વડાપ્રધાન મોદીના કાર્યક્રમો માટે કોર્પોરેટરો-હોદેદારો ઉંધા માથે, રાજકોટથી માંડી અમદાવાદ સુધી તૈયારીઓ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 08:36:39

વિધાનસભા ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓના હસ્તે અનેકવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુર્હુત કરાવવાનાં આયોજનો કર્યાં છે. આ બધા કાર્યક્રમોને સફળ બનાવવાની જવાબદારી કોર્પોરેટરો અને સંગઠનને શિરે આવી છે.

PM Narendra Modi's Flight Records Cannot Be Disclosed Under RTI Due To  Security Reasons: Air India

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. રાજકોટમાં ગુજરાતનાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સભામાં ભાજપના તમામ કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના અપાઇ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની જનપ્રતિનિધિ સભા ઉપરાંત 29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરવા આવવાના છે, તેના અનુસંધાને પણ મ્યુનિ., પ્રભારી અને શહેર પ્રમુખે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોને અભૂતપૂર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાની જવાબદારી સોંપી હતી, જેના માટે દરેક વોર્ડમાં બસ સહિતના વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.જો કે મ્યુનિ. ભાજપનાં સુત્રોના જણાવ્યા અનુસાર,નેશનલ ગેમ્સનાં ઉદ્દઘાટનમાં દેશભરમાંથી અને રાજ્યભરમાંથી ખેલાડીઓ, નાગરિકો, કાર્યકરો ઉમટી પડશે તે નિશ્ચિત છે. આ ઉદ્દઘાટન પ્રસંગે શંકર મહાદેવન જેવા સિંગરો સ્ટેડીયમ ગજવવાનાં છે તેથી તેમને સાંભળવા માટે યુવા વર્ગ મોટી સંખ્યામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.

30મીએ અમદાવાદ શહેર માટે અતિ મહત્વની જાહેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે 30મીએ અમદાવાદ શહેર માટે અતિ મહત્વની જાહેર પરિવહન સેવા મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. થલતેજ સ્ટેશન ખાતે મેટ્રો રેલને લીલીઝંડી દર્શાવવાની સાથે વડાપ્રધાન મેટ્રો રેલમાં મુસાફરી કરશે તેવી શક્યતા છે અને ત્યારબાદ વડાપ્રધાન થલતેજ ટીવી ટાવર પાછળના મેદાનમાં સભાને સંબોધવાનાં છે. આ સભાને સફળ બનાવવા માટે શહેર સંગઠન અને કોર્પોરેટરોને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. દૂર દુરના વિસ્તારોનાં નાગરિકો માટે સિટીબસ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી જે તે વોર્ડના સંગઠનનાં હોદેદારો તથા કોર્પોરેટરોને શિરે લાદવામાં આવી છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .