Gandhinagar : Loksabha Election પહેલા Congressના નેતા, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા, CM- C.R.Patilની હાજરીમાં અર્જુન ખાટરિયાએ ધારણ કર્યો કેસરિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 17:09:13

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આજે ભરતી મેળો યોજાયો હતો. કોંગ્રેસના અનેક નેતાઓએ કેસરિયો ધારણ કર્યો છે. મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યો, આગેવાન તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થયા છે. ગાંધીનગરના કમલમ ખાતે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. 

ભાજપમાં આજે યોજાયો ભરતી મેળો!

અનેક વખત ચૂંટણી સમયે જોડ-તોડની રાજનીતિ જોવા મળતી હોય છે. ભાજપમાં મુખ્યત્વે ચૂંટણી પૂર્વે ભરતી મેળો યોજવામાં આવતો હોય છે. ભરતી મેળો એટલે કે બીજી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય છે. ઉત્તરાયણની સમાપ્તી થતા કમૂરતાનો અંત થાય છે અને સારા કામોની શરૂઆત થાય છે. ત્યારે ભાજપમાં આજે ભરતી મેળો થયો છે કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. 

અર્જૂન ખાટરિયાએ કર્યા કેસરિયા

સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા 

એક તરફ કોંગ્રેસ પક્ષ મજબૂત બની રહ્યું છે તો કોંગ્રેસ નબળી જોવા મળી રહી છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન ખાટરિયા, અર્જુનભાઈ પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ CMની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયા કર્યાં છે ગુજરાતમાંથી 2 હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. 


કોણે કોણે કેસરિયો કર્યો ધારણ? 

જેટલા લોકો ભાજપમાં જોડાયા છે તેમની વાત કરીએ તો 12 જિલ્લા પંચાયતના સભ્યો છે, 5 પુર્વ કોર્પોરેટરો છે, 5 ધારાસભ્ય પદ માટેની ચૂંટણી લડેલા ઉમેદવારો છે. 3 એપીએમસીના ચેરમેન, તાલુકા જિલ્લા પંચાયત લડેલા ૨૦૦ નેતા જિલ્લા અને રાજ્યસ્તરના સંગઠનમાં કાંગ્રેસ અને આપમાં કામ કરતા નેતા, કાર્યકરોનો સમાવેશ થાય છે 40 જેટલી બસો ભરીને તો લોકો ભાજપમાં જોડાયા હતા. આ વાંચ્યા પછી કદાચ તમે પણ કહેશો આ તો હજી શરૂઆત છે આગળ આગળ જુઓ હજી શું શું થાય છે?  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.