Delhiમાં G-20 સમિટનો આરંભ, ભારત મંડપમાં કરાયું વિદેશી નેતાઓનું સ્વાગત, આફ્રિકન યુનિયન બન્યું G20નું કાયમી સભ્ય, સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-09-09 12:39:17

G-20 સમિટને લઈ વિશ્વના અનેક નેતાઓ ભારતના મહેમાન બન્યા છે. દિલ્હી ખાતે જી-20 સમિટ યોજાઈ છે જે બે દિવસ ચાલવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે વિશ્વના ટોપ લીડર ભારત આવ્યા છે. ભારત મંડપમ ખાતે બેઠકની શરૂઆત થઈ ગઈ છે. મહેમાનોનું સ્વાગત કરવા માટે પીએમ મોદી ખુદ આયોજન સ્થળ પર હાજર છે. પીએમ મોદીએ વિદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. જી-20માં ભાગ લેવા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના મહેમાન બન્યા છે. તે સિવાય દક્ષિણ આફ્રિકાના રાષ્ટપતિ પણ ભારત મંડપમમાં પહોંચ્યા છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અનેક વાતો કહી હતી.   


ભારતની પહેલ પર આફ્રિકન યૂનિયન બન્યું જી-20નું સ્થાઈ સદસ્ય

જી-20ના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું તમારા બધાની સંમતિથી આગળની કાર્યવાહી શરૂ કરતા પહેલા આફ્રિકન યુનિયનના અધ્યક્ષને જાણ કરવા માંગુ છું. G20ના કાયમી સભ્ય તરીકે હું તમને તમારું સ્થાન લેવા આમંત્રણ આપું છું. PMએ આફ્રિકન યુનિયનને G20નું કાયમી સભ્ય બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો.

 

સંબોધનમાં ભૂકંપની ઘટના અંગે શોક કર્યો વ્યક્ત 

 ભારતમાં યોજાયેલી જી-20 સમિટમાં ભાગ લેવા ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારત આવ્યા હતા. સમિટમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી. સંબોધનની શરૂઆત પીએમ મોદીએ મોરક્કોમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.ભૂકંપની દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો. 


પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહી આ વાત 

તે બાદ ભારતના મહેમાન બનેલા વિદેશી નેતાનું તેમણે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આજે આપણે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર એક અઢી હજાર વર્ષ જૂનો સ્તંભ આવેલો છે. તેના પર લખાયેલું છે કે માનવતાનું કલ્યાણ હંમેશા નક્કી કરવામાં આવે. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. 21મી સદીનો આ સમય સમગ્ર વિશ્વને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. દુનિયા આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહી છે. તેથી આપણે આપણી તમામ જવાબદારીઓ નિભાવીને આગળ વધવાનું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.