તમારી સમસ્યાઓ માટે CMOમાં કરી શકશો ફરિયાદ, જાહેર કરાયો વ્હોટ્સએપ નંબર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:41:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકાર લોક કલ્યાણના કાર્યોને લઈ એક્સનમાં આવી છે. લોકોની તેમની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે વ્હોટ્સ એપ નંબરની જાહેરાત કરી છે. 


શા માટે વ્હોટ્સ એપ નંબર?


રાજ્યના લોકોને સરકારી વિભાગોમાં તેમના કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેમના ગામ અને શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, સરકારી યોજનાના લાભો મેળવવામાં ભારે મુસિબતો સહન કરવી પડે છે. રાજ્ય સરકારને પણ લોકોની આવી ફરિયાદો મળી હતી. લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાજય સરકારે ખાસ વ્હોટ્સ એપ નંબર જાહેર કર્યો છે આ નંબરના માધ્યમથી લોકો તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી શકશે. સરકાર પણ આ નંબર મળેલી ફરિયાદોના નિવારણ માટે ખાસ પ્રસાસો કરશે. 


CMOએ જાહેર કર્યો નંબર


ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણના હેતુથી વ્હોટ્સએપ +917030930344 ની જાહેરાત કરી છે. લોકો આ +917030930344 વ્હોટ્સએપ નંબર પરથી તેમની ફરિયાદો નોંધાવી શકશે. મુખ્યમંત્રી  ઓફિસના અધિતારીઓ આ નંબર મારફતે મળેલી ફરિયાદો ના સત્વરે ઉકેલ માટે પ્રયત્ન કરશે. સમસ્યાના સમાધાન માટે સીએમઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન પણ સાધશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .