તમારી સમસ્યાઓ માટે CMOમાં કરી શકશો ફરિયાદ, જાહેર કરાયો વ્હોટ્સએપ નંબર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:41:55

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ 156 સીટો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બનેલી સરકાર લોક કલ્યાણના કાર્યોને લઈ એક્સનમાં આવી છે. લોકોની તેમની વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી શકે તે માટે વ્હોટ્સ એપ નંબરની જાહેરાત કરી છે. 


શા માટે વ્હોટ્સ એપ નંબર?


રાજ્યના લોકોને સરકારી વિભાગોમાં તેમના કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોને તેમના ગામ અને શહેરમાં સ્થાનિક સ્તરે વિકાસના કામો, સરકારી યોજનાના લાભો મેળવવામાં ભારે મુસિબતો સહન કરવી પડે છે. રાજ્ય સરકારને પણ લોકોની આવી ફરિયાદો મળી હતી. લોકોની સમસ્યાઓના સમાધાન માટે રાજય સરકારે ખાસ વ્હોટ્સ એપ નંબર જાહેર કર્યો છે આ નંબરના માધ્યમથી લોકો તેમની ફરિયાદો સરકાર સુધી પહોંચાડી શકશે. સરકાર પણ આ નંબર મળેલી ફરિયાદોના નિવારણ માટે ખાસ પ્રસાસો કરશે. 


CMOએ જાહેર કર્યો નંબર


ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયે સામાન્ય લોકોના પ્રશ્નોના નિવારણના હેતુથી વ્હોટ્સએપ +917030930344 ની જાહેરાત કરી છે. લોકો આ +917030930344 વ્હોટ્સએપ નંબર પરથી તેમની ફરિયાદો નોંધાવી શકશે. મુખ્યમંત્રી  ઓફિસના અધિતારીઓ આ નંબર મારફતે મળેલી ફરિયાદો ના સત્વરે ઉકેલ માટે પ્રયત્ન કરશે. સમસ્યાના સમાધાન માટે સીએમઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન પણ સાધશે.



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.