G20 Summit: PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું કર્યું ઉષ્માભેર સ્વાગત, બંને નેતા વચ્ચે 45 મિનિટ સુધી ચાલી બેઠક


  • Published By :
  • Published Date : 2023-09-08 22:36:48

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની ઉષ્મા ફરી એકવાર G-20 સમિટની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. G-20 સમેલનમાં ભાગ લેવા માટે બિડેન શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેમની અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બિડેન દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાનના સત્તાવાર આવાસ પર પહોંચ્યા જ્યાં PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બિડેન જેવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડા શુભેચ્છા શબ્દોનું આદાન-પ્રદાન કર્યું હતું.


  45 મિનિટ સુધી ચાલી બેઠક


નવી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બંને દેશોના વડાઓ વચ્ચે કુલ પિસ્તાળીસ મિનિટ સુધી દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. વડાપ્રધાન મોદી અને જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં બંને દેશોના સાત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ જો બાઇડન મૌર્ય હોટલ જવા રવાના થયા હતા. સાંજે સાત વાગ્યે દિલ્હી ઉતર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને દ્વિપક્ષીય બેઠક કરી.


પીએમ મોદીએ કર્યું ટ્વીટ


બેઠક અને વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે અમારી બેઠક ફળદાયી રહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જો બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.