કચ્છની શરીફાથી લઈ છોટાઉદેપુરના બાળકો, હૃદયના ઉંડાણમાંથી નીકળેલા અવાજો સંભળાય પણ, પડઘાય પણ!


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-26 19:39:30

વાત કચ્છની શરીફાની હોય કે પછી છોટાઉદેપુરમાં બોગસ શિક્ષણની જમાવટ માટે શિક્ષણ હંમેશા પ્રાથમિક મુદ્દો રહ્યો છે અમે હંમેશા ગુજરાતના કોઈ પણ ખૂણે ગયા તો સૌથી પહેલા ત્યાંના શિક્ષણની પરિસ્થિતિ જોવાની કોશિશ કરી છે 



"મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે"


ગઈકાલે IAS ધવલ પટેલે સરકારને એક પત્ર લખ્યો હતો જે જોઈને આખું ગુજરાત ચોંકી ગયું હતું. જમાવટે પોતાનાં અનુભવ સાથે તેના પર અહેવાલ પણ લખ્યો અને આજે તેની અસર દેખાઈ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી અને તે સ્થિતિ ભયંકર હતી છોટાઉદેપુરના 6 ગામની શાળાઓની હાલત દયનીય છે તેવું IAS ધવલ પટેલે પત્રમાં કહ્યું હતું. આ પત્રનાં જવાબમાં આજે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈ લેકિંગ હોય, જ્યાં કોઈ મુશ્કેલી હોય એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે, તે સુધારવાનો અવકાશ અને મોકો મળશે.



અમે જ્યારે શરીફા સાથે વાત કરી હતી ત્યારે રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિત હતી પણ શરીફાની નલિયામાં કોલેજ બનાવાની વાત એટલી મજબૂત હતી કે તેને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચાન્સિલરે સાંભળી અને કહ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે એટલું જ નહીં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે ગયા ત્યારે શરીફએ પ્રોમિસ માંગ્યું અને અમિત શાહે શરીફાના માથે હાથ મૂકીને એને વચન આપ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે 


આ મંથનનો સમય ચાલી રહ્યો છે 

જે પ્રમાણે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મારે સારું નહિ સાચું સાંભળવું છે એટલે આ મંથનનો સમય ચાલી રહ્યો છે અને આ મંથનમાં હાલ તો સાચું ઝેર નીકળે છે પણ અમને વિશ્વાસ છે કે આગળ જતા અમૃત પણ જરૂર નીકળશે. અંતે CM ભુપેન્દ્ર પટેલે શિક્ષણ મુદ્દે સમજેલી વાત હોય કે પછી શરીફાનાં માથે હાથ મૂકીને પ્રોમિસ આપનાર ગૃહમંત્રી અમીત શાહ, એક દિવસ તો એવો આવશે જ્યારે શિક્ષણ દરેક વ્યક્તિની, નેતાની અને સરકારની પ્રાથમિકતા હશે અને તે દિવસ ખરેખર જમાવટ થઈ જશે!



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.