ગાંધીધામ: રૂ. 2 કરોડ ભરેલી કેશ વાન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા, શખ્સ વાન લઈ ફરાર


  • Published By :
  • Published Date : 2024-01-12 18:14:05

કચ્છની ઔદ્યોગિક રાજધાની ગાંધીધામ શહેર આર્થિક મોરચે હંમેશા આગળ રહે છે. બંદર સાથે જોડાયેલા આ સિટી-કોમ્પ્લેક્સમાં દરરોજ કરોડો રૂપિયાની હેરફેર થાય છે, પરંતુ શુક્રવારે સવારે બેન્કિંગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંકની પાસે બનેલી ઘટનાએ ભારે આશ્ચર્ય સર્જ્યું છે. ગાંધીધામ શહેરના બેંકિંગ સર્કલ પાસે આવેલી એક જાણીતી સરકારી બેંકમાંથી અંદાજે રૂ.2 કરોડ અચાનક ગુમ થઈ ગયા હતા.બેંકમાંથી કરોડોની રોકડ ભરેલ વાહન ગુમ હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, રસપ્રદ વાત એ છે કે બે કરોડની કિંમતની આ કાર એક ક્ષણ માટે ગાયબ થઈ ગઈ હતી અને થોડીવારમાં પછીથી મળી આવી હતી. બેંકના એક કર્મચારીએ જણાવ્યું કે આજે સવારે ચા પીવા માટે બેંકના ATMની બહાર કેશ વેન પાર્ક કરીને ડ્રાઈવર અને ગાર્ડ નીચે ઉતર્યા ત્યારે એક અજાણ્યો વ્યક્તિ 2 કરોડ રૂપિયા ભરેલી કેશ વાન લઈને ભાગી ગયો હતો.


આરોપી વાન મુકીને ફરાર


કેશ વાન ગાયબ થવાના સમાચાર મળતાની સાથે જ પોલીસે તેનો પીછો કર્યો અને પકડાઈ જવાના ડરથી આરોપી કેશ વાનને રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયો હતો. પોલીસે એટીએમ કેશ વાન જપ્ત કરી લીધી છે અને તમામ પૈસા સુરક્ષિત છે. સ્થળ પર હાજર લોકોનું માનવું છે કે વાહન ગાયબ થવાની માહિતી મળતાં જ પોલીસે સતર્કતા દાખવી કેશ વાનનો પીછો કરીને ગણતરીની મિનિટોમાં જ કેશ વાન પરત મેળવી લીધી હતી. પરંતુ કેશ વાન લઈને ભાગી રહેલા આરોપી પોલીસને જોઈને વાહન છોડીને ભાગી ગયો હતો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તેમજ કેશ વાનની ચોરી કરી નાસી છૂટેલા આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધરાયા છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'