Gujaratની 26 Loksabha બેઠકમાંથી આજે સમજો સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ગણિત, ભાજપે આમને બનાવ્યા છે ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-05 18:25:46

26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે અને માત્ર ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા. ઉમેદવારને ચૂંટણી લડવા માટે જ્યારે પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ત્યારે અનેક સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.. ત્યારે આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે... આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સનત મેહતા ચૂંટાતા અને કોળી સમાજના પહેલા ધારાસભ્ય સોમાભાઈ પટેલ એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા. 



સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા બેઠક 

જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 1996થી એક વાર કોંગ્રેસ અને એક વાર ભાજપના ખાતામાં ગઈ છે. પરંતુ 2014થી આ BJPનો ગઢ છે. 2014થી દેવજીભાઈ ફતેપરા, આ બાદ 2019માં મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા. હવે BJPએ સુરેન્દ્રનગર પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેઓ ચુંવાળિયા કોળી સમાજના છે જયારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકીટ આપી છે જે તળપદા કોળી સમાજના છે. આ લોકસભામાં સાત બેઠકો આવે છે. 7 વિધાનસભાઓ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠક બીજેપી દ્વારા જીતી લેવાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી, દલિત, પાટીદાર, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે.


ભાજપના ઉમેદવારોનો અનેક બેઠકો પર થયો વિરોધ

મહત્વનું છે કે અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પહેલા જાહેર કરવામાં આવ્યા હોય અને પછી તેને બદલવામાં આવ્યા હોય.. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...     




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.