Anand નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગયા આટલા લોકોના જીવ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-08 11:18:00

અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતના અનેક કિસ્સાઓ છાશવારે આપણી સામે આવી રહ્યા છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થયા છે ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત આણંદમાં સર્જાયો છે. ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર એક્સિડન્ટ થયો હતો જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર જે યુવકોના મોત આ અકસ્માતમાં થયા છે તે બોરસદના વતની છે. અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ આરંભી હતી.


હિટ એન્ડ રન કાયદાને લઈ ડ્રાઈવરોએ કર્યો હતો વિરોધ  

પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ વધી રહી રહ્યા છે. અનેક પરિવારોએ અકસ્માતને પગલે પોતાના પરિજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતના કેસમાં અકસ્માત સર્જીને ડ્રાઈવર ફરાર થઈ જાય છે, સામેના વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. હિટ એન્ડ રનને લઈ કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી જેમાં ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ 7 લાખ રૂપિયા સુધીના ડંડની જોગવાઈ કરવામાં આવી. પરંતુ ટ્રક ડ્રાઈવરો, ડમ્પર ડ્રાઈવરોએ આનો સખ્ત વિરોધ કર્યો જેને કારણે કેન્દ્ર સરકારે નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ આંદોલન સમેટી લીધું હતું પરંતુ તે બાદ અકસ્માતના અનેક કિસ્સાઓ જે સામે આવ્યા છે તેમાં મુખ્યત્વે ટ્રકોના છે. 


આણંદ નજીક સર્જાયો અકસ્માત જેમાં થયા ત્રણ લોકોના મોત

થોડા દિવસો પહેલા થરાદ-ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખોરડા ગામ નજીક ડમ્પરની અડફેટે ગાડી આવી ગઈ હતી જેને કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે પુત્રો તેમજ પતિ-પત્નીનો સમાવેશ થયો હતો. તેની પહેલા સાપુતારા નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે ફરી એક વખત આણંદ નજીક એક્સિડન્ટ સર્જાયો છે જેમાં ચાર યુવાનોના મોત થઈ ગયા છે. ઝારોલા બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રેતી ભરેલા ટ્રક સાથે ધડાકાભેર કાર અથડાઈ હતી જેને કારણે આ અકસ્માતની ઘટના બની. આ ભયંકર અકસ્માતમાં કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. જેસીબી વડે ટ્રક ઊંચી કરી ટ્રેક્ટર બાંધી કારને બહાર કાઢવામાં આવી હતી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.