નવેમ્બર મહિનાથી ગુજરાતમાં થશે ગુલાબી ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:56:29

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે કોઈ વખત બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે તો રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી 5 દિવસો સુધી આ તાપમાન યથાવત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શિયાળીની શરૂઆત નવેમ્બરના પ્રથમ સપ્તાહથી થઈ શકે છે. 

Cold wave Archives - Vibes Of India

નવેમ્બર મહિનામાં આવશે તાપમાનમાં ઘટાડો  

હવામાન વિભાગના અનુમાન અનુસાર નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે. જેને કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં તાપમાન 32-37 ડિગ્રી વચ્ચે રહે પરંતુ ડિસ્ટર્બન્સ થવાને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાન ઘટી 30 ડિગ્રી નજીક પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆત થતાં જ ગુજરાતમાં રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. આ વખતે 10 દિવસ પહેલા ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે. 

IMD forecast for cold wave in parts of Gujarat during 24-27 January |  DeshGujarat

ગુજરાતમાં આવશે ઠંડીની લહેર

શિયાળાના સમય દરમિયાન તાપમાન ઘટતા ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતી હોય છે. તાપમાન ઘટે છે. હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પડે છે. ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત તરફ આવતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આ વખતે 10 દિવસ પહેલા શિયાળાની શરૂઆત થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.