Surendranagarમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ ગાડી ઘૂસી જતા થયા ત્રણ લોકોના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-17 12:10:54

અકસ્માત... આ શબ્દ સાંભળીને જ અનેક લોકોની કંપારી છૂટી જાય છે. લોકોના મનમાં ડર લાગવા લાગે છે. અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો તો થયો છે કારણ કે પ્રતિદિન અકસ્માતમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અનેક કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે જેમાં ઘટનાસ્થળ પર જ અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગરથી જેમાં કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ કે કારમાં બેઠેલા ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ડમ્પરની અંદર કાર ઘૂસી જતા આ ભયંકર અકસ્માત સર્જાયો છે. 

News18 Gujarati

માતા પિતા અને બાળકનું અકસ્માતમાં થયું મૃત્યુ 

સુરેન્દ્રનગરમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે. મુળી સરા રોડ પર અકસ્માત સર્જાયો છે જેમાં ગાડી ડમ્પરની પાછળ ઘૂસી ગઈ અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં જે લોકો મોતને ભેટ્યા છે તે મોરબીના વતની હતા તેવી માહિતી સામે આવી છે. ડમ્પરની પાછળ ગાડી ઘૂસી જતા પતિ-પત્ની અને બાળકનું મોત ઘટના સ્થળ પર થઈ ગયું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

News18 Gujarati

કોઈના બેદરકારીની સજા કોઈને ભોગવવી પડે છે!

મહત્વનું છે કે અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયો છે. સામે વાળાની ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડે છે. અનેક કિસ્સાઓ એવા છે જેમાં મૃતકની કોઈ પણ ભૂલ નથી હોતું પરંતુ તેનું મોત થઈ જતું હોય છે. ઓવરસ્પીડિંગને કારણે, રોંગ સાઈડમાં આવવાને કારણે અનેક વખત એક્સિડન્ટ સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને પોતાના જીવનથી હાથ ગુમાવો પડે છે.    

News18 Gujarati



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.