Gandhinagar : Loksabha Election પહેલા Congressના નેતા, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CM- C.R.Patilની હાજરીમાં અર્જુન ખાટરિયાએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 17:09:13

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. 

ભાજપમાં આજે યોજાયો ભરતી મેળો!

અનેક વખત ચૂંટણી સમયે જોડ-તોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ભાજપમાં મુખ્યત્વે ચૂંટણી પૂર્વે ભરતી મેળો યોજવામાં આવતો હોય છે. ભરતી મેળો એટલે કે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય છે. ઉત્તરાયણની સમાપ્તી થતા કમૂરતાનો અંત થાય છે અને સારા કામોની શરૂઆત થાય છે. ત્યારે ભાજપમાં આજે ભરતી મેળો થયો છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. 

અર્જૂન ખાટરિયાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા 

એક તરફ કોંગ્રેસ પક્ષ મજબૂત બની રહ્યું છે તો કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં છે ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


કોણે કોણે કેસરિયો કર્યો ધારણ? 

જેટલા લોકો ભાજપમાં જોડાયા છે તેમની વાત કરીએ તો 12 જિલ્લા પંચાયતના સભ્યો છે, 5 પુર્વ કોર્પોરેટરો છે, 5 ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડેલા ઉમેદવારો છે. 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા, કાર્યકરોનો સમાવેશ થાય છે 40 જેટલી બસો ભરીને તો લોકો ભાજપમાં જોડાયા હતા. આ વાંચ્યા પછી કદાચ તમે પણ કહેશો આ તો હજી શરૂઆત છે આગળ આગળ જુઓ હજી શું શું થાય છે?  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે