G20 Summit: PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું કર્યું ઉષ્માભેર સ્વાગત, બંને નેતા વચ્ચે 45 મિનિટ સુધી ચાલી બેઠક


  • Published By :
  • Published Date : 2023-09-08 22:36:48

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની ઉષ્મા ફરી એકવાર G-20 સમિટની પૂર્વ સંધ્યાએ જોવા મળી હતી. G-20 સમેલનમાં ભાગ લેવા માટે બિડેન શુક્રવારે (8 સપ્ટેમ્બર) સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ પછી તેમની અને પીએમ મોદી વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બિડેન દિલ્હીમાં 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડા પ્રધાનના સત્તાવાર આવાસ પર પહોંચ્યા જ્યાં PM મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બિડેન જેવા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને થોડા શુભેચ્છા શબ્દોનું આદાન-પ્રદાન કર્યું હતું.


  45 મિનિટ સુધી ચાલી બેઠક


નવી દિલ્હીમાં G20 સંમેલનની શરૂઆતના એક દિવસ પહેલા શુક્રવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી. બંને દેશોના વડાઓ વચ્ચે કુલ પિસ્તાળીસ મિનિટ સુધી દ્વિપક્ષીય વાટાઘાટો થઈ. વડાપ્રધાન મોદી અને જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણામાં બંને દેશોના સાત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. મીટિંગ બાદ જો બાઇડન મૌર્ય હોટલ જવા રવાના થયા હતા. સાંજે સાત વાગ્યે દિલ્હી ઉતર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સીધા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા અને દ્વિપક્ષીય બેઠક કરી.


પીએમ મોદીએ કર્યું ટ્વીટ


બેઠક અને વાતચીત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે અમારી બેઠક ફળદાયી રહી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી અને જો બાઇડન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. અમારી મિત્રતા વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ આગળ લઈ જઈશું.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .