કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓ માટે સી. આર. પાટીલ મેદાનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-08 13:08:57

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે.  આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .

CR Patil wants to win all 26 Gujarat LS seats by '5 lakh margin'. BJP  betting big on page committees

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ જામ્યો છે. એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઇ છે તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક પર પેટાચૂંટણી માટે ૧૯મી જૂનના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે. તો બેઉ બેઠકોને લઇને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આવતીકાલે એટલેકે , સોમવારના રોજ સી આર પાટીલ કડી અને વિસાવદરમાં ઝંઝાવાતી પ્રચાર શરુ કરશે . સોમવારે વહેલી સવારે તેઓ ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ માટે વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરશે , બપોરે અઢી વાગે સી આર પાટીલ વિસાવદરથી રવાના થઈને કડી પહોંચશે. કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા માટે પ્રચાર કરશે. કડી અને વિસાવદરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સી આર પાટીલની સાથે ભાજપના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે . થોડાક સમય પેહલા સુરતમાં વિસાવદર વિધાનસભાના મતદારો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આ પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સી આર પાટીલે સંબોધન કરતા કહ્યું હતું કે , વિધાનસભામાં હવે ભાજપનું સંખ્યાબળ ૧૬૧ થી ૧૬૩ કરવાનું છે . આ માટે તમારો સાથે માંગવા આવ્યો છું . આ પછી સી આર પાટીલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહારો કર્યા હતા . 

BJP's CR Patil Wins By 6.89 Lakh Votes, Biggest Margin In 2019 Election

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને જયારે કડી પરથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ બધામાં વિસાવદર બેઠક ખુબ જ મહત્વની છે . કેમ કે , વિસાવદર બેઠક ભાજપ ૨૦૦૭ પછી જીતી નથી શકી . તો હવે એતો ૨૩મી જૂન પરિણામોના દિવસે ખબર પડશે કે , ભાજપનું સંખ્યાબળ ૧૬૧થી વધે છે કે પછી ત્યાંનું ત્યાંજ રહે છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.