Anand નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 11:18:00

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ છાશવારે આપણી સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત આણંદમાં સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે યુવકોના મોત આ અકસ્માતમાં થયા છે તે બોરસદના વતની છે. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ આરંભી હતી.


હિટ એન્ડ રન કાયદાને લઈ ડ્રાઈવરોએ કર્યો હતો વિરોધ  

પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહી રહ્યા છે. અનેક પરિવારોએ અકસ્માતને પગલે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતના કેસમાં અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ જાય છે, સામેના વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી જેમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના ડંડની જોગવાઈ કરવામાં આવી. પરંતુ ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ડ્રાઈવરોએ આનો સખ્ત વિરોધ કર્યો જેને કારણે કેન્દ્ર સરકારે નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ આંદોલન સમેટી લીધું હતું પરંતુ તે બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં મુખ્યત્વે ટ્રકોના છે. 


આણંદ નજીક સર્જાયો અકસ્માત જેમાં થયા ત્રણ લોકોના મોત

થોડા દિવસો પહેલા થરાદ-ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરની અડફેટે ગાડી આવી ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુત્રો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થયો હતો. તેની પહેલા સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ફરી એક વખત આણંદ નજીક એક્સિડન્ટ સર્જાયો છે જેમાં ચાર યુવાનોના મોત થઈ ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી જેને કારણે આ અકસ્માતની ઘટના બની. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."