હવેથી NCERT પુસ્તકોમાં ઈન્ડિયા નહીં પરંતુ ભારત લખાશે, નામ બદલવાના પ્રસ્તાવને પેનલે આપી મંજૂરી, ફરી રાજકારણ ગરમાશે?


  • Published By :
  • Published Date : 2023-10-25 15:49:46

NCERT પુસ્તકોમાં હવે ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે તેવો નિર્ણય એનસીઈઆરટી પેનલ દ્વારા લેવામાં આવ્યો છે.રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદની પેનલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનસીઆરટીસીની પુસ્તકોમાં ટૂંક સમયમાં એક બદલાવ જોવા મળવાનો છે. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ઈન્ડિયાને બદલે ‘ભારત’ શબ્દ જ ભણાવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં India નું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી દીધી છે.

NCERTની પુસ્તકોમાં હવે ઈન્ડિયા નહીં ભારત લખાશે

થોડા સમય પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી ઈન્ડિયાની જગ્યાએ પુસ્તકોમાં ભારત લખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં ભારતને બદલે 'ભારત' શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં ઈન્ડિયાનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી મંજૂરી આપી છે. પેનલના સભ્યોમાંના એક સીઆઈ ઈસાકના જણાવ્યા અનુસાર, પેનલના તમામ સભ્યોએ 'ઈન્ડિયા'ને બદલીને 'ભારત' કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ દરખાસ્ત થોડા મહિનાઓ પહેલા મુકવામાં આવી હતી અને હવે જ્યારે દરખાસ્ત સ્વીકારવામાં આવી છે, ત્યારે નવા NCERT પુસ્તકોમાં ઈન્ડિયાની જગ્યાએ 'ભારત' છાપવામાં આવશે.

અનેક વખત ઈન્ડિયાની બદલીમાં લખાયું છે ભારત!

ભારત અને ઈન્ડિયા નામને લઈ જંગ છેડાઈ ગયો છે. જી-20 સમિટ વખતે ડિનર માટે મહેમાનોને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું હતું. પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાની બદલીમાં પ્રેસિડન્ટ ઓફ ભારત લખાતા રાજકારણ ગરમાયું હતું. તે બાદ જ્યારે પીએમ મોદી વિદેશના પ્રવાસે ગયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેમપ્લેટ પર પણ ભારત લખવામાં આવ્યું હતું. આ વાતોને લઈ રાજકારણ ગરમાયું હતું. સંસદના વિશેષ સત્ર દરમિયાન આ ચર્ચાએ જોર  પકડ્યું હતું. ત્યારે હવે એનસીઆરટીસી પુસ્તકોમાં પણ ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવશે. ઈન્ડિયાની બદલીમાં ભારત પુસ્તકોમાં લખવામાં આવે તે માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેનો સ્વીકાર પેનલ દ્વારા કરાયો છે. 

Bharat' on display as PM Modi addresses G20 Summit in Delhi - India Today

President of Bharat' on G20 invite triggers row; govt. sources dismiss talk  of name change in upcoming Parl. session as 'rubbish' - The Hindu



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .