આવતીકાલે ૨જી એપ્રિલે અમેરિકા મનાવશે "આઝાદીનો દિવસ"!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-01 18:19:18

ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ કાલથી એટલેકે ૨જી એપ્રિલના દિવસથી દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના છે . ડોનાલ્ડ ટ્રમ્પ આવતી કાલને અમેરિકા માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે . ડોનાલ્ડ ટ્રમ્પનો આ ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વના  શેરબજારોને હલાવી શકે છે. આ માટે ભારત , યુરોપ , જાપાન , ચીનમાં સૌ કોઈના શ્વાસ અધ્ધર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે , ઘણા દેશોએ દસકાઓના દસકાઓ સુધી અમારો ફાયદો ઉઠાવ્યો છે. હવે આ અટકવું જોઈએ . ડોનાલ્ડ ટ્રમ્પ આ રેસિપ્રોકલ ટેરિફ મોટા ભાગના દેશો પર લગાવવાના છે કે જેમની યુએસ સાથે ખુબ મોટા પ્રમાણમાં વ્યાપારી ખાદ્ય એટલેકે , ટ્રેડ ડેફિસિટ છે. તેનો મતલબ એ થાય છે , આ દેશો અમેરિકામાં નિકાસ વધારે કરે છે જયારે અમેરિકાના માલસામાનને પોતાના ત્યાં ઓછી આયાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે એપ્રિલની ૨જી તારીખને અમેરિકાના માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે .

Trump critics worry he'll target them for retribution

હવે સમજીએ કે કેમ અમેરિકા આ દેશોની વ્યાપારી ખાદ્યને ઘટાડવા માટે રેસિપ્રોકલ ટેરીફનો રસ્તો અપનાવી રહ્યું છે.  અહીં થોડો ચાઈનાનો સંદર્ભ સમજવો રહ્યો. ચાઈનાએ પોતાની ઈકોનોમી ૧૯૭૮માં ખુલ્લી મૂકી અને ત્યારપછી ૨૦૦૧માં ચાઈનાને WTO એટલેકે , વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનમાં સ્થાન અપાયું . આ પછી ચાઈના સમગ્ર વિશ્વમાં મેનુફેક્ચરિંગ હબ બનીને ઉભર્યું છે એટલેકે , હવે મોટા ભાગની વસ્તુઓ ચાઈનામાં બની રહી છે અને ચાઈના વિશ્વનું સૌથી મોટું નિકાસકર્તા છે .  પરંતુ હવે આવી જ રીતે બીજા દેશોએ પણ પ્રગતિ કરી છે , સાઉથ ઈસ્ટ એશિયાના ઘણા અર્થતંત્ર જેમ કે સિંગાપોર , મલેશિયા વગેરે . સાથે જ જાપાન અને સાઉથ કોરિયાએ પ્રગતિ કરી છે .  સમય સાથે જે યુએસ દુનિયાનું સૌથી મોટું મેનુફેક્ચરિંગ હબ હતું તે પોતાની જ પોલિસી " ગ્લોબલાઈઝાશન" એટલેકે વૈશ્વિકીકરણના લીધે બીજા દેશોના માલસામાનની આયાત પર નિર્ભર બન્યું .  જેમ કે , યુએસમાંથી ઘણી મોટી કંપનીઓના મેનુફેક્ચરિંગ યુનિટ બહાર જતા રહ્યા. યુએસમાં પોતાની જ વસ્તુ મોંઘી બનવા લાગી જયારે નિકાસો ડોલરના કારણે સસ્તી બની . કારણકે સમગ્ર વિશ્વમાં ડોલર એક સર્વમાન્ય ચલણ છે . હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ સમગ્ર પરિસ્થતિઓને બદલવા માંગે છે પોતાના ત્યાં મેનુફેક્ચરિંગને સસ્તું બનાવવા માટે ઉદ્યોગ ધંધાને મજબૂત બનાવવા માંગે છે . આ કારણે તેમણે પોતાના ત્યાં આવતી આયાતો પર ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. 

Trump says he will meet with Indian PM Modi next week | Reuters

હવે વાત કરીએ ભારતની તો , વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ભારત  અમેરિકન ખેત પેદાશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાડે છે , ત્યારે યુરોપ અમેરિકન દારૂ પર ૫૦ ટકા ટેરિફ લગાડે છે.  આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ યુરોપના દારૂ પર ૨૦૦ ટકા ટેરિફ લગાડવાની ચીમકી ઉચ્ચારી છે. કેનેડા અને જાપાન પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.  વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં આ ટેરિફને લઇને શું માહોલ છે . અમેરિકામાં આ ટેરીફથી ત્યાંના મેનુફેક્ચરિંગ સેક્ટરને ફાયદો થઈ શકે છે જેમ કે , હાલમાં જયારે ટ્રમ્પએ અમેરિકામાં બહારથી આવતી ગાડીઓ અને તેના પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લગાડ્યો ત્યારે, તેનો સીધો ફાયદો યુએસની રસ્ટ બેલ્ટને મળી શકે છે. આ રસ્ટ બેલ્ટ અમેરિકામા ન્યુયોર્કની ઉત્તર દિશામાં  આવેલી છે અને ત્યાં મોટા ભાગના ઑટોમોબાઇલ મેનુફેક્ચરિંગ કંપનીના હબ આવેલા છે.  જોકે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધોનું માનવું છે કે આવા આડેધડ ટેરિફ લગાડવાથી અમેરિકામાં મંદી આવી શકે છે સાથે જ વિશ્વભરમાં ટ્રેડવોર પણ ચાલુ થઈ શકે છે .  

તો હવે જોઈએ આવતી કાલે શું થશે . 



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.