Gandhinagar : Loksabha Election પહેલા Congressના નેતા, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CM- C.R.Patilની હાજરીમાં અર્જુન ખાટરિયાએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 17:09:13

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. 

ભાજપમાં આજે યોજાયો ભરતી મેળો!

અનેક વખત ચૂંટણી સમયે જોડ-તોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ભાજપમાં મુખ્યત્વે ચૂંટણી પૂર્વે ભરતી મેળો યોજવામાં આવતો હોય છે. ભરતી મેળો એટલે કે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય છે. ઉત્તરાયણની સમાપ્તી થતા કમૂરતાનો અંત થાય છે અને સારા કામોની શરૂઆત થાય છે. ત્યારે ભાજપમાં આજે ભરતી મેળો થયો છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. 

અર્જૂન ખાટરિયાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા 

એક તરફ કોંગ્રેસ પક્ષ મજબૂત બની રહ્યું છે તો કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં છે ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


કોણે કોણે કેસરિયો કર્યો ધારણ? 

જેટલા લોકો ભાજપમાં જોડાયા છે તેમની વાત કરીએ તો 12 જિલ્લા પંચાયતના સભ્યો છે, 5 પુર્વ કોર્પોરેટરો છે, 5 ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડેલા ઉમેદવારો છે. 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા, કાર્યકરોનો સમાવેશ થાય છે 40 જેટલી બસો ભરીને તો લોકો ભાજપમાં જોડાયા હતા. આ વાંચ્યા પછી કદાચ તમે પણ કહેશો આ તો હજી શરૂઆત છે આગળ આગળ જુઓ હજી શું શું થાય છે?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.