તમારી સમસ્યાઓ માટે CMOમાં કરી શકશો ફરિયાદ, જાહેર કરાયો વ્હોટ્સએપ નંબર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:41:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકાર લોક કલ્યાણના કાર્યોને લઈ એક્સનમાં આવી છે. લોકોની તેમની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે વ્હોટ્સ એપ નંબરની જાહેરાત કરી છે. 


શા માટે વ્હોટ્સ એપ નંબર?


રાજ્યના લોકોને સરકારી વિભાગોમાં તેમના કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેમના ગામ અને શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, સરકારી યોજનાના લાભો મેળવવામાં ભારે મુસિબતો સહન કરવી પડે છે. રાજ્ય સરકારને પણ લોકોની આવી ફરિયાદો મળી હતી. લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાજય સરકારે ખાસ વ્હોટ્સ એપ નંબર જાહેર કર્યો છે આ નંબરના માધ્યમથી લોકો તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી શકશે. સરકાર પણ આ નંબર મળેલી ફરિયાદોના નિવારણ માટે ખાસ પ્રસાસો કરશે. 


CMOએ જાહેર કર્યો નંબર


ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણના હેતુથી વ્હોટ્સએપ +917030930344 ની જાહેરાત કરી છે. લોકો આ +917030930344 વ્હોટ્સએપ નંબર પરથી તેમની ફરિયાદો નોંધાવી શકશે. મુખ્યમંત્રી  ઓફિસના અધિતારીઓ આ નંબર મારફતે મળેલી ફરિયાદો ના સત્વરે ઉકેલ માટે પ્રયત્ન કરશે. સમસ્યાના સમાધાન માટે સીએમઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન પણ સાધશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.