હાર્દિક પટેલથી લઈને બાબુભાઈ સૌથી વધુ ઓલડેસ્ટ, બંને પટેલ!, પાર્ટીએ નવા ચહેરાને આપ્યો મોકો !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 15:41:53


ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે 1 ડિસેમ્બરે પહેલા તબક્કા અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે એકસાથે 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપે પાટીદાર પર ભરોસાની ઉમેદવારી તરીકે યુવાશક્તિ અને વડીલના અનુભવનો સમન્વય કર્યો છે. જેમાં યુવા ઉમેદવારોમાં 29 થી લઈ 34 વર્ષના છે જેમાં હાર્દિક પટેલ સૌથી યુવા છે જેમને ટિકિટ મળી છે 


સૌથી યુવાન ઉમેદવાર હાર્દિક પટેલ !

ભાજપ દ્વારા નવા ચેહરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં 29 વર્ષના સૌથી યુવા ઉમેદવાર હાર્દિક પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બીજા નંબરે 30 વર્ષીય ડૉ પાયલ કુકરાણીને સ્થાન આપવામાં આવ્યું છે ભાજપે જાહેર કરેલા ચહેરામાં યુવા ચહેરા નવા ચેહરા છે .


નવા ચેહરાઓને મળ્યું સ્થાન  

ગુજરાત વિધાનસભા  માટે ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આ નામોમાં યુવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી નો રિપીટ થિયરીનો ઉપયોગ કરી ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. 



વરિષ્ઠ ચહેરાને સ્થાન આપ્યું 

ભાજપે 182માંથી 160 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાંથી 91 ઉમેદવારની ઉંમર 46થી 60ની વચ્ચે છે. ભાજપે આ સાથે સિનિયર સિટિઝનોને પણ ટિકિટ આપી છે. 60થી વધુ ઉંમરના 48 ઉમેદવારનાં નામ જાહેર કર્યા છે.





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .