નવેમ્બર મહિનાથી ગુજરાતમાં થશે ગુલાબી ઠંડીનો ચમકારો


  • Published By :
  • Published Date : 2022-10-29 16:56:29

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેને કારણે કોઈ વખત બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે તો રાત્રીના સમયે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનુમાન લગાડ્યું છે કે આગામી 5 દિવસો સુધી આ તાપમાન યથાવત રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે શિયાળીની શરૂઆત નવેમ્બરના પ્રથમ સપ્તાહથી થઈ શકે છે. 

Cold wave Archives - Vibes Of India

નવેમ્બર મહિનામાં આવશે તાપમાનમાં ઘટાડો  

હવામાન વિભાગના અનુમાન અનુસાર નવેમ્બરના પ્રથમ સપ્તાહ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થવાનું છે. જેને કારણે 4-5 નવેમ્બરથી ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. હાલ રાજ્યમાં તાપમાન 32-37 ડિગ્રી વચ્ચે રહે પરંતુ ડિસ્ટર્બન્સ થવાને કારણે તાપમાનનો પારો ઘટી શકે છે. તાપમાન ઘટી 30 ડિગ્રી નજીક પહોંચી શકે છે. નવેમ્બરની શરૂઆત થતાં જ ગુજરાતમાં રેગ્યુલર ઠંડીની શરૂઆત થઈ જશે. આ વખતે 10 દિવસ પહેલા ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે. 

IMD forecast for cold wave in parts of Gujarat during 24-27 January |  DeshGujarat

ગુજરાતમાં આવશે ઠંડીની લહેર

શિયાળાના સમય દરમિયાન તાપમાન ઘટતા ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા થતી હોય છે. તાપમાન ઘટે છે. હિમવર્ષાની સીધી અસર ગુજરાત પર પડે છે. ઉત્તર ભારતના ઠંડા પવન ગુજરાત તરફ આવતા ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આ વખતે 10 દિવસ પહેલા શિયાળાની શરૂઆત થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.