આવતીકાલે ૨જી એપ્રિલે અમેરિકા મનાવશે "આઝાદીનો દિવસ"!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-01 18:19:18

ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ કાલથી એટલેકે ૨જી એપ્રિલના દિવસથી દુનિયાભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાના છે . ડોનાલ્ડ ટ્રમ્પ આવતી કાલને અમેરિકા માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે . ડોનાલ્ડ ટ્રમ્પનો આ ટેરિફ પ્લાન સમગ્ર વિશ્વના  શેરબજારોને હલાવી શકે છે. આ માટે ભારત , યુરોપ , જાપાન , ચીનમાં સૌ કોઈના શ્વાસ અધ્ધર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે , ઘણા દેશોએ દસકાઓના દસકાઓ સુધી અમારો ફાયદો ઉઠાવ્યો છે. હવે આ અટકવું જોઈએ . ડોનાલ્ડ ટ્રમ્પ આ રેસિપ્રોકલ ટેરિફ મોટા ભાગના દેશો પર લગાવવાના છે કે જેમની યુએસ સાથે ખુબ મોટા પ્રમાણમાં વ્યાપારી ખાદ્ય એટલેકે , ટ્રેડ ડેફિસિટ છે. તેનો મતલબ એ થાય છે , આ દેશો અમેરિકામાં નિકાસ વધારે કરે છે જયારે અમેરિકાના માલસામાનને પોતાના ત્યાં ઓછી આયાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હવે એપ્રિલની ૨જી તારીખને અમેરિકાના માટે આઝાદીના દિવસ તરીકે જોઈ રહ્યા છે .

Trump critics worry he'll target them for retribution

હવે સમજીએ કે કેમ અમેરિકા આ દેશોની વ્યાપારી ખાદ્યને ઘટાડવા માટે રેસિપ્રોકલ ટેરીફનો રસ્તો અપનાવી રહ્યું છે.  અહીં થોડો ચાઈનાનો સંદર્ભ સમજવો રહ્યો. ચાઈનાએ પોતાની ઈકોનોમી ૧૯૭૮માં ખુલ્લી મૂકી અને ત્યારપછી ૨૦૦૧માં ચાઈનાને WTO એટલેકે , વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઈઝેશનમાં સ્થાન અપાયું . આ પછી ચાઈના સમગ્ર વિશ્વમાં મેનુફેક્ચરિંગ હબ બનીને ઉભર્યું છે એટલેકે , હવે મોટા ભાગની વસ્તુઓ ચાઈનામાં બની રહી છે અને ચાઈના વિશ્વનું સૌથી મોટું નિકાસકર્તા છે .  પરંતુ હવે આવી જ રીતે બીજા દેશોએ પણ પ્રગતિ કરી છે , સાઉથ ઈસ્ટ એશિયાના ઘણા અર્થતંત્ર જેમ કે સિંગાપોર , મલેશિયા વગેરે . સાથે જ જાપાન અને સાઉથ કોરિયાએ પ્રગતિ કરી છે .  સમય સાથે જે યુએસ દુનિયાનું સૌથી મોટું મેનુફેક્ચરિંગ હબ હતું તે પોતાની જ પોલિસી " ગ્લોબલાઈઝાશન" એટલેકે વૈશ્વિકીકરણના લીધે બીજા દેશોના માલસામાનની આયાત પર નિર્ભર બન્યું .  જેમ કે , યુએસમાંથી ઘણી મોટી કંપનીઓના મેનુફેક્ચરિંગ યુનિટ બહાર જતા રહ્યા. યુએસમાં પોતાની જ વસ્તુ મોંઘી બનવા લાગી જયારે નિકાસો ડોલરના કારણે સસ્તી બની . કારણકે સમગ્ર વિશ્વમાં ડોલર એક સર્વમાન્ય ચલણ છે . હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ સમગ્ર પરિસ્થતિઓને બદલવા માંગે છે પોતાના ત્યાં મેનુફેક્ચરિંગને સસ્તું બનાવવા માટે ઉદ્યોગ ધંધાને મજબૂત બનાવવા માંગે છે . આ કારણે તેમણે પોતાના ત્યાં આવતી આયાતો પર ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. 

Trump says he will meet with Indian PM Modi next week | Reuters

હવે વાત કરીએ ભારતની તો , વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ભારત  અમેરિકન ખેત પેદાશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાડે છે , ત્યારે યુરોપ અમેરિકન દારૂ પર ૫૦ ટકા ટેરિફ લગાડે છે.  આ બાદ ડોનાલ્ડ ટ્રમ્પએ યુરોપના દારૂ પર ૨૦૦ ટકા ટેરિફ લગાડવાની ચીમકી ઉચ્ચારી છે. કેનેડા અને જાપાન પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી શકે છે.  વાત કરીએ અમેરિકાની તો અમેરિકામાં આ ટેરિફને લઇને શું માહોલ છે . અમેરિકામાં આ ટેરીફથી ત્યાંના મેનુફેક્ચરિંગ સેક્ટરને ફાયદો થઈ શકે છે જેમ કે , હાલમાં જયારે ટ્રમ્પએ અમેરિકામાં બહારથી આવતી ગાડીઓ અને તેના પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ લગાડ્યો ત્યારે, તેનો સીધો ફાયદો યુએસની રસ્ટ બેલ્ટને મળી શકે છે. આ રસ્ટ બેલ્ટ અમેરિકામા ન્યુયોર્કની ઉત્તર દિશામાં  આવેલી છે અને ત્યાં મોટા ભાગના ઑટોમોબાઇલ મેનુફેક્ચરિંગ કંપનીના હબ આવેલા છે.  જોકે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધોનું માનવું છે કે આવા આડેધડ ટેરિફ લગાડવાથી અમેરિકામાં મંદી આવી શકે છે સાથે જ વિશ્વભરમાં ટ્રેડવોર પણ ચાલુ થઈ શકે છે .  

તો હવે જોઈએ આવતી કાલે શું થશે . 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.