1991માં વડોદરા લોકસભા સીટથી ભાજપે સીતા (દીપિકા ચિખલિયા)ને મેદાન ઉતારી, બદલ્યું સીટોનું ગણીત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:17:35

સમયાંતરે ગુજરાતમાં રાજકારણના અલગ અલગ રંગ જોવા મળે છે. સત્તા પર આવવા અથવા તો પોતાના ઉમેદવારને જીત અપાવવા ભારતીય જનતા પાર્ટી સામ, દામ.દંડ ભેદનો ઉપયોગ કરવામાં માહેર છે. આ વાત બધા જાણે છે. હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે વાત આજે 1990માં ભાજપે કરેલી કુટનીતિની કરવી છે. 1991માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાવાની હતી. ત્યારે આ ચૂંટણીમાં વડોદરામાં ભાજપના ઉમેદવારને લોકોનું સમર્થન મળે તે માટે પાર્ટીમાં મનોમંથન થયું હતું. ત્યારે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયાને ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા હતા. દીપિકાની છબી સીતા તરીકે પ્રખ્યાત હતી તે માટે તેમને સંપૂર્ણ જનસમર્થન મળ્યું હતું. પહેલી વાર રાજકારણમાં પગ મૂકનાર દીપિકાને 1991માં 49.98 ટકા વોટ મળ્યા હતા. 

आज से नामांकन शुरू लेकिन भाजपा नहीं ढूंढ पाई चार उम्मीदवारों के नाम, संगठन  पर उठे सवाल

મનોમંથન બાદ ભાજપે વડોદરા બેઠક માટે કરી દીપિકાની પસંદગી  

આ વાત છે 1990 માર્ચની.જ્યારે ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. જનતા દળે ભાજપના સમર્થન દ્વારા સરકાર ઘડી હતી. પરંતુ તે વખતે રામ મંદિર માટે થનાર આંદોલને વેગ પકડ્યો હતો. જેને કારણે ભાજપના અનેક મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ સરકાર પડી જતા તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. સત્તા પરથી ભાજપ વિપક્ષમાં આવી ગઈ હતી. ત્યારે 1991માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું એ ભાજપ માટે મોટો પડકાર હતો. વડોદરા લોકસભા પરથી કયા ઉમેદવારને મેદાનમાં ઉતારવા તે માટે પાર્ટીમાં અનેક વખત ચર્ચાઓ થઈ. નલિન ભટ્ટના નામ પર પાર્ટી વિચારણા કરી રહી હતી. પરંતુ સારૂ જનસમર્થન મળે તેવા ઉમેદવારની તલાશમાં પાર્ટી હતી. 

Deepika Chikhalia Wiki, Age, Husband, Family, Biography & More

લાલ કૃષ્ણ અડવાણી તેમજ નરેન્દ્ર મોદીની હાજરીમાં ભર્યું હતું ફોર્મ

ચર્ચા વિચારણા થયા બાદ વડોદરા લોકસભા બેઠક માટે એકદમ લોકપ્રિય વ્યક્તિની પસંદગી કરવામાં આવી હતી. આ લોકપ્રિય ઉમેદવાર હતા રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા. દીપિકા પોલિટિક્સમાં આવવાનું વિચારી જ રહી હતી. તેમને પંચમહાલથી ચૂંટણી લડવી હતી પરંતુ ભાજપે તેમને વડોદરા ખાતેથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. દીપિકાએ ભાજપના વરિષ્ઠ નેતા એવા લાલ કૃષ્ણ અડવાણી તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. જ્યારે પણ દીપિકા પ્રચાર માટે આવતા હતા ત્યારે લોકો તેમને સીતા સમજી પગે પડતા હતા. તેમને ભારે જન સમર્થન મળ્યું હતું. 

Ramayan's Sita aka Dipika Chikhalia's photo with PM Modi goes viral

દીપિકાને કારણે વડોદરામાં કમળ ખીલ્યું હતું 

ભાજપના આવા માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસને ઘણું નુકસાન થયું હતું. કોંગ્રેસે વડોદરાથી રણજિત સિંહ ગાયકવાડને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ દીપિકાની લોકચાહનાને કારણે બે વખત સાંસદ રહી ચૂકેલા રણજિત સિંહને હારનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં પહેલી વખત દીપિકાને કારણે કમળ ખીલ્યું હતું, જે બાદ વડોદરા ભાજપનું ગઢ બની ગયું હતું. જ્યારે પ્રથમ વખત દીપિકા ચિખલિયા સાંસદ બન્યા તે વખતે તેઓ માત્ર 26 વર્ષના હતા. દીપિકાની લોકપ્રિયતાને કારણે ભાજપને ઘણો માટો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.                      



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.