1991માં વડોદરા લોકસભા સીટથી ભાજપે સીતા (દીપિકા ચિખલિયા)ને મેદાન ઉતારી, બદલ્યું સીટોનું ગણીત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:17:35

સમયાંતરે ગુજરાતમાં રાજકારણના અલગ અલગ રંગ જોવા મળે છે. સત્તા પર આવવા અથવા તો પોતાના ઉમેદવારને જીત અપાવવા ભારતીય જનતા પાર્ટી સામ, દામ.દંડ ભેદનો ઉપયોગ કરવામાં માહેર છે. આ વાત બધા જાણે છે. હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે વાત આજે 1990માં ભાજપે કરેલી કુટનીતિની કરવી છે. 1991માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાવાની હતી. ત્યારે આ ચૂંટણીમાં વડોદરામાં ભાજપના ઉમેદવારને લોકોનું સમર્થન મળે તે માટે પાર્ટીમાં મનોમંથન થયું હતું. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. દીપિકાની છબી સીતા તરીકે પ્રખ્યાત હતી તે માટે તેમને સંપૂર્ણ જનસમર્થન મળ્યું હતું. પહેલી વાર રાજકારણમાં પગ મૂકનાર દીપિકાને 1991માં 49.98 ટકા વોટ મળ્યા હતા. 

आज से नामांकन शुरू लेकिन भाजपा नहीं ढूंढ पाई चार उम्मीदवारों के नाम, संगठन  पर उठे सवाल

મનોમંથન બાદ ભાજપે વડોદરા બેઠક માટે કરી દીપિકાની પસંદગી  

આ વાત છે 1990 માર્ચની.જ્યારે ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જનતા દળે ભાજપના સમર્થન દ્વારા સરકાર ઘડી હતી. પરંતુ તે વખતે રામ મંદિર માટે થનાર આંદોલને વેગ પકડ્યો હતો. જેને કારણે ભાજપના અનેક મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ સરકાર પડી જતા તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. સત્તા પરથી ભાજપ વિપક્ષમાં આવી ગઈ હતી. ત્યારે 1991માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું એ ભાજપ માટે મોટો પડકાર હતો. વડોદરા લોકસભા પરથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તે માટે પાર્ટીમાં અનેક વખત ચર્ચાઓ થઈ. નલિન ભટ્ટના નામ પર પાર્ટી વિચારણા કરી રહી હતી. પરંતુ સારૂ જનસમર્થન મળે તેવા ઉમેદવારની તલાશમાં પાર્ટી હતી. 

Deepika Chikhalia Wiki, Age, Husband, Family, Biography & More

લાલ કૃષ્ણ અડવાણી તેમજ નરેન્દ્ર મોદીની હાજરીમાં ભર્યું હતું ફોર્મ

ચર્ચા વિચારણા થયા બાદ વડોદરા લોકસભા બેઠક માટે એકદમ લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. આ લોકપ્રિય ઉમેદવાર હતા રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા. દીપિકા પોલિટિક્સમાં આવવાનું વિચારી જ રહી હતી. તેમને પંચમહાલથી ચૂંટણી લડવી હતી પરંતુ ભાજપે તેમને વડોદરા ખાતેથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. દીપિકાએ ભાજપના વરિષ્ઠ નેતા એવા લાલ કૃષ્ણ અડવાણી તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. જ્યારે પણ દીપિકા પ્રચાર માટે આવતા હતા ત્યારે લોકો તેમને સીતા સમજી પગે પડતા હતા. તેમને ભારે જન સમર્થન મળ્યું હતું. 

Ramayan's Sita aka Dipika Chikhalia's photo with PM Modi goes viral

દીપિકાને કારણે વડોદરામાં કમળ ખીલ્યું હતું 

ભાજપના આવા માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસને ઘણું નુકસાન થયું હતું. કોંગ્રેસે વડોદરાથી રણજિત સિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ દીપિકાની લોકચાહનાને કારણે બે વખત સાંસદ રહી ચૂકેલા રણજિત સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં પહેલી વખત દીપિકાને કારણે કમળ ખીલ્યું હતું, જે બાદ વડોદરા ભાજપનું ગઢ બની ગયું હતું. જ્યારે પ્રથમ વખત દીપિકા ચિખલિયા સાંસદ બન્યા તે વખતે તેઓ માત્ર 26 વર્ષના હતા. દીપિકાની લોકપ્રિયતાને કારણે ભાજપને ઘણો માટો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.                      



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .