Surendranagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ ગાડી ઘૂસી જતા થયા ત્રણ લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 12:10:54

અકસ્માત... આ શબ્દ સાંભળીને જ અનેક લોકોની કંપારી છૂટી જાય છે. લોકોના મનમાં ડર લાગવા લાગે છે. અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો તો થયો છે કારણ કે પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે જેમાં ઘટનાસ્થળ પર જ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી જેમાં કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ કે કારમાં બેઠેલા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ડમ્પરની અંદર કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો છે. 

News18 Gujarati

માતા પિતા અને બાળકનું અકસ્માતમાં થયું મૃત્યુ 

સુરેન્દ્રનગરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે. મુળી સરા રોડ પર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી ડમ્પરની પાછળ ઘૂસી ગઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં જે લોકો મોતને ભેટ્યા છે તે મોરબીના વતની હતા તેવી માહિતી સામે આવી છે. ડમ્પરની પાછળ ગાડી ઘૂસી જતા પતિ-પત્ની અને બાળકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

News18 Gujarati

કોઈના બેદરકારીની સજા કોઈને ભોગવવી પડે છે!

મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. સામે વાળાની ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે છે. અનેક કિસ્સાઓ એવા છે જેમાં મૃતકની કોઈ પણ ભૂલ નથી હોતું પરંતુ તેનું મોત થઈ જતું હોય છે. ઓવરસ્પીડિંગને કારણે, રોંગ સાઈડમાં આવવાને કારણે અનેક વખત એક્સિડન્ટ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાના જીવનથી હાથ ગુમાવો પડે છે.    

News18 Gujarati



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.