કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓ માટે સી. આર. પાટીલ મેદાનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-08 13:08:57

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે.  આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .

CR Patil wants to win all 26 Gujarat LS seats by '5 lakh margin'. BJP  betting big on page committees

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક પર પેટાચૂંટણી માટે ૧૯મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તો બેઉ બેઠકોને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આવતીકાલે એટલેકે , સોમવારના રોજ સી આર પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે . સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે , બપોરે અઢી વાગે સી આર પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે. કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સી આર પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે . થોડાક સમય પેહલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આ પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે , વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થી ૧૬૩ કરવાનું છે . આ માટે તમારો સાથે માંગવા આવ્યો છું . આ પછી સી આર પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા . 

BJP's CR Patil Wins By 6.89 Lakh Votes, Biggest Margin In 2019 Election

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જયારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખુબ જ મહત્વની છે . કેમ કે , વિસાવદર બેઠક ભાજપ ૨૦૦૭ પછી જીતી નથી શકી . તો હવે એતો ૨૩મી જૂન પરિણામોના દિવસે ખબર પડશે કે , ભાજપનું સંખ્યાબળ ૧૬૧થી વધે છે કે પછી ત્યાંનું ત્યાંજ રહે છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.