Surendranagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ ગાડી ઘૂસી જતા થયા ત્રણ લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-17 12:10:54

અકસ્માત... આ શબ્દ સાંભળીને જ અનેક લોકોની કંપારી છૂટી જાય છે. લોકોના મનમાં ડર લાગવા લાગે છે. અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો તો થયો છે કારણ કે પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે જેમાં ઘટનાસ્થળ પર જ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી જેમાં કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ કે કારમાં બેઠેલા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ડમ્પરની અંદર કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો છે. 

News18 Gujarati

માતા પિતા અને બાળકનું અકસ્માતમાં થયું મૃત્યુ 

સુરેન્દ્રનગરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે. મુળી સરા રોડ પર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી ડમ્પરની પાછળ ઘૂસી ગઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં જે લોકો મોતને ભેટ્યા છે તે મોરબીના વતની હતા તેવી માહિતી સામે આવી છે. ડમ્પરની પાછળ ગાડી ઘૂસી જતા પતિ-પત્ની અને બાળકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

News18 Gujarati

કોઈના બેદરકારીની સજા કોઈને ભોગવવી પડે છે!

મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. સામે વાળાની ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે છે. અનેક કિસ્સાઓ એવા છે જેમાં મૃતકની કોઈ પણ ભૂલ નથી હોતું પરંતુ તેનું મોત થઈ જતું હોય છે. ઓવરસ્પીડિંગને કારણે, રોંગ સાઈડમાં આવવાને કારણે અનેક વખત એક્સિડન્ટ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાના જીવનથી હાથ ગુમાવો પડે છે.    

News18 Gujarati



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..