કઈ પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી લડશે Chaitar Vasava? સાંભળો Devanshi Joshiને શું જવાબ આપ્યો ચૈતર વસાવાએ Debate Showમાં


  • Published By :
  • Published Date : 2023-08-21 17:08:56

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ હોય, કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ કમરકસી લીધી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. આપે આ અંગેની જાણકારી આપી હતી પરંતુ કોંગ્રેસે આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

દેવાંશી જોષીએ ચૈતર વસાવાને પૂછ્યો સીધો સવાલ 

આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાની પસંદગી કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ એવી વાતો થવા લાગી હતી કે ભાજપમાં ચૈતર વસાવા જોડાઈ શકે છે. ભાજપમાં તે જોડાઈ શકે છે. આવી વાતો વહેવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે દેવાંશી જોષીએ આ મામલે ચૈતર વસાવાએ સીધો સવાલ કર્યો હતો. દેવાંશી જોષીએ પૂછ્યું હતું કે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો જવાબ તેમણે આપ્યો હતો.



ભાજપમાં 156 લોકો છે એ લોકો પણ એક બીજાને નથી ઓળખતા! 

ડિબેટ શોમાં જ્યારે દેવાંશી જોષીએ ચૈતર વસાવાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ઘણા લોકો એવું પણ માને છે કે જે પાર્ટી સત્તામાં હોય પછી જ કામ થાય તો ચૈતરભાઈ પણ એમાં જાય અને ભાજપમાં જઈ કામ કરશે તો કામ વધારે થશે. પણ આવું કંઈ જ નથી. ભાજપના ખુદના 156 લોકોને એકબીજા ઓળખતા નથી. અંદર અંદર પરિચય આપવો પડે છે. જ્યારે આજે અમારી આજુ બાજુ ભાજપના ધારાસભ્ય છે, નસવાડીમાં ભાજપના ધારાસભ્ય છે, ઝઘડિયામાં પણ ભાજપના ધારાસભ્ય છે, એના કરતા પણ લોકો અમારા કામોને વખાણે છે. ત્યારે ભાજપમાં જવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. અને અહીં ગુજરાતમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં શાસન છે ખુદ મનસુખ વસાવા પણ ખુદ ઘણા સમયથી છે, પછી પણ તેમને મૂંઝવણ છે કે અમારૂં કહેલું પણ કામ થતું નથી. ત્યારે અમારો ભાજપમાં જવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.