Surendranagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ ગાડી ઘૂસી જતા થયા ત્રણ લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 12:10:54

અકસ્માત... આ શબ્દ સાંભળીને જ અનેક લોકોની કંપારી છૂટી જાય છે. લોકોના મનમાં ડર લાગવા લાગે છે. અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો તો થયો છે કારણ કે પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે જેમાં ઘટનાસ્થળ પર જ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી જેમાં કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ કે કારમાં બેઠેલા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ડમ્પરની અંદર કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો છે. 

News18 Gujarati

માતા પિતા અને બાળકનું અકસ્માતમાં થયું મૃત્યુ 

સુરેન્દ્રનગરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે. મુળી સરા રોડ પર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી ડમ્પરની પાછળ ઘૂસી ગઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં જે લોકો મોતને ભેટ્યા છે તે મોરબીના વતની હતા તેવી માહિતી સામે આવી છે. ડમ્પરની પાછળ ગાડી ઘૂસી જતા પતિ-પત્ની અને બાળકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

News18 Gujarati

કોઈના બેદરકારીની સજા કોઈને ભોગવવી પડે છે!

મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. સામે વાળાની ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે છે. અનેક કિસ્સાઓ એવા છે જેમાં મૃતકની કોઈ પણ ભૂલ નથી હોતું પરંતુ તેનું મોત થઈ જતું હોય છે. ઓવરસ્પીડિંગને કારણે, રોંગ સાઈડમાં આવવાને કારણે અનેક વખત એક્સિડન્ટ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાના જીવનથી હાથ ગુમાવો પડે છે.    

News18 Gujarati



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.