Anand નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 11:18:00

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ છાશવારે આપણી સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત આણંદમાં સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે યુવકોના મોત આ અકસ્માતમાં થયા છે તે બોરસદના વતની છે. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ આરંભી હતી.


હિટ એન્ડ રન કાયદાને લઈ ડ્રાઈવરોએ કર્યો હતો વિરોધ  

પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહી રહ્યા છે. અનેક પરિવારોએ અકસ્માતને પગલે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતના કેસમાં અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ જાય છે, સામેના વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી જેમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના ડંડની જોગવાઈ કરવામાં આવી. પરંતુ ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ડ્રાઈવરોએ આનો સખ્ત વિરોધ કર્યો જેને કારણે કેન્દ્ર સરકારે નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ આંદોલન સમેટી લીધું હતું પરંતુ તે બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં મુખ્યત્વે ટ્રકોના છે. 


આણંદ નજીક સર્જાયો અકસ્માત જેમાં થયા ત્રણ લોકોના મોત

થોડા દિવસો પહેલા થરાદ-ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરની અડફેટે ગાડી આવી ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુત્રો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થયો હતો. તેની પહેલા સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ફરી એક વખત આણંદ નજીક એક્સિડન્ટ સર્જાયો છે જેમાં ચાર યુવાનોના મોત થઈ ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી જેને કારણે આ અકસ્માતની ઘટના બની. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.