Gandhinagar : Loksabha Election પહેલા Congressના નેતા, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CM- C.R.Patilની હાજરીમાં અર્જુન ખાટરિયાએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 17:09:13

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. 

ભાજપમાં આજે યોજાયો ભરતી મેળો!

અનેક વખત ચૂંટણી સમયે જોડ-તોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ભાજપમાં મુખ્યત્વે ચૂંટણી પૂર્વે ભરતી મેળો યોજવામાં આવતો હોય છે. ભરતી મેળો એટલે કે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય છે. ઉત્તરાયણની સમાપ્તી થતા કમૂરતાનો અંત થાય છે અને સારા કામોની શરૂઆત થાય છે. ત્યારે ભાજપમાં આજે ભરતી મેળો થયો છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. 

અર્જૂન ખાટરિયાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા 

એક તરફ કોંગ્રેસ પક્ષ મજબૂત બની રહ્યું છે તો કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં છે ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


કોણે કોણે કેસરિયો કર્યો ધારણ? 

જેટલા લોકો ભાજપમાં જોડાયા છે તેમની વાત કરીએ તો 12 જિલ્લા પંચાયતના સભ્યો છે, 5 પુર્વ કોર્પોરેટરો છે, 5 ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડેલા ઉમેદવારો છે. 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા, કાર્યકરોનો સમાવેશ થાય છે 40 જેટલી બસો ભરીને તો લોકો ભાજપમાં જોડાયા હતા. આ વાંચ્યા પછી કદાચ તમે પણ કહેશો આ તો હજી શરૂઆત છે આગળ આગળ જુઓ હજી શું શું થાય છે?  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.