કઈ પાર્ટીમાંથી લોકસભા ચૂંટણી લડશે Chaitar Vasava? સાંભળો Devanshi Joshiને શું જવાબ આપ્યો ચૈતર વસાવાએ Debate Showમાં


  • Published By :
  • Published Date : 2023-08-21 17:08:56

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપ હોય, કોંગ્રસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ કમરકસી લીધી છે. થોડા સમય પહેલા એક સમાચાર સામે આવ્યા હતા કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. આપે આ અંગેની જાણકારી આપી હતી પરંતુ કોંગ્રેસે આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભરૂચ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

દેવાંશી જોષીએ ચૈતર વસાવાને પૂછ્યો સીધો સવાલ 

આમ આદમી પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાની પસંદગી કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ એવી વાતો થવા લાગી હતી કે ભાજપમાં ચૈતર વસાવા જોડાઈ શકે છે. ભાજપમાં તે જોડાઈ શકે છે. આવી વાતો વહેવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે દેવાંશી જોષીએ આ મામલે ચૈતર વસાવાએ સીધો સવાલ કર્યો હતો. દેવાંશી જોષીએ પૂછ્યું હતું કે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તેનો જવાબ તેમણે આપ્યો હતો.



ભાજપમાં 156 લોકો છે એ લોકો પણ એક બીજાને નથી ઓળખતા! 

ડિબેટ શોમાં જ્યારે દેવાંશી જોષીએ ચૈતર વસાવાને આ સવાલ પૂછ્યો હતો ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે ઘણા લોકો એવું પણ માને છે કે જે પાર્ટી સત્તામાં હોય પછી જ કામ થાય તો ચૈતરભાઈ પણ એમાં જાય અને ભાજપમાં જઈ કામ કરશે તો કામ વધારે થશે. પણ આવું કંઈ જ નથી. ભાજપના ખુદના 156 લોકોને એકબીજા ઓળખતા નથી. અંદર અંદર પરિચય આપવો પડે છે. જ્યારે આજે અમારી આજુ બાજુ ભાજપના ધારાસભ્ય છે, નસવાડીમાં ભાજપના ધારાસભ્ય છે, ઝઘડિયામાં પણ ભાજપના ધારાસભ્ય છે, એના કરતા પણ લોકો અમારા કામોને વખાણે છે. ત્યારે ભાજપમાં જવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. અને અહીં ગુજરાતમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં શાસન છે ખુદ મનસુખ વસાવા પણ ખુદ ઘણા સમયથી છે, પછી પણ તેમને મૂંઝવણ છે કે અમારૂં કહેલું પણ કામ થતું નથી. ત્યારે અમારો ભાજપમાં જવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.