કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓ માટે સી. આર. પાટીલ મેદાનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-08 13:08:57

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે.  આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .

CR Patil wants to win all 26 Gujarat LS seats by '5 lakh margin'. BJP  betting big on page committees

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક પર પેટાચૂંટણી માટે ૧૯મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તો બેઉ બેઠકોને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આવતીકાલે એટલેકે , સોમવારના રોજ સી આર પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે . સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે , બપોરે અઢી વાગે સી આર પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે. કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સી આર પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે . થોડાક સમય પેહલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આ પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે , વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થી ૧૬૩ કરવાનું છે . આ માટે તમારો સાથે માંગવા આવ્યો છું . આ પછી સી આર પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા . 

BJP's CR Patil Wins By 6.89 Lakh Votes, Biggest Margin In 2019 Election

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જયારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખુબ જ મહત્વની છે . કેમ કે , વિસાવદર બેઠક ભાજપ ૨૦૦૭ પછી જીતી નથી શકી . તો હવે એતો ૨૩મી જૂન પરિણામોના દિવસે ખબર પડશે કે , ભાજપનું સંખ્યાબળ ૧૬૧થી વધે છે કે પછી ત્યાંનું ત્યાંજ રહે છે. 




રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.