ગાંધીધામ: રૂ. 2 કરોડ ભરેલી કેશ વાન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા, શખ્સ વાન લઈ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:05

કચ્છની ઔદ્યોગિક રાજધાની ગાંધીધામ શહેર આર્થિક મોરચે હંમેશા આગળ રહે છે. બંદર સાથે જોડાયેલા આ સિટી-કોમ્પ્લેક્સમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે, પરંતુ શુક્રવારે સવારે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંકની પાસે બનેલી ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગાંધીધામ શહેરના બેંકિંગ સર્કલ પાસે આવેલી એક જાણીતી સરકારી બેંકમાંથી અંદાજે રૂ.2 કરોડ અચાનક ગુમ થઈ ગયા હતા.બેંકમાંથી કરોડોની રોકડ ભરેલ વાહન ગુમ હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે બે કરોડની કિંમતની આ કાર એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હતી અને થોડીવારમાં પછીથી મળી આવી હતી. બેંકના એક કર્મચારીએ જણાવ્યું કે આજે સવારે ચા પીવા માટે બેંકના ATMની બહાર કેશ વેન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ 2 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન લઈને ભાગી ગયો હતો.


આરોપી વાન મુકીને ફરાર


કેશ વાન ગાયબ થવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાઈ જવાના ડરથી આરોપી કેશ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે. સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે વાહન ગાયબ થવાની માહિતી મળતાં જ પોલીસે સતર્કતા દાખવી કેશ વાનનો પીછો કરીને ગણતરીની મિનિટોમાં જ કેશ વાન પરત મેળવી લીધી હતી. પરંતુ કેશ વાન લઈને ભાગી રહેલા આરોપી પોલીસને જોઈને વાહન છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ કેશ વાનની ચોરી કરી નાસી છૂટેલા આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે