કચ્છની શરીફાથી લઈ છોટાઉદેપુરના બાળકો, હૃદયના ઉંડાણમાંથી નીકળેલા અવાજો સંભળાય પણ, પડઘાય પણ!


  • Published By : Payal rathod
  • Published Date : 2023-06-26 19:39:30

વાત કચ્છની શરીફાની હોય કે પછી છોટાઉદેપુરમાં બોગસ શિક્ષણની જમાવટ માટે શિક્ષણ હંમેશા પ્રાથમિક મુદ્દો રહ્યો છે અમે હંમેશા ગુજરાતના કોઈ પણ ખૂણે ગયા તો સૌથી પહેલા ત્યાંના શિક્ષણની પરિસ્થિતિ જોવાની કોશિશ કરી છે 



"મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે"


ગઈકાલે IAS ધવલ પટેલે સરકારને એક પત્ર લખ્યો હતો જે જોઈને આખું ગુજરાત ચોંકી ગયું હતું. જમાવટે પોતાનાં અનુભવ સાથે તેના પર અહેવાલ પણ લખ્યો અને આજે તેની અસર દેખાઈ IAS ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં શાળા પ્રવેશોત્સવમાં જે શાળાઓની મુલાકાત લીધી તેની સ્થિતિ વર્ણવી હતી અને તે સ્થિતિ ભયંકર હતી છોટાઉદેપુરના 6 ગામની શાળાઓની હાલત દયનીય છે તેવું IAS ધવલ પટેલે પત્રમાં કહ્યું હતું. આ પત્રનાં જવાબમાં આજે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે આનું બ્રિફિગ લીધું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે સારી વાતને બદલે સાચી વાત સાંભળવી છે. જ્યાં કોઈ લેકિંગ હોય, જ્યાં કોઈ મુશ્કેલી હોય એ પ્રકારનું રિપોર્ટિંગ કરશો તો આગામી સમયમાં જ્યાં આગળ આપણને નાની મોટી તકલીફો માલુમ પડી છે, તે સુધારવાનો અવકાશ અને મોકો મળશે.



અમે જ્યારે શરીફા સાથે વાત કરી હતી ત્યારે રાજ્યમાં વાવાઝોડાની પરિસ્થિત હતી પણ શરીફાની નલિયામાં કોલેજ બનાવાની વાત એટલી મજબૂત હતી કે તેને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચાન્સિલરે સાંભળી અને કહ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે એટલું જ નહીં જ્યારે ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે ગયા ત્યારે શરીફએ પ્રોમિસ માંગ્યું અને અમિત શાહે શરીફાના માથે હાથ મૂકીને એને વચન આપ્યું કે કોલેજ એના સુધી પહોંચી જશે 


આ મંથનનો સમય ચાલી રહ્યો છે 

જે પ્રમાણે CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે મારે સારું નહિ સાચું સાંભળવું છે એટલે આ મંથનનો સમય ચાલી રહ્યો છે અને આ મંથનમાં હાલ તો સાચું ઝેર નીકળે છે પણ અમને વિશ્વાસ છે કે આગળ જતા અમૃત પણ જરૂર નીકળશે. અંતે CM ભુપેન્દ્ર પટેલે શિક્ષણ મુદ્દે સમજેલી વાત હોય કે પછી શરીફાનાં માથે હાથ મૂકીને પ્રોમિસ આપનાર ગૃહમંત્રી અમીત શાહ, એક દિવસ તો એવો આવશે જ્યારે શિક્ષણ દરેક વ્યક્તિની, નેતાની અને સરકારની પ્રાથમિકતા હશે અને તે દિવસ ખરેખર જમાવટ થઈ જશે!



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી