ગાંધીધામ: રૂ. 2 કરોડ ભરેલી કેશ વાન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા, શખ્સ વાન લઈ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:05

કચ્છની ઔદ્યોગિક રાજધાની ગાંધીધામ શહેર આર્થિક મોરચે હંમેશા આગળ રહે છે. બંદર સાથે જોડાયેલા આ સિટી-કોમ્પ્લેક્સમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે, પરંતુ શુક્રવારે સવારે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંકની પાસે બનેલી ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગાંધીધામ શહેરના બેંકિંગ સર્કલ પાસે આવેલી એક જાણીતી સરકારી બેંકમાંથી અંદાજે રૂ.2 કરોડ અચાનક ગુમ થઈ ગયા હતા.બેંકમાંથી કરોડોની રોકડ ભરેલ વાહન ગુમ હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે બે કરોડની કિંમતની આ કાર એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હતી અને થોડીવારમાં પછીથી મળી આવી હતી. બેંકના એક કર્મચારીએ જણાવ્યું કે આજે સવારે ચા પીવા માટે બેંકના ATMની બહાર કેશ વેન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ 2 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન લઈને ભાગી ગયો હતો.


આરોપી વાન મુકીને ફરાર


કેશ વાન ગાયબ થવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાઈ જવાના ડરથી આરોપી કેશ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે. સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે વાહન ગાયબ થવાની માહિતી મળતાં જ પોલીસે સતર્કતા દાખવી કેશ વાનનો પીછો કરીને ગણતરીની મિનિટોમાં જ કેશ વાન પરત મેળવી લીધી હતી. પરંતુ કેશ વાન લઈને ભાગી રહેલા આરોપી પોલીસને જોઈને વાહન છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ કેશ વાનની ચોરી કરી નાસી છૂટેલા આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.