Gujaratની 26 Loksabha બેઠકમાંથી આજે સમજો સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું ગણિત, ભાજપે આમને બનાવ્યા છે ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-05 18:25:46

26 લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે.. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે અને માત્ર ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર નથી કર્યા. ઉમેદવારને ચૂંટણી લડવા માટે જ્યારે પાર્ટી ઉમેદવાર તરીકે ઘોષિત કરે છે ત્યારે અનેક સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.. ત્યારે આજે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠક વિશે... આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સનત મેહતા ચૂંટાતા અને કોળી સમાજના પહેલા ધારાસભ્ય સોમાભાઈ પટેલ એકવાર બીજેપી અને એકવાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચેલા. 



સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા બેઠક 

જો સુરેન્દ્રનગર લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 1996થી એક વાર કોંગ્રેસ અને એક વાર ભાજપના ખાતામાં ગઈ છે. પરંતુ 2014થી આ BJPનો ગઢ છે. 2014થી દેવજીભાઈ ફતેપરા, આ બાદ 2019માં મહેન્દ્ર મુંજપરા ચૂંટાયા. હવે BJPએ સુરેન્દ્રનગર પરથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. તેઓ ચુંવાળિયા કોળી સમાજના છે જયારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકીટ આપી છે જે તળપદા કોળી સમાજના છે. આ લોકસભામાં સાત બેઠકો આવે છે. 7 વિધાનસભાઓ વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં આ તમામ બેઠક બીજેપી દ્વારા જીતી લેવાઈ. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર કોળી, દલિત, પાટીદાર, મુસ્લિમ સમાજો નિર્ણાયક બને છે.


ભાજપના ઉમેદવારોનો અનેક બેઠકો પર થયો વિરોધ

મહત્વનું છે કે અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની જાહેરાત થતા વિરોધ શરૂ થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારને પહેલા જાહેર કરવામાં આવ્યા હોય અને પછી તેને બદલવામાં આવ્યા હોય.. અનેક એવી બેઠકો છે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે...     




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .