Gujaratની 26 Loksabha બેઠકમાંથી આજે સમજો સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ગણિત, ભાજપે આમને બનાવ્યા છે ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-05 18:25:46

26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે અને માત્ર ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા. ઉમેદવારને ચૂંટણી લડવા માટે જ્યારે પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ત્યારે અનેક સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.. ત્યારે આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે... આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સનત મેહતા ચૂંટાતા અને કોળી સમાજના પહેલા ધારાસભ્ય સોમાભાઈ પટેલ એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા. 



સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા બેઠક 

જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 1996થી એક વાર કોંગ્રેસ અને એક વાર ભાજપના ખાતામાં ગઈ છે. પરંતુ 2014થી આ BJPનો ગઢ છે. 2014થી દેવજીભાઈ ફતેપરા, આ બાદ 2019માં મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા. હવે BJPએ સુરેન્દ્રનગર પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેઓ ચુંવાળિયા કોળી સમાજના છે જયારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકીટ આપી છે જે તળપદા કોળી સમાજના છે. આ લોકસભામાં સાત બેઠકો આવે છે. 7 વિધાનસભાઓ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠક બીજેપી દ્વારા જીતી લેવાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી, દલિત, પાટીદાર, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે.


ભાજપના ઉમેદવારોનો અનેક બેઠકો પર થયો વિરોધ

મહત્વનું છે કે અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પહેલા જાહેર કરવામાં આવ્યા હોય અને પછી તેને બદલવામાં આવ્યા હોય.. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...     




ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.