હાર્દિક પટેલથી લઈને બાબુભાઈ સૌથી વધુ ઓલડેસ્ટ, બંને પટેલ!, પાર્ટીએ નવા ચહેરાને આપ્યો મોકો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 15:41:53


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે 1 ડિસેમ્બરે પહેલા તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે એકસાથે 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે પાટીદાર પર ભરોસાની ઉમેદવારી તરીકે યુવાશક્તિ અને વડીલના અનુભવનો સમન્વય કર્યો છે. જેમાં યુવા ઉમેદવારોમાં 29 થી લઈ 34 વર્ષના છે જેમાં હાર્દિક પટેલ સૌથી યુવા છે જેમને ટિકિટ મળી છે 


સૌથી યુવાન ઉમેદવાર હાર્દિક પટેલ !

ભાજપ દ્વારા નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 29 વર્ષના સૌથી યુવા ઉમેદવાર હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા નંબરે 30 વર્ષીય ડૉ પાયલ કુકરાણીને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપે જાહેર કરેલા ચહેરામાં યુવા ચહેરા નવા ચેહરા છે .


નવા ચેહરાઓને મળ્યું સ્થાન  

ગુજરાત વિધાનસભા  માટે ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આ નામોમાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી નો રિપીટ થિયરીનો ઉપયોગ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. 



વરિષ્ઠ ચહેરાને સ્થાન આપ્યું 

ભાજપે 182માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 91 ઉમેદવારની ઉંમર 46થી 60ની વચ્ચે છે. ભાજપે આ સાથે સિનિયર સિટિઝનોને પણ ટિકિટ આપી છે. 60થી વધુ ઉંમરના 48 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે.





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.