને કોંગ્રેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો . તેમણે નેટફ્લિક્સની સિરીઝ "ટ્રાયલ બાય ફાયર" ની રિલીઝનો આદેશ આપ્યો હતો .



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.