Delhiમાં G-20 સમિટનો આરંભ, ભારત મંડપમાં કરાયું વિદેશી નેતાઓનું સ્વાગત, આફ્રિકન યુનિયન બન્યું G20નું કાયમી સભ્ય, સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-09-09 12:39:17

G-20 સમિટને લઈ વિશ્વના અનેક નેતાઓ ભારતના મહેમાન બન્યા છે. દિલ્હી ખાતે જી-20 સમિટ યોજાઈ છે જે બે દિવસ ચાલવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વના ટોપ લીડર ભારત આવ્યા છે. ભારત મંડપમ ખાતે બેઠકની શરૂઆત થઈ ગઈ છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે પીએમ મોદી ખુદ આયોજન સ્થળ પર હાજર છે. પીએમ મોદીએ વિદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જી-20માં ભાગ લેવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના મહેમાન બન્યા છે. તે સિવાય દક્ષિણ આફ્રિકાના રાષ્ટપતિ પણ ભારત મંડપમમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વાતો કહી હતી.   


ભારતની પહેલ પર આફ્રિકન યૂનિયન બન્યું જી-20નું સ્થાઈ સદસ્ય

જી-20ના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા માંગુ છું. G20ના કાયમી સભ્ય તરીકે હું તમને તમારું સ્થાન લેવા આમંત્રણ આપું છું. PMએ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો.

 

સંબોધનમાં ભૂકંપની ઘટના અંગે શોક કર્યો વ્યક્ત 

 ભારતમાં યોજાયેલી જી-20 સમિટમાં ભાગ લેવા ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત આવ્યા હતા. સમિટમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. સંબોધનની શરૂઆત પીએમ મોદીએ મોરક્કોમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.ભૂકંપની દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો. 


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહી આ વાત 

તે બાદ ભારતના મહેમાન બનેલા વિદેશી નેતાનું તેમણે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ આવેલો છે. તેના પર લખાયેલું છે કે માનવતાનું કલ્યાણ હંમેશા નક્કી કરવામાં આવે. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. દુનિયા આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહી છે. તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.